અભિનેતા અલ્લુ અર્જુન હાલમાં ઘણા વિવાદોમાં ફસાયેલા છે. સંધ્યા થિયેટર નાસભાગ મામલે અલ્લુ અર્જુનની આજે પૂછપરછ થશે.
માહિતી અનુસાર, હૈદરાબાદ પોલીસે સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં અભિનેતા અલ્લુ અર્જુનને નવી નોટિસ પાઠવી હતી. આ નોટિસમાં અલ્લુ અર્જુનને ઘટનાના સંબંધમાં આજે 24 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. ચિક્કડપલ્લી પોલીસે અભિનેતાની કાનૂની ટીમને તેની હાજરી માટે આ નવી નોટિસ આપી છે.
- Advertisement -
નાસભાગમાં ગયો મહિલાનો જીવ, બાળક થયો ઘાયલ
ઉલ્લેખનીય છે કે અલ્લુ અર્જુન નાસભાગના મામલાને લઈને ચર્ચામાં છે. જ્યાં ‘પુષ્પા 2’ રીલીઝ પહેલા હૈદરાબાદના એક થિયેટરમાં સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને કલાકારો પણ ગયા હતા. દરમિયાન, નાસભાગ મચી ગઈ અને એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો, જેનો દોષ અભિનેતા પર નાખવામાં આવ્યો.
તેલંગાણાના સીએમ રેવંતે પણ આ માટે અલ્લુ અર્જુનને જવાબદાર ગણાવ્યો. જેના કારણે તેમણે એક રાત માટે જેલમાં પણ જવું પડ્યું હતું. આ ઘટનાએ હવે રાજકીય વળાંક લીધો છે. આ દરમિયાન મેકર્સે મહિલાના પરિવારને 50 લાખ રૂપિયાની રકમ પણ આપી છે.