By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    30 minutes ago
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    3 hours ago
    હોર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પ જોતા રહી ગયા અને ભારત-રશિયાએ બાજી પલટી, 3 વર્ષનો રેકોર્ડ તૂટ્યો!
    3 hours ago
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    3 days ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગ્રામીણ ભારતની મહિલાઓ માટે સાયબર સુરક્ષા કવચ: રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારત સરકાર દ્વારા ‘ઇ-સેફહર’ લોન્ચ
    22 minutes ago
    સતત 4 જીત બાદ હારી રાજસ્થાન: હૈદરાબાદ તરફથી ડેબ્યુ પર સાકિબ અને પ્રફુલ્લે 4-4 વિકેટ ઝડપી
    29 minutes ago
    બિહારમાં CM પદેથી નિતિશના રામ-રામ…સમ્રાટ બનશે સરતાજ
    41 minutes ago
    દિલ્હીથી દેહરાદૂન એક્સપ્રેસ હાઇવે! PM મોદીએ એશિયાનો સૌથી લાંબો વાઈલ્ડલાઈફ કોરિડોરનું કર્યું લોકાર્પણ
    3 hours ago
    બિહાર માટે જે શક્ય હતું તે કર્યું: અંતિમ કેબિનેટ બેઠકમાં ભાવુક થયા નીતિશ કુમાર, આજે જ આપશે રાજીનામું
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    3 hours ago
    ‘વીડિયો ડિલીટ કરી દે…’, યુજવેન્દ્ર ચહલની ટીમે તાનિયાને કરી રિક્વેસ્ટ, એક્ટ્રેસનો નવો આરોપ
    3 hours ago
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    3 days ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    4 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    4 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    5 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    4 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આર્ય સંતાનો સાવધાન: માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ગુંજ્યો સંસ્કાર અને સંયમનો સંદેશ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > આર્ય સંતાનો સાવધાન: માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ગુંજ્યો સંસ્કાર અને સંયમનો સંદેશ
રાજકોટ

આર્ય સંતાનો સાવધાન: માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ગુંજ્યો સંસ્કાર અને સંયમનો સંદેશ

Khaskhabar Editor
Last updated: 2026/04/14 at 4:31 PM
Khaskhabar Editor 19 minutes ago
Share
5 Min Read
SHARE

માનવ ઉત્કર્ષ મહોત્સવમાં હૈયે હૈયું દળાય એટલી મેદની ઉમટી – રેસકોર્સ ગ્રાઉન્ડ ટૂંકું પડ્યું

