By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    2 hours ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    2 hours ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    1 day ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    1 day ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શપથગ્રહણ સમયે મંચ પરથી PM મોદીએ માખનલાલ સરકારના ચરણસ્પર્શ કર્યા
    8 seconds ago
    બંગાળ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બન્યા સુવેન્દુ
    2 minutes ago
    PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
    51 minutes ago
    મહારાષ્ટ્રમાં રિક્ષાચાલકો માટે મરાઠીની કસોટી: 15% ડ્રાઈવરો ફેઈલ, જાણો હવે શું લેવાશે એક્શન?
    1 hour ago
    કેરલમમાં જીત બાદ કોંગ્રેસમાં CM પદ માટે ‘મહાભારત’! કાર્યકરોની ‘Only VD’ નારા સાથે હાઈકમાન્ડને ચેતવણી
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    2 hours ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    1 day ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    2 days ago
    IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH
    2 days ago
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 week ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઇશ્ર્વરને જોયાનો દાવો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Jagdish Acharya > ઇશ્ર્વરને જોયાનો દાવો
AuthorJagdish Acharya

ઇશ્ર્વરને જોયાનો દાવો

Khaskhabar Editor
Last updated: 2022/02/09 at 1:59 PM
Khaskhabar Editor 6 years ago
Share
6 Min Read
SHARE

અભણ ડોગોન આદિવાસીઓનું ખગોળશાસ્ત્રનું જ્ઞાન અચંબિત કરી દે તેવું…

જગદીશ આચાર્ય

શું પરગ્રહવાસીઓ કે દેવતાઓ પૃથ્વી પર આવ્યા હતા? આવતા રહે છે? એ પ્રશ્ર્ન સદીઓથી માનવજાતને મૂંઝવતો રહે છે. આપણા શાસ્ત્રો તો કહે જ છે કે દેવી-દેવતાઓ, અપ્સરાઓ, કિન્નરો, ગાંધર્વ, નારદ મુનિ વગેરે સ્વર્ગલોકમાંથી વારેવારે પૃથ્વી ઉપર આંટાફેરા કરી જતા હતા.

- Advertisement -

પણ આજે આપણે વાત કરવી છે પશ્ર્ચિમ આફ્રિકાના માલીના જંગલોમાં રહેતા ડોગોન નામના આદિવાસી કબીલાની. આ અદિવાસીઓનો દાવો છે કે સદીઓ પહેલાં તેમના દેવતા પૃથ્વી ઉપર આવ્યા હતા અને એ દેવતાઓએ તેમના પૂર્વજોને આકાશનું જ્ઞાન આપ્યું હતું. આપણે માણસો જ્યારે એવું માનતા હતા કે સૂર્ય પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે ત્યારે પણ આ આદિવાસીઓને એ ખબર હતી કે સૂર્ય પૃથ્વીની નહીં પણ પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે.ગુરુ ગ્રહના ચાર ઉપગ્રહો અને શનિના વલયો અંગે પણ આ આદિવાસીઓને જાણકારી હતી. તારાઓને ગ્રહો હોય અને ગ્રહોને ઉપગ્રહો હોય એ પણ ડોગોન વર્ષોથી જાણતા હતા.

1931માં ડો.માર્કેલ ગ્રેયુલ નામના એનથ્રોપોલોજીસ્ટે આ આદિવાસીઓને શોધી કાઢ્યા. ખગોળવિજ્ઞાનના તેમના જ્ઞાનથી ડો.માર્કેલ ચકિત થઈ ગયા. ડોગોન લોકો પાસે આપણા સૂર્ય કુટુંબ ઉપરાંત પૃથ્વીથી 8.6 પ્રકાશ વર્ષ દૂર આવેલા સાયરસ તારાં અંગે પણ જાણકારી હતી.

ડોગોનના સત્સંગથી ચકરાવે ચડેલા ડો.માર્કલે 1940માં ડો.ગેરમાઇન ડિટેરિયન નામની મહિલા એનથ્રોપોલોજીસ્ટ સાથે ડોગોન વસાહતમાં ધામા નાખ્યા.આદિવાસીઓએ એમને એવી માહિતી આપી કે સાયરસ તારાને ‘પો ટોલો’ નામનો એક સાથી તારો પણ છે. પો નો અર્થ તારો અને ટોલો એટલે નાનામાં નાનું બીજ.આધુનિક ખગોળશાસ્ત્ર એ તારાને સાયરસ ’બી’ નામે ઓળખે છે.આદિવસીઓ કહેતા કે પો ટોલો આકાશનો નાનામાં નાનો તારો છે. એ નાનો છે પણ નાગના બચ્ચા જેવો છે. નાનો હોવા છતાં એ અન્ય તારાઓ કરતાં અનેકગણું વજન ધરાવે છે. એ તારો પોતાની ધરી ઉપર દર 50 વર્ષે સાયરસ ’એ’ તારાનું પરિભ્રમણ પૂરું કરે છે.

