ભારત ટેક્સીના કારણે 6 લાખ ડ્રાઇવર્સની આવકમાં 30% વધારો જ્યારે મુસાફરોને 15%ની બચત થઈ
5 ફેબ્રુઆરીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા લોન્ચ કરવામાં આવેલું પ્લેટફોર્મ ટેક્નોલોજી અને માનવીય ગરિમાના સંગમનું વૈશ્વિક ઉદાહરણ બન્યું
- Advertisement -
અમદાવાદ અને સુરત બાદ હવે ભારત ટેક્સી ટૂંક સમયમાં વડોદરામાં પોતાની સેવાઓ શરૂ કરશે
ભારત ટેક્સીમાં ડ્રાઇવર્સ કોઈ કંપનીના કર્મચારી નથી પરંતુ પોતે જ આ સંસ્થાના માલિક
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
- Advertisement -
સામાન્ય રીતે જ્યારે પણ ‘સહકારિતા’ શબ્દનો ઉલ્લેખ થાય, ત્યારે સૌને અમૂલની દૂધ ક્રાંતિ યાદ આવે છે. પરંતુ, આજે ગુજરાતની સડકો પર એક નવી ડિજિટલ ક્રાંતિ દોડી રહી છે જેનું નામ છે ‘ભારત ટેક્સી’. આ માત્ર એક સામાન્ય ઍપ નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના સપનાને સાકાર કરતી એ હજારો ડ્રાઈવરોની ગાથા છે, જે હવે કોઈ ખાનગી કંપનીના કર્મચારી નહીં, પણ આ મોબિલિટી પ્લેટફોર્મના સ્વયં માલિક છે. ચાલુ વર્ષે 5 ફેબ્રુઆરીએ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ અનોખી પહેલ ટેક્નોલોજી અને માનવીય ગરિમાના સંગમનું વિશ્વનું સૌથી મોટું ઉદાહરણ બની રહી છે. હાલમાં આ પ્લેટફોર્મ સાથે દેશભરમાં 35 લાખથી વધુ યુઝર્સ અને 6 લાખથી વધુ ડ્રાઇવર્સ જોડાઈ ચૂક્યા છે. ભારત ટેક્સીના ચેરમેન અને અમૂલના એમડી જયેન મહેતાના મતે આ પરિવર્તન એક મોટી ક્રાંતિ સમાન છે. તેમણે જણાવ્યું કે, ભારત ટેક્સીએ ડ્રાઇવર-ઓન્ડ મોડલને વાસ્તવિકતા બનાવીને એ સુનિશ્ચિત કર્યું છે કે, રાઇડની 100% કમાણી કોઈપણ કપાત વિના સીધી ડ્રાઇવરો સુધી પહોંચે. આજે તે દુનિયાની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ તરીકે ઊભરીને ડ્રાઇવરોના સ્વાભિમાનને વધારી રહી છે, સાથે જ ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝનનો વૈશ્વિક સ્તરે એક નવો બેન્ચમાર્ક પણ સ્થાપિત કરી રહી છે. મોબિલિટી ક્ષેત્રમાં અત્યાર સુધી ડ્રાઇવરો માટે સૌથી મોટી મુશ્કેલી ભારે કમિશન અને અનિશ્ચિત આવક રહી છે. પરંતુ ‘ભારત ટેક્સી’એ આ જૂની પેટર્નને બદલી નાખી છે. અહીં કોઈ વચેટિયા કે કોર્પોરેટ નથી, પરંતુ ડ્રાઇવર્સ જ આ કોઓપરેટિવના સ્ટેકહોલ્ડર્સ છે. તેનો સીધો પ્રભાવ પાયાના સ્તરે જોવા મળી રહ્યો છે. આ પ્લેટફોર્મમાં જોડાયા પછી, એક સરેરાશ ડ્રાઇવરની માસિક આવક 25% થી 30% વધી છે. આ આંકડો ફક્ત કમાણીનો નહીં, પરંતુ એ હજારો પરિવારોની સમૃદ્ધિનો દસ્તાવેજ છે, જેઓ હવે પરંપરાગત એગ્રીગેટર મોડલથી બહાર નીકળી રહ્યા છે. ડ્રાઇવરોના જીવનમાં આવેલા આ બદલાવ અંગે ડ્રાઇવર પ્રવીણ ઠાકોર કહે છે કે, અન્ય કંપનીઓ સાથે કામ કરવું હવે ફાયદાકારક રહ્યું ન હતું. પરંતુ, ‘ભારત ટેક્સી’ સાથે જોડાયા પછી અમને વધુ સારો રેટ અને પ્રતિસાદ મળી રહ્યા છે. આ મોડલ સાથે જોડાઈને કોઈપણ ડ્રાઇવર સારી કમાણી કરીને પોતાના પરિવારનું ભવિષ્ય સુરક્ષિત બનાવી શકે છે. બીજી