ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભુપતભાઈ બોદર એ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ વાળી ડબલ એન્જિન વાળી ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયા દ્વારા ₹235.50 કરોડના ખર્ચે સૌની સિંચાઈ યોજનાને મંજૂર કરવાના નિર્ણયને આવકારી અને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, રાજ્યની ભાજપ સરકાર જ્યાં માનવી ત્યાં સુવિધા ના મંત્રને ચરિતાર્થ કરીને છેવાડાના માનવી સુધી વિકાસ યાત્રા વધુને વધુ વિસ્તરે તે દિશામાં કાર્ય કરી રહી છે અને મહાનગરોની સાથે નગરો અને ગામડાઓ પણ આર્થિક રીતે સમૃદ્ધ થાય, અને પ્રજાજનોને લોક સુવિધાઓ સહજ અને સરળ રીતે પ્રાપ્ત થાય તે માટે પ્રતિબદ્ધ છે. ત્યારે આ નિર્ણયથી રાજકોટ જિલ્લાના રાજકોટ જસદણ અને કોટડા સાંગાણી તાલુકાના વિવિધ ગામોમાં તળાવો ચેક ડેમો નાની સિંચાઈ યોજના ના જળાશયોનો સોની લીંક -3 માં સમાવેશ કરવા વિવિધ ગામોને નર્મદા આધારિત પાણીનો લાભ આપવા બાબતની યોજના ની વર્ષોથી આ પંથકના લોકો અને ખેડૂતોની માગ હતી. તેમજ આ અંતર્ગત ભુપત બોદરએ પણ પોતાના રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન સરકાર સમક્ષ રજૂઆતો કરેલ હતી.
- Advertisement -
આમ આ યોજનાથી રાજકોટ જિલ્લાના રાજકોટ જસદણ તથા કોટડા સાંગાણી વિસ્તારના કુલ 41 ગામોમાં આશરે 5000 એકર વિસ્તારમાં સિંચાઈની સુવિધા સુદઢ થશે અને સિચાઇના પાણીનો લાભ મળશે.આમ રાજ્ય સરકારના ખેડૂત હિતલક્ષી નિર્ણયથી ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
આમ ત્રંબા સોની સિંચાઈ યોજનાને મંજૂરી આપી ગ્રામજનો અને ખેડૂતોના હિતલક્ષી નિર્ણયને આવકારી ગુજરાત સરકારનો જાહેર આભાર વ્યક્ત કરતા રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભુપતભાઈ બોદર એ અંતમાં જણાવેલ હતું.