ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી ચાહકોને કરવામાં આવ્યા અપડેટ
શ્રેયા ઘોષાલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને તેની ઓલ હાર્ટ ટૂરના સુરતનો કોન્સર્ટ રદ કરવાનો નિર્ણય લીધો છે. સુરતના પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમમાં 26 એપ્રિલે કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં, શ્રેયા ઘોષાલની ટીમે ચાહકોને અપડેટ કરવા માટે એક સંદેશ શેર કર્યો. નોંધમાં લખવામાં આવ્યું હતું કે, “તાજેતરની દુ:ખદ ઘટનાઓને ધ્યાનમાં રાખીને, આયોજકોએ, કલાકારો સાથે મળીને, આ શનિવાર, 26મી એપ્રિલે સુરતમાં યોજાનાર આગામી શોને રદ કરવાનો નિર્ણય લીધો છે. તમામ ટિકિટ લેનાર વ્યક્તિઓને રિફંડ મળશે, અને રકમની જે રીતે ચુકવણી કરવામાં આવી હશે એ જ મોડમાં રિટર્ન કરવામાં આવશે.’
શ્રેયા ઘોષાલનો નિર્ણય અરિજિત સિંહે ચેન્નાઈમાં તેનો શો કેન્સલ કર્યાના એક દિવસ પછી આવ્યો હતો, જે 27 એપ્રિલના રોજ થવાનો હતો. અરિજિત સિંહે દુ:ખદ પહેલગામ આતંકી હુમલાના પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરી હતી.ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં, તેણે કહ્યું, “તાજેતરની અને દુ:ખદ ઘટનાઓને ધ્યાનમાં રાખીને, આયોજકોએ કલાકાર સાથે મળીને, આ રવિવાર, એપ્રિલ 27 ને ચેન્નાઈમાં યોજાનાર આગામી શોને રદ કરવાનો નિર્ણય લીધો છે.”
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે ઘાતક આતંકવાદી હુમલો થયો હતો. 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા અને 17 થી વધુ ઘાયલ થયા હતા.