By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત
    22 hours ago
    ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
    1 day ago
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    2 days ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    3 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
    21 hours ago
    CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી
    21 hours ago
    વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહાસિંહ પર ફોડી ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી
    21 hours ago
    ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગવો જોઈએ: મેક્રોન
    21 hours ago
    દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં એરપોર્ટનું સર્વર ડાઉન
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    23 hours ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    1 day ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    2 days ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    3 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    24 hours ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    4 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    6 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઇશ્ર્વરને જોયાનો દાવો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Jagdish Acharya > ઇશ્ર્વરને જોયાનો દાવો
AuthorJagdish Acharya

ઇશ્ર્વરને જોયાનો દાવો

Khaskhabar Editor
Last updated: 2022/02/09 at 1:59 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

અભણ ડોગોન આદિવાસીઓનું ખગોળશાસ્ત્રનું જ્ઞાન અચંબિત કરી દે તેવું…

જગદીશ આચાર્ય

શું પરગ્રહવાસીઓ કે દેવતાઓ પૃથ્વી પર આવ્યા હતા? આવતા રહે છે? એ પ્રશ્ર્ન સદીઓથી માનવજાતને મૂંઝવતો રહે છે. આપણા શાસ્ત્રો તો કહે જ છે કે દેવી-દેવતાઓ, અપ્સરાઓ, કિન્નરો, ગાંધર્વ, નારદ મુનિ વગેરે સ્વર્ગલોકમાંથી વારેવારે પૃથ્વી ઉપર આંટાફેરા કરી જતા હતા.

- Advertisement -

પણ આજે આપણે વાત કરવી છે પશ્ર્ચિમ આફ્રિકાના માલીના જંગલોમાં રહેતા ડોગોન નામના આદિવાસી કબીલાની. આ અદિવાસીઓનો દાવો છે કે સદીઓ પહેલાં તેમના દેવતા પૃથ્વી ઉપર આવ્યા હતા અને એ દેવતાઓએ તેમના પૂર્વજોને આકાશનું જ્ઞાન આપ્યું હતું. આપણે માણસો જ્યારે એવું માનતા હતા કે સૂર્ય પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે ત્યારે પણ આ આદિવાસીઓને એ ખબર હતી કે સૂર્ય પૃથ્વીની નહીં પણ પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે.ગુરુ ગ્રહના ચાર ઉપગ્રહો અને શનિના વલયો અંગે પણ આ આદિવાસીઓને જાણકારી હતી. તારાઓને ગ્રહો હોય અને ગ્રહોને ઉપગ્રહો હોય એ પણ ડોગોન વર્ષોથી જાણતા હતા.

1931માં ડો.માર્કેલ ગ્રેયુલ નામના એનથ્રોપોલોજીસ્ટે આ આદિવાસીઓને શોધી કાઢ્યા. ખગોળવિજ્ઞાનના તેમના જ્ઞાનથી ડો.માર્કેલ ચકિત થઈ ગયા. ડોગોન લોકો પાસે આપણા સૂર્ય કુટુંબ ઉપરાંત પૃથ્વીથી 8.6 પ્રકાશ વર્ષ દૂર આવેલા સાયરસ તારાં અંગે પણ જાણકારી હતી.

ડોગોનના સત્સંગથી ચકરાવે ચડેલા ડો.માર્કલે 1940માં ડો.ગેરમાઇન ડિટેરિયન નામની મહિલા એનથ્રોપોલોજીસ્ટ સાથે ડોગોન વસાહતમાં ધામા નાખ્યા.આદિવાસીઓએ એમને એવી માહિતી આપી કે સાયરસ તારાને ‘પો ટોલો’ નામનો એક સાથી તારો પણ છે. પો નો અર્થ તારો અને ટોલો એટલે નાનામાં નાનું બીજ.આધુનિક ખગોળશાસ્ત્ર એ તારાને સાયરસ ’બી’ નામે ઓળખે છે.આદિવસીઓ કહેતા કે પો ટોલો આકાશનો નાનામાં નાનો તારો છે. એ નાનો છે પણ નાગના બચ્ચા જેવો છે. નાનો હોવા છતાં એ અન્ય તારાઓ કરતાં અનેકગણું વજન ધરાવે છે. એ તારો પોતાની ધરી ઉપર દર 50 વર્ષે સાયરસ ’એ’ તારાનું પરિભ્રમણ પૂરું કરે છે.

