સ્વ. અભયભાઈની પરંપરાને આગળ ધપાવતા તેમના પુત્ર અંશ ભારદ્વાજ : પરશુરામ યુવા સંસ્થાન દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો
સતત કાર્યશીલ રહેવાનું જ્વલંત ઉદાહરણ
એટલે અભયભાઈ : અંશ ભારદ્વાજ
એટલે અભયભાઈ : અંશ ભારદ્વાજ
બ્રહ્મસમાજ એટલે અભયભાઈ: નીતીનભાઈ ભારદ્વાજ
અભયભાઈ ભારદ્વાજ સાથે નિકટનો ઘરોબો ધરાવતા સંતો-મહંતો, મેયર પ્રદીપભાઈ ડવ સહિત વિવિધ મહાનુભાવોએ અભયભાઈ ભારદ્વાજ સાથે પોતાના સંસ્મરણો વાગોળ્યા

સંત પરમાત્માનંદ સરસ્વતી, પ.પૂ.સંત ત્યાગવલ્લભ સ્વામી, પ.પૂ.સંત ઘનશ્યામદાસ મહારાજ, શાસ્ત્રીજી રમેશભાઈ શુકલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય જીજ્ઞેશ સેવક, કાયદાના નિષ્ણાંત ગોકાણી સાહેબ, સાહિત્યકાર સાંઈરામ દવે, બ્રહ્મ અગ્રણી અને ભારદ્વાજ પરિવારના મોભી નીતીનભાઈની પ્રેરક ઉપસ્થિતિ
- Advertisement -
ભગવાન પરશુરામના આદર્શને ખરા અર્થમાં ચરિતાર્થ કરી બ્રહ્મ સમાજના ઉત્કર્ષ માટે પોતાનું સમગ્ર જીવન ન્યોછાવર કરી નાખનારા રાજ્યસભાના પૂર્વ સાંસદ અભયભાઈ ભારદ્વાજની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમણે જ સ્થાપેલી સંસ્થા પરશુરામ યુવા સંસ્થાન દ્વારા પરશુરામ એવોર્ડ અર્પણ વિધિના એક ભવ્ય કાર્યક્રમનું આયોજન આત્મીય કોલેજ ઓડિટોરિયમ હોલ રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં સાહિત્યકાર સાંઈરામ દવેએ શબ્દ-સંગીત વડે સ્વ. અભયભાઈ ભારદ્વાજને શબ્દાંજલિ-ભાવાંજલિ પાઠવી હતી. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત દિપપ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્વ. અભયભાઈના પુત્ર અંશ ભારદ્વાજે ઉપસ્થિત સૌ કોઈનું સંતો-મહંતો મહાનુભાવોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, અભયભાઈને મેરા નામ જોકરનું એક વાક્ય બહુ પ્રિય હતું, ધ શો મસ્ટ ગો ઓન. એમણે આ વાક્યને હંમેશા ચરિતાર્થ કર્યું. સતત કાર્યશીલ રહેવાના જીવતાજાગતા ઉદાહરણ એટલે અભયભાઈ. પરશુરામ યુવા સંસ્થાન પણ તેમના પથ પર અગ્રેસર છે. આ કાર્યક્રમ અભયભાઈની કલ્પના હતી. સ્વ. અભયભાઈ ભારદ્વાજ સાંસદ બન્યા ત્યારે તે વર્ષે પરંપરા અનુસાર એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં નક્કી કર્યું પરંતુ કોરોના મહામારીના કારણે આયોજન રદ્દ કરવામાં આવ્યું હતું. પોતાના અવસાન અગાઉ અભયભાઈ પોતાની આયોજનની ડાયરીમાં આ પાંચ શ્રેષ્ઠીઓના નામ લખી ગયા હતા. તેમના સ્વપ્નમેં પૂર્ણ કરતા અને તેમની પરંપરાને આગળ ધપાવવા અમે પ્રયાસ કરી રહ્યા છે. ધ શો મસ્ટ ગો ઓન. અભયભાઈએ એક પરંપરા શરૂ કરી હતી. આ પરંપરાને છૂટવા ન દેતા આગળ વધારી છે. બ્રાહ્મણોને એકત્રિત કરવા અમારી ભાવના છે.

પરશુરામ યુવા સંસ્થાનના અંશભાઈ ભારદ્વાજ ઉપરાંત ભારદ્વાજ પરિવારના મોભી નીતીનભાઈ ભારદ્વાજે જણાવ્યું હતું કે, અભયભાઈ વિના પરશુરામ યુવા સંસ્થાનનો કાર્યક્રમ યોજાઈ રહ્યો હોય એવી આ પ્રથમ ઘટના છે. બ્રહ્મસમાજ એટલે અભયભાઈ. છ લોકોથી આ સંસ્થાની શરૂઆત થઈ હતી. અભયભાઈએ સમગ્ર સૌરાષ્ટ્રને ગુજરાતમાં બ્રહ્મસમાજ એકત્રિત થાય, બ્રહ્મસમાજ એક થાય એટલે પરશુરામ જયંતીની ઉજવણી પણ અભયભાઈએ શરૂ કરાવી હતી. નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પરશુરામ જયંતી રજા પણ અભયભાઈ ભારદ્વાજે શરૂ કરાવી છે. આ જ પરંપરા અંશે શરૂ કરી છે. સમાજના લોકોનું સન્માન થાય અને સમાજનું પણ સન્માન વધે એ બદલ પરશુરામ યુવા સંસ્થાને યોજેલા કાર્યક્રમ બદલ ધન્યવાદ પાઠવું છું.
