By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    2 days ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    2 days ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    3 days ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    3 days ago
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોને-કેટલો ચઢાવો ગયો? બધું જ જાહેર કરીશ: ગદ્દાર કહેનારાઓ પર હરભજન સિંઘનો પલટવાર
    2 days ago
    યુદ્ધથી ભારતને 2.1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડવાનું જોખમ
    2 days ago
    ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારીમાં અમેરિકા: રિપોર્ટ
    2 days ago
    પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું
    2 days ago
    વધતી કિંમતો વચ્ચે શું દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે? ઓઈલ કંપનીઓએ આપી લેટેસ્ટ અપડેટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
    2 days ago
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    2 days ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    3 days ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    3 days ago
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અક્ષય તૃતીયાએ ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામનું પ્રાગટ્ય: ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > અક્ષય તૃતીયાએ ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામનું પ્રાગટ્ય: ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર
Author

અક્ષય તૃતીયાએ ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામનું પ્રાગટ્ય: ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર

Khaskhabar Editor
Last updated: 2026/04/14 at 4:33 PM
Khaskhabar Editor 1 month ago
Share
6 Min Read
SHARE

વૈશાખ સુદ ત્રીજના રોજ ઋષિ જમદગ્નિ અને માતા રેણુકાના ઘરે પાંચમા પુત્ર તરીકે અવતરણ, સાત ચિરંજીવીઓમાં સ્થાન

ભીષ્મ, દ્રોણ અને કર્ણના મહાગુરુ: પરશુરામજીએ ભેટમાં આપેલું ‘પરશુ’ ગણપતિજી વિઘ્નહર્તા ધારણ કરે છે

