By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    17 hours ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    17 hours ago
    અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
    17 hours ago
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    2 days ago
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતમાં વધતાં તાપમાનથી દર વર્ષે 56 કલાકની ઊંઘ થઈ રહી છે ગાયબ
    17 hours ago
    માનવસેવા એ જ પ્રભુસેવા : રથયાત્રા દરમિયાન યાત્રાળુઓ અને કર્મચારીઓની સેવા એ દૈવ સેવા સમાન છે : અનંત અંબાણી
    18 hours ago
    ડાયમંડ કિંગ ધીરૂ રામાણી માલીમાં ગુમ, 3 ભારતીયના અપહરણની શંકા
    18 hours ago
    હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
    2 days ago
    બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    18 hours ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    2 days ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    4 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    7 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    18 hours ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    2 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    3 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    4 days ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અક્ષય તૃતીયાએ ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામનું પ્રાગટ્ય: ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > અક્ષય તૃતીયાએ ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામનું પ્રાગટ્ય: ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર
Author

અક્ષય તૃતીયાએ ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામનું પ્રાગટ્ય: ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર

Khaskhabar Editor
Last updated: 2026/04/14 at 4:33 PM
Khaskhabar Editor 3 months ago
Share
6 Min Read
SHARE

વૈશાખ સુદ ત્રીજના રોજ ઋષિ જમદગ્નિ અને માતા રેણુકાના ઘરે પાંચમા પુત્ર તરીકે અવતરણ, સાત ચિરંજીવીઓમાં સ્થાન

ભીષ્મ, દ્રોણ અને કર્ણના મહાગુરુ: પરશુરામજીએ ભેટમાં આપેલું ‘પરશુ’ ગણપતિજી વિઘ્નહર્તા ધારણ કરે છે