- Advertisement -

ડોગોન તો એ પણ જાણતા હતા કે સાયરસ સ્ટાર સિસ્ટમમાં ‘એમ્મે યા’ નામનો એક ત્રીજો તારો પણ છે અને એ તારાને એક ઉપગ્રહ પણ છે. અભણ આદિવાસીઓને આ સ્ટાર સિસ્ટમની ખબર કેવી રીતે પડી તેવા ડો.માર્કેલના પ્રશ્નનો અદિવાસીઓએ જે જવાબ આપ્યો તેનાથી ભારે રોમાંચક રહસ્ય ખડું થવાનું હતું. ડોગોન ધર્મગુરુઓએ જણાવ્યું કે સદીઓ પહેલા એ ઉપગ્રહમાંથી ત્રણ પગ (વહીલ?) વાળા વીમાનમાં નોમોઝ નામના દેવતાઓ પૃથ્વી પર આવ્યા હતા.વિમાનના આગમન સમયે વીજળીના ચમકારા સાથે મેઘગર્જના જેવા ભયંકર અવાજ થયા હતા.વિમાન ઉતર્યું ત્યારે તેમાંથી નીકળેલા ચાર પગ વડે જમીનમાં ખાડો ખોદીને એમાં તરી શકે એટલું પાણી વિમાનમાંથી જ ઠાલવવામાં આવ્યું હતું.આ પ્રક્રિયા ચાલતી હતી ત્યારે આકાશમાં બીજો એક મોટો ચમકતો તારો(બીજું વિમાન?) દેખાયો હતો અને જેવા દેવતાઓ બહાર આવ્યા એ સાથે જ એ તારો અદ્રશ્ય થઈ ગયો હતો.દેવતાઓના શરીરનો ઉપરનો ભાગ માણસનો અને નીચેનો ભાગ માછલીનો હતો.એ જળ અને જમીન બંન્ને પર રહી શકતા હતા પણ જળમાં રહેવું એમને વધારે ગમતું હતું.આ દેવતાઓએ ડોગોનના પૂર્વજોને સાઇરસની માહિતી આપી હતી.અને એ પૂર્વજો ઉતરોતર પોતાના અનુગામીઓને એ માહિતી આપતા રહ્યા હતા.

ડોગોનની સાઇરસ અંગેની માહિતીથી દુનિયા અચંબિત થઈ ગઈ.કારણકે તેમાંની મોટાભાગની વાતો સાચી હતી.
હવે આપણે સાઇરસ અંગેની આધુનિક જાણકારી પર નજર ફેરવીએ.રાત્રે આકાશમાં જે સહુથી વધારે ચમકે છે એ તારો એટલે સાઇરસ તારો. પૃથ્વીથી એ 8.6 પ્રકાશવર્ષ દૂર છે.આપણા સૂર્ય કરતાં 2.2 ગણો મોટો છે.બમણું ઘનત્વ ધરાવે છે અને વીસ ગણો વધુ પ્રકાશમાન છે.કેન્સ મેજર નામે ઓળખાતા અને શ્વાનનો આકાર સર્જતા નક્ષત્રના મોઢામાં તેનું સ્થાન હોવાને કારણે એને ’ડોગ સ્ટાર’ તરીકે ઓળખવમાં આવે છે.

1862માં એલવિન ક્લાર્ક નામના ખગોળશાસ્ત્રીએ સાઇરસના સાથી તારાને શોધી કાઢ્યો હતો અને તેને સાઇરસ’બી’ નામ અપાયું હતું.આ સાઇરસ ’બી’ એટલે ડોગોનનો ’પો ટોલો’ તારો.
નરી આંખે ન દેખાતા આ તારાના પ્રકાશ કિરણોને 1920માં માઉન્ટ વિલ્સન પર ગોઠવવામાં આવેલા રાક્ષસી બાયનોક્યુલરમાં પ્રથમ વખત પકડી શકાયા હતા.ત્યારબાદ 1970માં યુ.એસ.નેવલ ઓબ્ઝર્વેટ્રીના ડો.ઇરવિંગ લેન્ડબ્લોડે તેની પ્રથમ તસવીર પાડી હતી.