- Advertisement -

ઋષિ જમદગ્નિ અને રેણુકાના પાંચમાં પુત્ર તરીકે વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયા ના રોજ ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામ નું અવતરણ થયેલું તેઓ વિષ્ણુના છઠ્ઠા અવતાર ગણાય છે. તેઓ અત્યંત સનિષ્ઠ પરાક્રમી હતા. ભગવાન પરશુરામના જીવંત જીવન રહસ્યો અનેક છે. જે આજે પણ અજર-અમર છે. તેઓ શાસ્ત્રો અને શસ્ત્ર વિદ્યાના પારંગત હતા. કહેવાય તેઓ ક્રોધિત હતા પણ ખરેખર ખુબ સોમ્ય, પરોપકારી, ભક્તોના ઉધારક છે. જયારે જયારે પૃથ્વી પર અધર્મી ઓનો ત્રાસ વધ્યો ત્યારે ત્યારે ભગવાન પરશુરામ તેઓના સંહાર કરવા માટે ઉતરી આવ્યા છે. આપણા શાસ્ત્રો અને ધર્મ અનુસાર જે સાત (7) ચિરંજીવીઓ છે. જેમાં ભગવાન પરશુરામ ચિરંજીવી છે. જે સાત ચિરંજીવી છે તે (1) હનુમાનજી (2) મહર્ષિ પરશુરામ (3) અશ્વત્સ્થામા (4) ઋષિ માર્કન્ડેય (5) મહર્ષિ વેદ વ્યાસ (6) કૃપાચાર્ય (7) જામવંત આજના શુભ દિવસે ભગવાન પરશુરામ ની જન્મ જયંતિ હોય ત્યારે આ શુભ અવસરે સમગ્ર હિંદુ સમાજ તેમને યાદ-વંદન કરીને તેમની પૂજન અર્ચન કરે છે. સાથે-સાથે તેનું શસ્ત્ર “પરશુ” પણ પૂજન અર્ચન કરે છે. આજના દિવસે સમગ્ર બ્રાહ્મણ પરિવાર તેમની ખાસ પૂજન અર્ચન કરીને ધન્યતા અનુભવે છે. અને તેમની કૃપા દ્રષ્ટિ મેળવે છે. “ભગવાન પરશુરામની અનેક અજર અમર કથાઓ છે” કહેવાય છે કે ભગવાન ગણપતિ જે તેમના હાથમાં પરશુ રાખે છે તે પણ અજર અમર ભગવાન પરશુરામજીએ તેમને પ્રસન્ન થઇ ભેટમાં આપેલ છે.તેઓએ અનેક યોદ્ધાઓને શસ્ત્ર અને શાસ્ત્ર ની વિદ્યા આપી છે જેમાં ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય અને કર્ણનો સમાવેશ થાય છે. કર્ણને વિદ્યા આપ્યા બાદ તેને એક વાત કહેલ કે “જયારે તારે વિદ્યાની જરૂર પડશે ત્યારે જ તું તારી વિદ્યા ભૂલી જશે.” અને દાનવીર કર્ણ નું મૃત્યુ થયેલું તે વાત પણ આપ સર્વેને વિદિત છે જ . ભગવાન પરશુરામ કામધેનું ગાય પાછી લાવ્યાની વાત પણ ખુબ તેજોમય છે. જે જાણવા જેવી છે. પૃથ્વીપર સહસ્ત્રાર્જુન નામે રાજા હતો. તે ખુબ શક્તિશાળી અને બળવાન હતો. ભગવાન દત્તાત્રેયજી પાસેથી તેમને એક હજાર હાથનું વરદાન મળ્યું હતું જેના કારણે તેમને તેમની શક્તિનો ખુબ ઘમંડ અને અભિમાન હતું. ત્યારે વરુણ દેવે અભિમાની સહસ્ત્રાર્જુન ને કહ્યું કે આ પૃથ્વી પર તમારા કરતા પણ ખુબ શક્તિશાળી યોધ્ધા છે. જેનું નામ પરશુરામ છે. આ સાંભળી અભિમાની સહસ્ત્રાર્જુન પરશુરામજીને શોધવા નીકળ્યા અને તેના આશ્રમે પહોચ્યા ત્યાં પહોચતા અજર અમર પરશુરામજી હાજર ના હોય તેમના પિતા જમદગ્નિ અને માતા રેણુકાજીએ તેમનું રાજાને ઉચિત સ્વાગત કર્યું તેમને ભાત-ભાતના ભોજન અને મિષ્ટાન જમાડ્યા આટલા 32 ભાતના ભોજનીયા જોઈ રાજાને થયું આ ઋષિના આશ્રમમાં આટલા પકવાન કઈ રીતે? ત્યારે તેમણે જમદગ્નિને પૂછ્યું તો જમદગ્નિપાસે કામધેનું ગાય હોવાની વાત સાંભળી અને તે બધી ઈચ્છાઓ પૂર્ણ કરતી હતી.લાલચ અને લોભમાં તે ઋષિની ઈચ્છા વિરુદ્ધ બળજબરીથી કામધેનું ગાયને પોતાની સાથે લઇ ગયો પરશુરામજી જયારે આશ્રમે પરત ફર્યા ત્યારે વાછરડાઓ દુ:ખથી વિલખતા જોયા અને માતાજી પાસેથી સમગ્ર વાત સાંભળી ગુસ્સે થઈને પોતાના શસ્ત્રો લઇ સહસ્ત્રાર્જુન ને કહ્યું આવું અધમ કૃત્ય ન કર પવિત્ર ગાય કોઈની પણ ના લેવાય ગાય પરત કર, પણ સહસ્ત્રાર્જુન એક ના બે ન થતા ભયંકર યુદ્ધ થયું ભગવાન શિવજીના આશીર્વાદ હોવાથી પરશુરામજીએ સહસ્ત્રાર્જુન નો વધ કર્યો અને કામધેનું ગાયને તેના કેદમાંથી છોડાવી આશ્રમે પરત લઇ આવ્યા . આવી અનેક તેની અજર અમર કથાઓ છે. તેઓ તેમને તેમના તપ બળથી ભગવાન શિવ પ્રસન્ન થયેલ અને ભગવાન શિવે તેમને પરશુ (શસ્ત્ર) અર્પણ કરેલ. તેઓ ધનુવિદ્યાના સર્વોતમ ગુરુ હતા. શ્રેષ્ઠ દાનવીર હતા ભગવાન પરશુરામ યોગ,વેદ અને નીતિ રીતિના પારંગત હતા આમ ભગવાન પરશુરામ ચિરંજીવ,શોર્યતા અને જ્ઞાનનું પ્રતિક છે. અજર અમર છે.ભગવાન પરશુરામ ની કૃતિ નજર સમક્ષ આવે તો વિકરાળ સ્વરૂપ ક્રોધ રૂપી ચહેરો માનસપટ પર છવાઈ જાય, પરંતુ ખરેખર તો ભગવાન પરશુરામ એક મૃદુ, લાગણી શીલ સહિષ્ણું ઋષિ છે. ભગવાન પરશુરામ તપ, સંયમ, શક્તિ, પરાક્રમ, કર્તવ્ય, સેવા, પરોપકારના આદર્શ પ્રતિક છે. અખાત્રીના શુભ દિને બદ્રીધામના દ્વાર પણ ખુલે છે અને જીવનને મોક્ષ તરફ લઇ જનારી ચારધામની યાત્રાની શરૂઆત થાય છે. આજના દિવસે વિવાહ, વેપાર, ગૃહ પ્રવેશ, નવી ખરીદી વગેરે શુભ કાર્યો માટે વણ જોયું મુહુર્ત માનવામાં આવે છે.આજના દિવસને “યુગાદી તિથી” પણ માનવામાં આવે છે ભગવાન પરશુરામ અજર અમર હોવાથી મંદિરો બહુ ઓછા છે. નવ સ્થાપિત મંદિરોમાં રાજકોટ માં છે. લીંબડી હાઇવે પર છે. મોરબી ખાતે પણ સ્થાપના થયેલ છે. આ મંદિરે અનેક લોકો પૂજન-અર્ચન કરી માથું ટેકવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. પરશુરામજી ની અનેક અજર અમર કથાઓ જીવંત છે આજના દિવસે સૌ પ્રાર્થના કરીએ કે આપ અમોને અમારું જીવન પૂર્વ વ્રત કરો… પ્રભુ સમગ્ર હિંદુ સમાજ ભગવાન પરશુરામને શોર્ય – વીરતાના પ્રતિક તરીકે અખાત્રીજના પરમ્પરાગત પરશુરામ જયંતિ ધામધૂમ પૂર્વક -હર્ષોલ્લાસથી ઉજવે છે. પરશુરામ બ્રહ્મ તેજને એક અલગ પ્રકારે ક્ષાત્ર તેજ સાથે સંમીલિત કરી વિશિષ્ટ ઓળખ બક્ષનાર મહાપુરુષ તરીકે ઇતિહાસમાં જગવિખ્યાત છે. આમ ભગવાન પરશુરામની જન્મ જયંતિએ સૌ તન મન બુદ્ધિ અને અહંકારનું શુધ્ધિકરણ કરીને ભગવાનને પામીએ, આવા વીર બ્રાહ્મણ આજ્ઞાંકિત,પિતૃભક્ત, માતૃભક્ત એવા તેજસ્વી નીડર, બળવાન શ્રી પરશુરામજીના ચરણ કમળમાં શત …શત…નમન… હર…હર…મહાદેવ…,જય… જય…પરશુરામ…