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14

- Advertisement -

ઇઅઙજ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત ભવ્ય ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’ના ત્રીજા દિવસે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે હજારોની ઉપસ્થિતિમાં સંસ્કાર, સંયમ અને ચારિત્ર્યનો પ્રભાવશાળી સંદેશ ગુંજ્યો હતો. આર્ય સંતાનો સાવધાન વિષય પર પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ પોતાના પ્રવચન દ્વારા યુવાનોને જીવનમૂલ્યો તરફ જાગૃત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આધ્યાત્મિકતા અને પ્રેરણાનો અનોખો માહોલ સર્જાયો હતો.
કાર્યક્રમની શરૂઆત સંસ્થાના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં ધૂન-પ્રાર્થના અને વૈદિક પૂજનવિધિથી કરવામાં આવી હતી, ત્યારબાદ આરતી અને દીપ પ્રાગટ્યથી વાતાવરણમાં ભક્તિભાવ છવાઈ ગયો હતો. મહોત્સવમાં પધારનાર શ્રોતાજનોનું એકાદશી નિમિત્તે ફરાળી પ્રસાદકિટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. યુવાવૃંદ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રેરક પ્રસ્તુતિએ પણ સૌને અભિભૂત કર્યા હતા.
પૂ. અપૂર્વમુનિ સ્વામીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે રાજકોટનું રેસકોર્સ મેદાન માત્ર મનોરંજનનું સ્થળ નથી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તે મનોપરિવર્તનનું શાશ્વત કેન્દ્ર બની ગયું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આજના સમયમાં યુવાનો માટે સૌથી મોટો પડકાર પોતાનું ચારિત્ર્ય જાળવવાનો છે. ભૌતિક સુખસગવડો વચ્ચે સંસ્કાર અને સંયમ જાળવવા અત્યંત જરૂરી છે. તેમણે જણાવ્યું કે માત્ર સગવડો આપવાથી સંતાનનો વિકાસ થતો નથી, પરંતુ સાવધાની અને સંસ્કારનું શિક્ષણ આપવું પણ એટલું જ આવશ્યક છે.
સ્વામીએ વધુમાં જણાવ્યું કે આજના યુગમાં ટેક્નોલોજી અને સુવિધાઓનો વધતો પ્રભાવ હોવા છતાં આધ્યાત્મિકતા અને આંતરિક વિકાસનું મહત્વ ઓછું થવું જોઈએ નહીં. અઈં કરતાં જઈં એટલે કે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ વધુ મહત્વપૂર્ણ છે. તેમણે ચેતવણી આપી કે મોબાઇલ અને શોર્ટકટની દોડમાં યુવાનો પોતાનું ભવિષ્ય જોખમમાં મૂકી રહ્યા છે, તેથી માતા-પિતાએ સંતાનોને યોગ્ય દિશા આપવી જરૂરી છે.
વક્તવ્ય દરમિયાન સ્વામીએ અર્જુન, રાણી લક્ષ્મીબાઈ અને ચાણક્ય જેવા આદર્શ પાત્રોના ઉદાહરણો આપી યુવાનોને સંસ્કારયુક્ત જીવન જીવવાની પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું કે આપણા દેશનો ગૌરવશાળી ઈતિહાસ અને સંસ્કૃતિ આપણને ઉન્નતિનો સાચો માર્ગ બતાવે છે અને તેને વિસરવું નહીં જોઈએ.
કાર્યક્રમનું વિશેષ આકર્ષણ સત્સંગદીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોનું મુખપાઠ કરનારા રાજકોટના આશરે 400 બાલ-બાલિકાઓનું ભવ્ય સન્માન રહ્યું હતું. બાળકો દ્વારા ગવાયેલા પવિત્ર શ્લોકોએ સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર બનાવી દીધું હતું. આ પ્રસંગે પૂ. સ્વામીએ જણાવ્યું હતું કે કોણ કહે છે કળિયુગ ચાલે છે, અહીં તો સતયુગનો અનુભવ થઈ રહ્યો છે.
અંતમાં પૂ. અપૂર્વમુનિ સ્વામીએ આવતીકાલે યોજાનારા સત્ય સનાતન દેશ હૈ મેરા વિષયક કાર્યક્રમમાં સૌએ ઉપસ્થિત રહી જીવનને નવી દિશા આપવા માટે હાર્દિક આમંત્રણ આપ્યું હતું. આ રીતે ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ સમાજમાં સંસ્કાર જાગૃતિ લાવતું પ્રેરણાસ્ત્રોત બની રહ્યું છે.