એટલે કે 1862માં જે સાઇરસ તારાનું અસ્તિત્વ સાબિત થયું અને 1920માં જેના વિશે વિસ્તૃત માહિતી મળી તેના અંગે ડોગોન આદિવસીઓ સદીઓથી જાણતા હતા.
ડોગોન પાસેથી આ બધી માહિતી મેળવ્યા બાદ તજજ્ઞોએ “એ સુદાનીઝ સાઇરસ મિસ્ટ્રી” નામનું પુસ્તક બહાર પાડ્યું. તેને કારણે સનસનાટી મચી ગઇ.તે બુક વાંચીને અમેરિકાના પ્રખ્યાત ઇતિહાસકાર અને પુરાતત્વવીદ પ્રો.રોબર્ટ કે.જી.ટેમ્પલે ડોગોન વસાહતમાં થાણું જમાવ્યું.1977માં તેમણે “ધી સાઇરસ મિસ્ટ્રી” નામની બુક લખી. તે ખૂબ પ્રચલિત થઈ.દુનિયા આખીને ડોગોનમાં રસ પડ્યો.

જો કે આધુનીક ખગોળવિજ્ઞાનીઓ ડોગોનની વાત માનવા તૈયાર નહોતા.પ્રો.ટેમ્પલની ખૂબ ટીકા થઈ.પણ પ્રો.ટેમ્પલે જવાબ આપતાં જણાવ્યું કે સાઇરસ “બી” અસામાન્ય ઘનતા ધરાવે છે અને 49.9 વર્ષે સાઇરસ “એ” તારાની પ્રદક્ષિણા પુરી કરે છે એ સહિતની માહિતી ડોગોન આદિવાસીઓને આધુનિક વિજ્ઞાનીઓ કરતાં પણ પહેલાં કઇ રીતે ખબર પડી?
વિવાદ વધ્યો ત્યારે ડોગોન વચ્ચે વર્ષો વિતાવનાર મહિલા એનથ્રોપોલોજીસ્ટ ગ્રેમાઇન ડિટેનર્સ મેદાને પડ્યા.

બી.બી.સી.ટી.વી.ના હોરીઝોન પ્રોગ્રામમાં તેમણે સાઇરસ સ્ટાર સિસ્ટમનું સ્પષ્ટ નિર્દશન કરતું ડોગોન કબીલાનું 400 વર્ષ જૂનું ચિત્ર રજૂ કર્યું.બે ફ્રેંચ સંશોધકોએ એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રો ફિઝિક્સ નામના પ્રતિષ્ઠિત જર્નલમાં “ઈઝ સાઇરસ એ ટ્રીપલ સ્ટાર” નામનો લેખ લખીને સાઇરસ ’સી’ નામનો તારો હોવાની વાતને પુષ્ટિ આપ્યા બાદ ડોગોન અને તેમના દેવતા આજે પણ ચર્ચાનો વિષય બની રહ્યા છે.

ડોગોનનું નવું વર્ષ પણ સાઇરસ આધારિત હતું.ડોગોનના દેવતા જેવું વર્ણન અનેક ધર્મોમાં છે.બેબીલયનોના એનેડોટ્સ,ફિલિસ્તીનોના ઓએનિસ,ઇજીપશ્યનોની દેવી આઇસીસ અને એશિયા માઇનોર નિવાસીઓની દેવી કાઇબેલ પણ ડોગોનના દેવ જેવું જ સ્વરૂપ ધરાવે છે.ઝૂલેલાલ ભગવાનને પણ એ જ સ્વરૂપે કલ્પવામાં આવ્યા છે.ચીનાઓના દેવતા ફુક્સીને પણ માણસનું માથું અને માછલીની પૂંછડી હતી.અને આપણે હિંદુઓ પાસે તો ભગવાન વિષ્ણુનો એક અર્ધમત્સ્ય અવતાર જ છે.

You Might Also Like

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

દહેશતના અલગ અલગ રૂપો

પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર

વેલેન્ટાઇન: તહેવાર કે વેપાર??

કેન્સરનો સફળ ઈલાજ નિંદામણ જેવી નકામી વનસ્પતિ પાસે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મેનોપોઝ અને આહાર
Next Article સુશાંત સારા અલીને પ્રપોઝ કરવાનો હતો?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા કચેરીને પાણીના પ્રશ્ર્ને મહિલાઓનો ઘેરાવ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે મેગા ડિમોલિશન ઉંઈઇ ફેરવી 30થી વધુ દબાણો દૂર કરાયા
મોરબીની ક.ઊ. કોલેજ બનશે સ્વાયત્ત માળખાકીય સુવિધાઓ માટે રૂ. 35 કરોડ મંજૂર
રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !
‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં
આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

દહેશતના અલગ અલગ રૂપો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?