- Advertisement -

ડોગોન તો એ પણ જાણતા હતા કે સાયરસ સ્ટાર સિસ્ટમમાં ‘એમ્મે યા’ નામનો એક ત્રીજો તારો પણ છે અને એ તારાને એક ઉપગ્રહ પણ છે. અભણ આદિવાસીઓને આ સ્ટાર સિસ્ટમની ખબર કેવી રીતે પડી તેવા ડો.માર્કેલના પ્રશ્નનો અદિવાસીઓએ જે જવાબ આપ્યો તેનાથી ભારે રોમાંચક રહસ્ય ખડું થવાનું હતું. ડોગોન ધર્મગુરુઓએ જણાવ્યું કે સદીઓ પહેલા એ ઉપગ્રહમાંથી ત્રણ પગ (વહીલ?) વાળા વીમાનમાં નોમોઝ નામના દેવતાઓ પૃથ્વી પર આવ્યા હતા.વિમાનના આગમન સમયે વીજળીના ચમકારા સાથે મેઘગર્જના જેવા ભયંકર અવાજ થયા હતા.વિમાન ઉતર્યું ત્યારે તેમાંથી નીકળેલા ચાર પગ વડે જમીનમાં ખાડો ખોદીને એમાં તરી શકે એટલું પાણી વિમાનમાંથી જ ઠાલવવામાં આવ્યું હતું.આ પ્રક્રિયા ચાલતી હતી ત્યારે આકાશમાં બીજો એક મોટો ચમકતો તારો(બીજું વિમાન?) દેખાયો હતો અને જેવા દેવતાઓ બહાર આવ્યા એ સાથે જ એ તારો અદ્રશ્ય થઈ ગયો હતો.દેવતાઓના શરીરનો ઉપરનો ભાગ માણસનો અને નીચેનો ભાગ માછલીનો હતો.એ જળ અને જમીન બંન્ને પર રહી શકતા હતા પણ જળમાં રહેવું એમને વધારે ગમતું હતું.આ દેવતાઓએ ડોગોનના પૂર્વજોને સાઇરસની માહિતી આપી હતી.અને એ પૂર્વજો ઉતરોતર પોતાના અનુગામીઓને એ માહિતી આપતા રહ્યા હતા.

ડોગોનની સાઇરસ અંગેની માહિતીથી દુનિયા અચંબિત થઈ ગઈ.કારણકે તેમાંની મોટાભાગની વાતો સાચી હતી.
હવે આપણે સાઇરસ અંગેની આધુનિક જાણકારી પર નજર ફેરવીએ.રાત્રે આકાશમાં જે સહુથી વધારે ચમકે છે એ તારો એટલે સાઇરસ તારો. પૃથ્વીથી એ 8.6 પ્રકાશવર્ષ દૂર છે.આપણા સૂર્ય કરતાં 2.2 ગણો મોટો છે.બમણું ઘનત્વ ધરાવે છે અને વીસ ગણો વધુ પ્રકાશમાન છે.કેન્સ મેજર નામે ઓળખાતા અને શ્વાનનો આકાર સર્જતા નક્ષત્રના મોઢામાં તેનું સ્થાન હોવાને કારણે એને ’ડોગ સ્ટાર’ તરીકે ઓળખવમાં આવે છે.

1862માં એલવિન ક્લાર્ક નામના ખગોળશાસ્ત્રીએ સાઇરસના સાથી તારાને શોધી કાઢ્યો હતો અને તેને સાઇરસ’બી’ નામ અપાયું હતું.આ સાઇરસ ’બી’ એટલે ડોગોનનો ’પો ટોલો’ તારો.
નરી આંખે ન દેખાતા આ તારાના પ્રકાશ કિરણોને 1920માં માઉન્ટ વિલ્સન પર ગોઠવવામાં આવેલા રાક્ષસી બાયનોક્યુલરમાં પ્રથમ વખત પકડી શકાયા હતા.ત્યારબાદ 1970માં યુ.એસ.નેવલ ઓબ્ઝર્વેટ્રીના ડો.ઇરવિંગ લેન્ડબ્લોડે તેની પ્રથમ તસવીર પાડી હતી.

એટલે કે 1862માં જે સાઇરસ તારાનું અસ્તિત્વ સાબિત થયું અને 1920માં જેના વિશે વિસ્તૃત માહિતી મળી તેના અંગે ડોગોન આદિવસીઓ સદીઓથી જાણતા હતા.
ડોગોન પાસેથી આ બધી માહિતી મેળવ્યા બાદ તજજ્ઞોએ “એ સુદાનીઝ સાઇરસ મિસ્ટ્રી” નામનું પુસ્તક બહાર પાડ્યું. તેને કારણે સનસનાટી મચી ગઇ.તે બુક વાંચીને અમેરિકાના પ્રખ્યાત ઇતિહાસકાર અને પુરાતત્વવીદ પ્રો.રોબર્ટ કે.જી.ટેમ્પલે ડોગોન વસાહતમાં થાણું જમાવ્યું.1977માં તેમણે “ધી સાઇરસ મિસ્ટ્રી” નામની બુક લખી. તે ખૂબ પ્રચલિત થઈ.દુનિયા આખીને ડોગોનમાં રસ પડ્યો.

