મોંઘવારીને કાબૂમાં મેળવવાના ભાગરૂપે કેન્દ્રનો નિર્ણય
ખાસ-ખબર સંવાદદાતા
કૂદકેને ભૂસકે વધી રહેલી મોંઘવારીએ સામાન્ય માણસોનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે. વધતા ભાવથી ઘરના બજેટ ખોરવાયા છે. સરકાર જો કે મોંઘવારીને કાબૂમાં કરવાના ભરપૂર પ્રયત્નો કરી રહી છે. પહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને કાબૂમાં કરવા માટે એકસાઈઝ ડૂટી ઘટાડી, ત્યારબાદ ખાધ તેલ અને ઘઉ પછી હવે ખાંડ ઉપર મોટો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારે પહેલા ઘઉની નિકાસ પર પ્રતિબધં લગાવ્યો અને હવે પહેલી જૂનથી ખાંડની નિકાસ પર પ્રતિબધં લગાવ્યો છે. ડીજીએફટી દ્રારા આ અંગે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું.
- Advertisement -
નોટિફિકેશનમાં પ્રતિબંધના કારણનો ઉલ્લેખ કરતા ડીજીએફટી સંતોષ કુમાર સારંગી તરફથી જણાવવામાં આવ્યું છે કે ઘરેલુ બજારમાં ભાવ સ્થિર રહે અને ખાંડ સરળતાથી લોકોને ઉપલબ્ધ થઈ શકે તે માટે સરકારે આ નિર્ણય
લીધો છે.
નોટિફિકેશન મુજબ દરેક પ્રકારની ખાંડ જેમાં કાચી, રિફાઈન, અને સફેદનો સમાવેશ થાય છે તેની નિકાસ પર પ્રતિબધં મૂકાયો છે. જો કે અહીં સીએકસએલ અને ટીઆરકયૂ કોટા હેઠળ યુરોપિયન યુનિયન અને સંયુકત રાય અમેરિકાને અપવાદ રખાયા છે. જેમાં મર્યાદિત કોટામાં ખાંડ નિકાસ કરાય છે. ગ્રાહક મામલાના મંત્રાલય તરફથી આ અંગે જાણકારી અપાઈ છે.