- Advertisement -

ઋષિ જમદગ્નિ અને રેણુકાના પાંચમાં પુત્ર તરીકે વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયા ના રોજ ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામ નું અવતરણ થયેલું તેઓ વિષ્ણુના છઠ્ઠા અવતાર ગણાય છે. તેઓ અત્યંત સનિષ્ઠ પરાક્રમી હતા. ભગવાન પરશુરામના જીવંત જીવન રહસ્યો અનેક છે. જે આજે પણ અજર-અમર છે. તેઓ શાસ્ત્રો અને શસ્ત્ર વિદ્યાના પારંગત હતા. કહેવાય તેઓ ક્રોધિત હતા પણ ખરેખર ખુબ સોમ્ય, પરોપકારી, ભક્તોના ઉધારક છે. જયારે જયારે પૃથ્વી પર અધર્મી ઓનો ત્રાસ વધ્યો ત્યારે ત્યારે ભગવાન પરશુરામ તેઓના સંહાર કરવા માટે ઉતરી આવ્યા છે. આપણા શાસ્ત્રો અને ધર્મ અનુસાર જે સાત (7) ચિરંજીવીઓ છે. જેમાં ભગવાન પરશુરામ ચિરંજીવી છે. જે સાત ચિરંજીવી છે તે (1) હનુમાનજી (2) મહર્ષિ પરશુરામ (3) અશ્વત્સ્થામા (4) ઋષિ માર્કન્ડેય (5) મહર્ષિ વેદ વ્યાસ (6) કૃપાચાર્ય (7) જામવંત આજના શુભ દિવસે ભગવાન પરશુરામ ની જન્મ જયંતિ હોય ત્યારે આ શુભ અવસરે સમગ્ર હિંદુ સમાજ તેમને યાદ-વંદન કરીને તેમની પૂજન અર્ચન કરે છે. સાથે-સાથે તેનું શસ્ત્ર “પરશુ” પણ પૂજન અર્ચન કરે છે. આજના દિવસે સમગ્ર બ્રાહ્મણ પરિવાર તેમની ખાસ પૂજન અર્ચન કરીને ધન્યતા અનુભવે છે. અને તેમની કૃપા દ્રષ્ટિ મેળવે છે. “ભગવાન પરશુરામની અનેક અજર અમર કથાઓ છે” કહેવાય છે કે ભગવાન ગણપતિ જે તેમના હાથમાં પરશુ રાખે છે તે પણ અજર અમર ભગવાન પરશુરામજીએ તેમને પ્રસન્ન થઇ ભેટમાં આપેલ છે.તેઓએ અનેક યોદ્ધાઓને શસ્ત્ર અને શાસ્ત્ર ની વિદ્યા આપી છે જેમાં ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય અને કર્ણનો સમાવેશ થાય છે. કર્ણને વિદ્યા આપ્યા બાદ તેને એક વાત કહેલ કે “જયારે તારે વિદ્યાની જરૂર પડશે ત્યારે જ તું તારી વિદ્યા ભૂલી જશે.” અને દાનવીર કર્ણ નું મૃત્યુ થયેલું તે વાત પણ આપ સર્વેને વિદિત છે જ . ભગવાન પરશુરામ કામધેનું ગાય પાછી લાવ્યાની વાત પણ ખુબ તેજોમય છે. જે જાણવા જેવી છે. પૃથ્વીપર સહસ્ત્રાર્જુન નામે રાજા હતો. તે ખુબ શક્તિશાળી અને બળવાન હતો. ભગવાન દત્તાત્રેયજી પાસેથી તેમને એક હજાર હાથનું વરદાન મળ્યું હતું જેના કારણે તેમને તેમની શક્તિનો ખુબ ઘમંડ અને અભિમાન હતું. ત્યારે વરુણ દેવે અભિમાની સહસ્ત્રાર્જુન ને કહ્યું કે આ પૃથ્વી પર તમારા કરતા પણ ખુબ શક્તિશાળી યોધ્ધા છે. જેનું નામ પરશુરામ છે. આ સાંભળી અભિમાની સહસ્ત્રાર્જુન પરશુરામજીને શોધવા નીકળ્યા અને તેના આશ્રમે પહોચ્યા ત્યાં પહોચતા અજર અમર પરશુરામજી હાજર ના હોય તેમના પિતા જમદગ્નિ અને માતા રેણુકાજીએ તેમનું રાજાને ઉચિત સ્વાગત કર્યું તેમને ભાત-ભાતના ભોજન અને મિષ્ટાન જમાડ્યા આટલા 32 ભાતના ભોજનીયા જોઈ રાજાને થયું આ ઋષિના આશ્રમમાં આટલા પકવાન કઈ રીતે? ત્યારે તેમણે જમદગ્નિને પૂછ્યું તો જમદગ્નિપાસે કામધેનું ગાય હોવાની વાત સાંભળી અને તે બધી ઈચ્છાઓ પૂર્ણ કરતી હતી.લાલચ અને લોભમાં તે ઋષિની ઈચ્છા વિરુદ્ધ બળજબરીથી કામધેનું ગાયને પોતાની સાથે લઇ ગયો પરશુરામજી જયારે આશ્રમે પરત ફર્યા ત્યારે વાછરડાઓ દુ:ખથી વિલખતા જોયા અને માતાજી પાસેથી સમગ્ર વાત સાંભળી ગુસ્સે થઈને પોતાના શસ્ત્રો લઇ સહસ્ત્રાર્જુન ને કહ્યું આવું અધમ કૃત્ય ન કર પવિત્ર ગાય કોઈની પણ ના લેવાય ગાય પરત કર, પણ સહસ્ત્રાર્જુન એક ના બે ન થતા ભયંકર યુદ્ધ થયું ભગવાન શિવજીના આશીર્વાદ હોવાથી પરશુરામજીએ સહસ્ત્રાર્જુન નો વધ કર્યો અને કામધેનું ગાયને તેના કેદમાંથી છોડાવી આશ્રમે પરત લઇ આવ્યા . આવી અનેક તેની અજર અમર કથાઓ છે. તેઓ તેમને તેમના તપ બળથી ભગવાન શિવ પ્રસન્ન થયેલ અને ભગવાન શિવે તેમને પરશુ (શસ્ત્ર) અર્પણ કરેલ. તેઓ ધનુવિદ્યાના સર્વોતમ ગુરુ હતા. શ્રેષ્ઠ દાનવીર હતા ભગવાન પરશુરામ યોગ,વેદ અને નીતિ રીતિના પારંગત હતા આમ ભગવાન પરશુરામ ચિરંજીવ,શોર્યતા અને જ્ઞાનનું પ્રતિક છે. અજર અમર છે.ભગવાન પરશુરામ ની કૃતિ નજર સમક્ષ આવે તો વિકરાળ સ્વરૂપ ક્રોધ રૂપી ચહેરો માનસપટ પર છવાઈ જાય, પરંતુ ખરેખર તો ભગવાન પરશુરામ એક મૃદુ, લાગણી શીલ સહિષ્ણું ઋષિ છે. ભગવાન પરશુરામ તપ, સંયમ, શક્તિ, પરાક્રમ, કર્તવ્ય, સેવા, પરોપકારના આદર્શ પ્રતિક છે. અખાત્રીના શુભ દિને બદ્રીધામના દ્વાર પણ ખુલે છે અને જીવનને મોક્ષ તરફ લઇ જનારી ચારધામની યાત્રાની શરૂઆત થાય છે. આજના દિવસે વિવાહ, વેપાર, ગૃહ પ્રવેશ, નવી ખરીદી વગેરે શુભ કાર્યો માટે વણ જોયું મુહુર્ત માનવામાં આવે છે.આજના દિવસને “યુગાદી તિથી” પણ માનવામાં આવે છે ભગવાન પરશુરામ અજર અમર હોવાથી મંદિરો બહુ ઓછા છે. નવ સ્થાપિત મંદિરોમાં રાજકોટ માં છે. લીંબડી હાઇવે પર છે. મોરબી ખાતે પણ સ્થાપના થયેલ છે. આ મંદિરે અનેક લોકો પૂજન-અર્ચન કરી માથું ટેકવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. પરશુરામજી ની અનેક અજર અમર કથાઓ જીવંત છે આજના દિવસે સૌ પ્રાર્થના કરીએ કે આપ અમોને અમારું જીવન પૂર્વ વ્રત કરો… પ્રભુ સમગ્ર હિંદુ સમાજ ભગવાન પરશુરામને શોર્ય – વીરતાના પ્રતિક તરીકે અખાત્રીજના પરમ્પરાગત પરશુરામ જયંતિ ધામધૂમ પૂર્વક -હર્ષોલ્લાસથી ઉજવે છે. પરશુરામ બ્રહ્મ તેજને એક અલગ પ્રકારે ક્ષાત્ર તેજ સાથે સંમીલિત કરી વિશિષ્ટ ઓળખ બક્ષનાર મહાપુરુષ તરીકે ઇતિહાસમાં જગવિખ્યાત છે. આમ ભગવાન પરશુરામની જન્મ જયંતિએ સૌ તન મન બુદ્ધિ અને અહંકારનું શુધ્ધિકરણ કરીને ભગવાનને પામીએ, આવા વીર બ્રાહ્મણ આજ્ઞાંકિત,પિતૃભક્ત, માતૃભક્ત એવા તેજસ્વી નીડર, બળવાન શ્રી પરશુરામજીના ચરણ કમળમાં શત …શત…નમન… હર…હર…મહાદેવ…,જય… જય…પરશુરામ…