ઓમ જામદ્ગ્નાય વિધમહે,
મહાવીરાય ધીમહિ,
તન્નો પરશુરામ પ્રચોદયાત !

You Might Also Like

સ્વામી સચ્ચિદાનંદનું નવું દળદાર પુસ્તક ‘સંત પુનિતનો જીવનસંઘર્ષ’

વિકાસ નામનો ગર્ભનિરોધક અને જર્મનીનો કેસ સ્ટડી

ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!

મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે

તકને ઓળખો: જે લોકો કપાળે હાથ દઈને, તકની રાહ જોતા બેસી રહે છે, એના નસીબમાં આખરે તો કપાળ કૂટવાનું જ આવે છે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આર્ય સંતાનો સાવધાન: માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ગુંજ્યો સંસ્કાર અને સંયમનો સંદેશ
Next Article ઈરાન-ઈઝરાયેલ યુદ્ધનો મોરબી પર કહેર એક જ મહિનામાં ₹7,000 કરોડનો ફટકો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

સ્વામી સચ્ચિદાનંદનું નવું દળદાર પુસ્તક ‘સંત પુનિતનો જીવનસંઘર્ષ’

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
વિકાસ નામનો ગર્ભનિરોધક અને જર્મનીનો કેસ સ્ટડી
ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!
મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે
તકને ઓળખો: જે લોકો કપાળે હાથ દઈને, તકની રાહ જોતા બેસી રહે છે, એના નસીબમાં આખરે તો કપાળ કૂટવાનું જ આવે છે
કરેલાં કર્મોનું ફળ ભોગવવું જ પડે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સ્વામી સચ્ચિદાનંદનું નવું દળદાર પુસ્તક ‘સંત પુનિતનો જીવનસંઘર્ષ’

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

વિકાસ નામનો ગર્ભનિરોધક અને જર્મનીનો કેસ સ્ટડી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?