તરફ, ભારત ટેક્સી ફક્ત ડ્રાઇવર્સની આવક વધારવા સુધી સીમિત નથી, પરંતુ તેણે ‘પેસેન્જર એક્સપીરિયન્સ’ને પણ નવો આયામ આપ્યો છે. ખાનગી એગ્રીગેટર પ્લેટફોર્મ્સમાં ઘણીવાર ડાયનેમિક પ્રાઇસિંગને કારણે ફેરમાં ભારે અનિશ્ચિતતા રહેતી હોય છે. જો કે, ભારત ટેક્સીએ આ માળખું સ્થિર અને પારદર્શક રાખ્યું છે. આનો મુસાફરોને સીધો ફાયદો થઈ રહ્યો છે અને તેઓ સરેરાશ 15% ઓછું ભાડું ચૂકવી રહ્યા છે. ગ્રાહકો અને ડ્રાઇવરોના આ ’વિન-વિન’ મોડલ અંગે ડ્રાઇવર જનક બારોટ કહે છે કે, “અહીં શૂન્ય કમિશન છે અને ચૂકવણી સીધી અમારા ખાતામાં થાય છે; અમને એક માલિક હોવાનો અનુભવ થાય છે. અન્ય કંપનીઓ ₹30/કિમી ભાડું વસૂલે છે, જેની સરખામણીમાં અમે ગ્રાહકો પાસેથી ₹17-18 ભાડું લઈ રહ્યા છીએ, જે તેમના માટે પણ ફાયદાકારક છે. ભવિષ્યમાં સંસ્થાના વિસ્તરણ સાથે અમને પેન્શન અને વીમા જેવી યોજનાઓનો લાભ પણ મળશે.” ગુજરાતમાં 1 લાખ સહિત દેશભરમાં 6 લાખથી વધુ ડ્રાઇવરો અને 35 લાખથી વધુ ઍપ ડાઉનલોડ્સની સાથે ભારત ટેક્સી ઝડપથી એક મજબૂત રાષ્ટ્રીય પ્લેટફોર્મ બની રહી છે. અમદાવાદ અને સુરતમાં જબરદસ્ત સફળતા મેળવ્યા પછી, હવે વડોદરા આ કંપનીના વિસ્તારનું આગામી મુખ્ય કેન્દ્ર છે. પોતાની જમીની સ્તરની હાજરીને વધુ મજબૂત કરવા માટે ઈંઝ પાર્ક, હાઉસિંગ સોસાયટીઓ અને એરપોર્ટ જેવા ઉચ્ચ આવાગમનવાળા વિસ્તારોમાં વપરાશકર્તાઓ સાથે સીધા જોડાવા માટે કંપની ‘બિલો ધ લાઇન’ (ઇઝક)ની વ્યૂહરચના અપનાવી રહી છે, જે તેને એક જનકેન્દ્રિત બ્રાન્ડ બનાવે છે. અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રેસિડેન્ટ અજય કુમાર ગુપ્તાએ આ સરળ પ્રક્રિયા અંગે જણાવ્યું કે, ગ્રાહકોને એ બાબત ખૂબ આકર્ષિત કરે છે કે, આ ‘આપણા ભારતની કંપની’ છે અને તેમાં ડ્રાઇવરો પાસેથી કોઈ કમિશન લેવામાં નથી આવતું. તમામ ડ્રાઇવરોને મારી અપીલ છે કે તેઓ આની સાથે જોડાય. આની પ્રક્રિયા એટલી સરળ છે કે, એપ્લિકેશન પર દસ્તાવેજો સબમિટ કર્યાના માત્ર 12 જ કલાકમાં મંજૂરી મળી જાય છે. સેવા ઉપરાંત મુસાફરોની સુરક્ષા માટે પણ આ પ્લેટફોર્મ અભેદ્ય બન્યું છે. સલામતી અને ટેક્નોલોજીના અજોડ મિશ્રણ તરીકે ગુજરાત પોલીસ સાથે તેનું સીધું જઘજ સંકલન (ઇન્ટિગ્રેશન) કરવામાં આવ્યું છે, જે મુસાફરો અને ડ્રાઇવરો માટે ’સુરક્ષા કવચ’ તરીકે કાર્ય કરે છે. વધુમાં, સોમનાથ અને દ્વારકા જેવા પવિત્ર યાત્રાધામો માટે એક સમર્પિત રૂટ કનેક્ટિવિટીના કારણે ભારત ટેક્સી માત્ર શહેરી પરિવહન સુધી સીમિત ન રહેતા, શ્રદ્ધાળુઓની આસ્થા અને વિશ્વાસની સારથિ પણ બની ગઈ છે. સેવાની ગુણવત્તા અને વ્યવસાયિકતા જાળવી રાખવા માટે અત્યાર સુધીમાં 10,000થી વધુ ડ્રાઇવરોને ડિજિટલ સાક્ષરતા અને સોફ્ટ સ્કિલ્સની વ્યાપક તાલીમ આપવામાં આવી છે. મેટ્રો, ૠજછઝઈ (એસ.ટી.) અને એરપોર્ટ ઓથોરિટી સાથેની તેની ’ઇન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ સિસ્ટમ’ એ ગુજરાતમાં મુસાફરીના આખી પદ્ધતિને એક અત્યંત સરળ અને આધુનિક અનુભવમાં પરિવર્તિત કરી દીધી છે.