જો કે આધુનીક ખગોળવિજ્ઞાનીઓ ડોગોનની વાત માનવા તૈયાર નહોતા.પ્રો.ટેમ્પલની ખૂબ ટીકા થઈ.પણ પ્રો.ટેમ્પલે જવાબ આપતાં જણાવ્યું કે સાઇરસ “બી” અસામાન્ય ઘનતા ધરાવે છે અને 49.9 વર્ષે સાઇરસ “એ” તારાની પ્રદક્ષિણા પુરી કરે છે એ સહિતની માહિતી ડોગોન આદિવાસીઓને આધુનિક વિજ્ઞાનીઓ કરતાં પણ પહેલાં કઇ રીતે ખબર પડી?
વિવાદ વધ્યો ત્યારે ડોગોન વચ્ચે વર્ષો વિતાવનાર મહિલા એનથ્રોપોલોજીસ્ટ ગ્રેમાઇન ડિટેનર્સ મેદાને પડ્યા.

બી.બી.સી.ટી.વી.ના હોરીઝોન પ્રોગ્રામમાં તેમણે સાઇરસ સ્ટાર સિસ્ટમનું સ્પષ્ટ નિર્દશન કરતું ડોગોન કબીલાનું 400 વર્ષ જૂનું ચિત્ર રજૂ કર્યું.બે ફ્રેંચ સંશોધકોએ એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રો ફિઝિક્સ નામના પ્રતિષ્ઠિત જર્નલમાં “ઈઝ સાઇરસ એ ટ્રીપલ સ્ટાર” નામનો લેખ લખીને સાઇરસ ’સી’ નામનો તારો હોવાની વાતને પુષ્ટિ આપ્યા બાદ ડોગોન અને તેમના દેવતા આજે પણ ચર્ચાનો વિષય બની રહ્યા છે.

ડોગોનનું નવું વર્ષ પણ સાઇરસ આધારિત હતું.ડોગોનના દેવતા જેવું વર્ણન અનેક ધર્મોમાં છે.બેબીલયનોના એનેડોટ્સ,ફિલિસ્તીનોના ઓએનિસ,ઇજીપશ્યનોની દેવી આઇસીસ અને એશિયા માઇનોર નિવાસીઓની દેવી કાઇબેલ પણ ડોગોનના દેવ જેવું જ સ્વરૂપ ધરાવે છે.ઝૂલેલાલ ભગવાનને પણ એ જ સ્વરૂપે કલ્પવામાં આવ્યા છે.ચીનાઓના દેવતા ફુક્સીને પણ માણસનું માથું અને માછલીની પૂંછડી હતી.અને આપણે હિંદુઓ પાસે તો ભગવાન વિષ્ણુનો એક અર્ધમત્સ્ય અવતાર જ છે.

You Might Also Like

બંગાળ અને મમતારાજ: કયા સે કયા હો ગયા!

મમતાના ગઢમાં ગાબડું, ભાજપનો ઐતિહાસિક ઉદય

જાદુનગરી સે આયા હૈ કોઈ જાદુગર

અલ્ગોરિધમનું તોફાન: માનવી હવે મશીનનો ગુલામ બનશે? વિચારવાની શક્તિ પર મોટો ખતરો

ધર્મના નામે છેતરપિંડી કરનારા નકલી સંતોથી સાવધાન: ‘સહજ-વિવેક’ પુસ્તકમાં પાખંડીઓનો પર્દાફાશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મેનોપોઝ અને આહાર
Next Article સુશાંત સારા અલીને પ્રપોઝ કરવાનો હતો?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

શપથગ્રહણ સમયે મંચ પરથી PM મોદીએ માખનલાલ સરકારના ચરણસ્પર્શ કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 8 seconds ago
બંગાળ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બન્યા સુવેન્દુ
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
મહારાષ્ટ્રમાં રિક્ષાચાલકો માટે મરાઠીની કસોટી: 15% ડ્રાઈવરો ફેઈલ, જાણો હવે શું લેવાશે એક્શન?
કેરલમમાં જીત બાદ કોંગ્રેસમાં CM પદ માટે ‘મહાભારત’! કાર્યકરોની ‘Only VD’ નારા સાથે હાઈકમાન્ડને ચેતવણી
કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

બંગાળ અને મમતારાજ: કયા સે કયા હો ગયા!

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Hemadri Acharya Dave

મમતાના ગઢમાં ગાબડું, ભાજપનો ઐતિહાસિક ઉદય

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

જાદુનગરી સે આયા હૈ કોઈ જાદુગર

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?