- Advertisement -
પરશુરામ એવોર્ડ વિતરણ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને પધારેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, અભયભાઈ આપણી વચ્ચે નથી એ વાત માનવા મન તૈયાર નથી ત્યારે એક સમયનો વર્ષ વીતી ગયો છે. આ કાર્યક્રમ જ દેખાડે છે અભયભાઈ આપણી વચ્ચે છે. અભયભાઈના કાર્યો, વિચારો જીવંત છે. તેમનો આત્મા આપણને પ્રેરણા આપે છે. અભયભાઈના જીવનની તમામ ઘટનાઓનો હું સાક્ષી છું. અભયભાઈ બ્રહ્મ સમાજનું ગૌરવ છે. રાષ્ટ્રવાદ બ્રાહ્મણોમાં સૌ પ્રથમ રહ્યો છે. આ સંસ્કૃતિના જતન-સંરક્ષણમાં બ્રાહ્મણો છે. બ્રહ્મસમાજ સમગ્ર રાષ્ટ્ર અને સમસ્ત સમાજનો વિચાર કર્યો છે, શાસ્ત્ર સાથે સસ્ત્ર ભગવાન પરશુરામ દેન છે. દેવોના દેવ ભૂદેવ છે.
અભયભાઈની જે નિર્ભયતા હતી તેનો પણ હું સાક્ષી છું. કટોકટીકાળમાં અમારા બધાની એ ચિંતા કરતા હતા. કોણ કેટલું જીવ્યું એ કરતા કેવું જીવ્યું એ મહત્વનું છે, એમાં અભયભાઈએ જીવી દેખાડ્યું છે એ કારણે આજે આપણે યાદ કરીએ છીએ. બ્રાહ્મણો સંગઠિત અને શક્તિશાળી બને એ માટે તેમણે આ પરશુરામ યુવા સંસ્થાન સ્થાપના કરી. તેમને પણ લોકો પરશુરામ કહેતા. જય પરશુરામથી તેમના વાતની શરૂઆત થતી. આ સંસ્થા દ્વારા અભયભાઈના પુત્ર અંશભાઈએ વિચારધારાને આગળ વધારવાનો પ્રયત્ન કર્યો છે. અભયભાઈ વગરનો અને અંશભાઈ દ્વારા આ પ્રથમ કાર્યક્રમ થયો છે ત્યારે આવનારા દિવસોમાં બ્રહ્મસમાજની એકતા રાષ્ટ્રની સુરક્ષા, સંસ્કૃતિ, જગતજનની માટે વધુને વધુ પ્રયત્નશીલ બનશે એવી મને આશા છે.
આ ઉપરાંત સ્વ. અભયભાઈ ભારદ્વાજ સાથે નિકટનો ઘરોબો ધરાવતા સંતો-મહંતો, મેયર પ્રદીપભાઈ ડવ સહિત વિવિધ મહાનુભાવોએ અભયભાઈ ભારદ્વાજ સાથે પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા. પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, લુણાવાડાના ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવક અને કાયદાના નિષ્ણાંત ગોકાણી સાહેબે પણ સ્વ. અભયભાઈ ભારદ્વાજ સાથેના પોતાના વર્ષો જૂના સંસ્મરણો વાગોળ્યા હતા અને કાર્યક્રમના અંતમાં બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના પૂર્વ વાઈસ ચેરમેન, સુપ્રસિધ્ધ ધારાશાસ્ત્રી નટવરલાલ એસ. ભટ્ટ સમાજ પ્રત્યે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ તથા કોંગ્રેસના કોર્પોરેટર અને વિરોધ પક્ષના નેતા સુધીરભાઈ જોષી તેમજ બિનવિવાદાસ્પદ વ્યકિત જેણે રાજકોટના વિકાસમાં સાતત્યપૂર્ણ પ્રદાન કરનાર- ન્યુરો સર્જન, આટકોટમાં પ્રથમ બ્રહ્મ ક્ધયા છાત્રાલયના સ્થાપક ડો. પ્રકાશ મોઢા, સૌપ્રથમ બ્રહ્મ કન્યા છાત્રાલય બનાવનાર અને ઉદ્યોગપતિ જયદેવ રસિકલાલ દવે યુનિસેફ સાથે જોડાણ કરીને આફ્રિકા ખંડના દેશોમાં વોટર પમ્પ તથા પાણીજન્ય રોગો સામે જાગૃતિ લાવનાર, ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિઓ કે.આર. નારાયણન તથા શંકરદયાળ શર્માના હસ્તે એકસપોર્ટ એવોર્ડ પ્રાપ્ત કરનાર ઉપરાંત 26 સંસ્થાઓની સુકાની સંભાળનાર તેમજ અગ્રણી કેળવણીકાર લાભુભાઈ ત્રિવેદીના સુપુત્રી ડો.અલ્પનાબેન ત્રિવેદી શિક્ષણ ક્ષેત્રે અગ્રગણ્ય કામગીરી કરવા બદલ પરશુરામ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા. પરશુરામ યુવા સંસ્થાના દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં બ્રહ્મસમાજ સિવાયના પણ વિવિધ સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.



