શિક્ષકોના બાળકોની ફી અન્ય વિદ્યાર્થીઓના ખર્ચમાં ઉમેરી શકાય નહીં: સંચાલકો સામે લાલધૂમ હાઇકોર્ટ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
ખાનગી શાળા સંચાલકોએ એફઆરસીના હુકમ સામે હાઈકોર્ટમાં અરજી કરેલી છે. સુનાવણી દરમિયાન, હાઈકોર્ટના ધ્યાને આવેલું છે કે, કેટલીક શાળાઓના શિક્ષકોના બાળકો તે જ શાળામાં ભણે છે, તેની ફી લેવાતી નથી. જો કે, આ ફીનો ખર્ચ શાળાના અન્ય વિદ્યાર્થીઓની ફીમાં ઉમેરી દેવાય છે. આ ઉપરાંત તેને ખર્ચ તરીકે સમિતિ સમક્ષ રજૂ કરે છે.
આ મુદ્દે હાઈકોર્ટે ખાનગી શાળા સંચાલકોને સવાલ કરેલો કે, શિક્ષકોના બાળકોની ફીની રકમ અન્ય વિદ્યાર્થીઓ પર કેવીરીતે નાખી શકાય ? તેને ખર્ચ તરીકે કેવી રીતે ગણી શકાય ? હાઈકોર્ટે એ પણ ટકોર કરેલી કે, ખાનગી શાળા સંચાલકો એફઆરસી સમક્ષ ખર્ચની જે વિગતો મુકે છે, તેમાં કોઈ સ્પષ્ટતા નથી. માત્ર વાઉચર મુકવાથી ચાલે નહીં, ક્યો ખર્ચ ક્યાં કર્યો ? કેમ કર્યો ? તેની વિગત પણ આપવી જોઈએ.
હાઈકોર્ટે એ પણ સવાલ કરેલો કે સ્કુલ અને શિક્ષણને અનુલક્ષીને શાળાઓ જે જાહેરાત કરે છે, તે ખરેખર જરૂરી છે ખરા ? ખાનગી શાળાના સંચાલકોની રજૂઆત હતી કે, અપર અને લોઅર પ્રાયમરીમાં શિક્ષણના સ્તરને સુધારવા માટે પુસ્તક છપાવીએ છીએ. શાળાઓએ આ ખર્ચને એફઆરસી સમક્ષ મુકેલો છે. આ સમયે, હાઇકોર્ટે શાળાઓને સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકતા ટકોર કરેલી કે. વિદ્યાર્થીઓને શાળામાંથી જ પુસ્તકો ખરીદવા તે બાબત ફરજિયાત ન હોવી જોઈએ.