ઓમ જામદ્ગ્નાય વિધમહે,
મહાવીરાય ધીમહિ,
તન્નો પરશુરામ પ્રચોદયાત !

You Might Also Like

મર્ડર મિસ્ટ્રીના મહારાણી અગાથા ક્રિસ્ટીની વાર્તાઓનો આસ્વાદ

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા

શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ

જીવનસાથી સાથેના સંબંધનો સૂર્યાસ્ત !

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આર્ય સંતાનો સાવધાન: માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ગુંજ્યો સંસ્કાર અને સંયમનો સંદેશ
Next Article ઈરાન-ઈઝરાયેલ યુદ્ધનો મોરબી પર કહેર એક જ મહિનામાં ₹7,000 કરોડનો ફટકો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
PCB રાજકોટની ઐતિહાસિક સિદ્ધિ : માત્ર ચાર દિવસમાં ૨૪ ગેરકાયદે હથિયાર સાથે ૧૧ આરોપી ઝબ્બે
ગુજસીટોકમાં જેલમાંથી કબ્જો લેવાયેલા ફિરોઝ સહિતના 5 આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજુર
રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
ભારતમાં વધતાં તાપમાનથી દર વર્ષે 56 કલાકની ઊંઘ થઈ રહી છે ગાયબ
અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

મર્ડર મિસ્ટ્રીના મહારાણી અગાથા ક્રિસ્ટીની વાર્તાઓનો આસ્વાદ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?