પ્રદર્શન ખંડના કલાત્મક દ્રશ્યો અને શ્ર્લોકો આકર્ષણનું કેન્દ્ર બન્યા

આ મહોત્સવનું વિશેષ આકર્ષણ છે- માનવ ઉત્કર્ષ પ્રદર્શન ખંડ. જે માત્ર પ્રદર્શન નથી પરંતુ જીવનને નવી દિશા આપતું પ્રેરણાસ્થળ છે. અહીં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસને સરળ, વૈજ્ઞાનિક અને પ્રેરણાદાયી રીતે રજૂ કરવામાં આવ્યો છે. કલાત્મક દૃશ્યો, પ્રેરણાત્મક શ્લોકો અને આધુનિક વિજ્ઞાનના તથ્યોનો અદભૂત સમન્વય દર્શકોને વિચારી લેવા મજબૂર કરે છે.
પ્રદર્શન ખંડમાં શારીરીક જાગૃતિને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. યોગાસન, સૂર્યનમસ્કાર અને વોકિંગ જેવી સરળ પરંતુ અસરકારક જીવનશૈલી અપનાવવા પ્રેરણા આપવામાં આવે છે. સાથે સાથે માનવ શરીરના આશ્ચર્યજનક તથ્યો પણ અહીં રસપ્રદ રીતે રજૂ કરવામાં આવ્યા છે. જેમ કે લીવર પોતાની જાતે પુન:સર્જન કરવાની અનોખી ક્ષમતા ધરાવે છે, માણસની આંખ વર્ષ દરમિયાન લાખો વખત ઝબકે છે અને એક વ્યક્તિ દિવસમાં આશરે 25,000 શ્વાસ લે છે.
આ ઉપરાંત, શાકાહારના મહત્વને વૈજ્ઞાનિક આધાર સાથે સમજાવવામાં આવ્યું છે, જે સ્વાસ્થ્યપ્રદ જીવન તરફ દોરી જાય છે. વ્યસનમુક્તિ અને સકારાત્મક જીવનમૂલ્યોને પ્રોત્સાહન આપતી માહિતી દર્શકોને અંદરથી સ્પર્શે છે.ખાસ વાત એ છે કે આ પ્રદર્શનની સમજણ નાના બાળકો દ્વારા સરળ અને અસરકારક રીતે આપવામાં આવે છે. તેમની નિર્દોષ રજૂઆત અને સ્પષ્ટ સમજાવટ દર્શકોને ખાસ આકર્ષે છે અને પ્રદર્શનને જીવંત બનાવે છે. માનવ ઉત્કર્ષ મહોત્સવનો મુખ્ય હેતુ માત્ર માહિતી આપવાનો નથી, પરંતુ દરેક વ્યક્તિને પોતાના શરીર, મન અને આત્મા પ્રત્યે જાગૃત બનાવી, તંદુરસ્ત અને સુખી જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો છે. રાજકોટવાસીઓ માટે આ મહોત્સવ એક અનોખો અવસર છે, જ્યાં જ્ઞાન, પ્રેરણા અને આધ્યાત્મિકતા એકસાથે અનુભવવા મળે છે. આથી મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર સાથે આવી આ પ્રદર્શનનો લાભ લઈ રહ્યા છે અને તેને શહેરનું હોટ ફેવરિટ આકર્ષણ બનાવી રહ્યા છે.

- Advertisement -

You Might Also Like

શ્રી બાલાજી હનુમાનજીને ચલણી નોટોનો દિવ્ય શણગાર; દાદાના અલૌકિક સ્વરૂપને નિહાળવા ઉમટ્યા ભક્તો

રાજકોટમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજવણી: શોભાયાત્રા નીકળી

રાજકોટમાં સુરક્ષિત માતૃત્વ માટે મહાઅભિયાન: 350થી વધુ આરોગ્યકર્મીને વિશેષ તાલીમ અપાઇ

ડૉકટરોનો સફેદ કોટ, સમાજના અતૂટ વિશ્ર્વાસ અને જવાબદારીનું પ્રતીક: રાષ્ટ્રપતિ દ્રોપર્દી મુર્મુ

રાજકોટમાં કૉંગ્રેસનું ‘મિશન અજ્ઞાત’: ભાજપના બિનહરીફ પ્લાન સામે કોંગ્રેસની કિલ્લેબંધી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગ્રામીણ ભારતની મહિલાઓ માટે સાયબર સુરક્ષા કવચ: રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારત સરકાર દ્વારા ‘ઇ-સેફહર’ લોન્ચ
Next Article અક્ષય તૃતીયાએ ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામનું પ્રાગટ્ય: ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

દારૂના દરોડામાં 7.78 લાખના મુદ્દામાલ સાથે કાર ઝડપાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
વેરાવળમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતી ઉજવાઈ: વિશાળ શોભાયાત્રા નીકળી
જૂનાગઢમાં 15 વર્ષથી ઓળખ છુપાવીને રેહતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ: નિયમાનુસાર ડિપોર્ટ કરવા તજવીજ હાથ ધરી
જૂનાગઢમાં 40.07 અને ગિરનાર પર્વત પર 42 ડિગ્રી તાપમાન સાથે ‘અગનભઠ્ઠી’ જેવો માહોલ
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધનો મોરબી પર કહેર એક જ મહિનામાં ₹7,000 કરોડનો ફટકો
અક્ષય તૃતીયાએ ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામનું પ્રાગટ્ય: ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

શ્રી બાલાજી હનુમાનજીને ચલણી નોટોનો દિવ્ય શણગાર; દાદાના અલૌકિક સ્વરૂપને નિહાળવા ઉમટ્યા ભક્તો

Khaskhabar Editor Khaskhabar Editor 23 minutes ago
રાજકોટ

રાજકોટમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજવણી: શોભાયાત્રા નીકળી

Khaskhabar Editor Khaskhabar Editor 24 minutes ago
રાજકોટ

રાજકોટમાં સુરક્ષિત માતૃત્વ માટે મહાઅભિયાન: 350થી વધુ આરોગ્યકર્મીને વિશેષ તાલીમ અપાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 25 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?