સંતો-મહંતોના આશીર્વચનો સાથે 21 એપ્રિલના મૂર્તિ-પ્રતિષ્ઠા
પ્રાણ – પ્રતિષ્ઠા મહોત્સવનું યુ-ટ્યુબ પર પ્રસારણ કરવામાં આવશે
- Advertisement -
પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં બ્રિજરાજદાન ગઢવી, રાજભા ગઢવી સહિતના લોકસાહિત્યકારોની રમઝટ
ખાસ-ખબર સંવાદદાતા
ઝાલા ક્ષત્રિય સમાજ દ્વારા શક્તિ મંદિર ખાટડી, સુરેન્દ્રનગર ખાતે જન્મદાત્રી શ્રી શક્તિ માતાજીના નૂતન મંદિરના નવ-નિર્માણ નિમિત્તે ત્રિદિવસીય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજરોજથી શુભારંભ થઈ ચુક્યો છે. આ પ્રાણ – પ્રતિષ્ઠા મહોત્સવ 19, 20, 21 એપ્રિલના રોજ યોજાનાર છે. ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધાર્મિક વિધિઓ શાસ્ત્રીજી કલ્પેશકુમાર જગન્નાથ રાવલ, કર્માચાર્ય જયેન્દ્ર ગીરીશ ઉપાધ્યાય અને પૂજારી દાણીધારિયા પરશુરામદાસ પુરણદાસ દ્વારા કરવામાં આવશે.
- Advertisement -
ત્રિદિવસીય મહોત્સવમાં આજરોજ એટલે કે 19 એપ્રિલના પાવનકારી પ્રથમ દિવસે યજ્ઞ પૂજા વિધિ, પંચાંગ કર્મ પ્રારંભ, મંડપ પ્રવેશ, માતાજીની મૂર્તિની શોભાયાત્રા, ડાક ડમરૂ કાર્યક્રમ અને ધાન્ય દિવસ રાખવામાં આવ્યું છે. 20 એપ્રિલના મંગલકારી બીજા દિવસે સ્થાપિત દેવોનું પૂજન ઈત્યાદી, જલ યાત્રા અને દાંડીયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ 21 એપ્રિલના કલ્યાણકારી ત્રીજા દિવસે નૂતન મંદિરમાં સિંહાસને મૂર્તિ-પ્રતિષ્ઠા, મહા આરતી અને મહા પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ તકે આર્શીવચનો સાથે મહંત દુર્ગાદાસ મહારાજ, 1008 મહામંડલેશ્વર કનીરામજી બાપુ, રામબાલકદાસ બાપુ, નૌતમ સ્વામી (વડતાલ મંદિર), માઘવપ્રિય સ્વામી, શ્યામસુંદરદાસ, સંતદેવરામ બાપુ, મહંત 1008 નિર્મળદાસ બાપુ સહિતના સંતો-મહંતોના પાવન પધરામણા આ મહોત્સવમાં થશે. વધુમાં ત્રિદિવસીય મહોત્સવમાં ચા-પાણી, નાસ્તો તથા બપોરે પ્રસાદ અને સાંજનો પ્રસાદ ઝાલા મહેન્દ્રસિંહ, સ્વ. ઝાલા પ્રવિણસિંહ, સ્વ. ઝાલા ખોડુભા પરિવાર તરફથી, સ્વ.ઝાલા મેઘરાજસિંહ અને સ્વ.ઝાલા ઘર્મેન્દ્રસિંહ તરફથી આપવામાં આવશે.
તેમજ પ્રાણ – પ્રતિષ્ઠા મહોત્સવનું યુ-ટ્યુબ પર પ્રસારણ કરવામાં આવશે.
પ્રાણ – પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે નેકનામદાર ઠાકોર સાહેબ સોમરાજસિંહ સાયલા સ્ટેટ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સાંસદ મહેન્દ્ર મુંજપરા, લોકસભાના સાંસદ મોહન કુંડારિયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ જગદીશ મકવાણા, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે જાડેજા, રાજકોટ ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ગોવિંદ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ડી.ઓ.કો.બેંક સુરેન્દ્રનગરના ચેરમેન હરદેવસિંહ પરમાર, માજી કૃષિ મંત્રી રણજીતસિંહ ઝાલા અને રાજકોટ મેયર પ્રદિપ ડવ સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે.
પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં અનેક આગેવાનોની હાજરી
પ્રાણ – પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે નેકનામદાર ઠાકોર સાહેબ સોમરાજસિંહ સાયલા સ્ટેટ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સાંસદ મહેન્દ્ર મુંજપરા, લોકસભાના સાંસદ મોહન કુંડારિયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ જગદીશ મકવાણા, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે જાડેજા, રાજકોટ ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ગોવિંદ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ડી.ઓ.કો.બેંક સુરેન્દ્રનગરના ચેરમેન હરદેવસિંહ પરમાર, માજી કૃષિ મંત્રી રણજીતસિંહ ઝાલા અને રાજકોટ મેયર પ્રદિપ ડવ, જશુભા એચ. ઝાલા પૂર્વપ્રમુખ નગરપાલિકા સુરેન્દ્રનગર, ભૂપતભાઈ બોદર જિલ્લા પંચાયત પ્રમુખ રાજકોટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ જિલ્લા ભાજપ મહામંત્રી સુરેન્દ્રનગર, ઉદયભાઈ કાનગડ પ્રદેશ પ્રમુખ બક્ષીપંચ મોરચો, શ્રીમતી ભાનુબેન બાબરીયા માજી ધારાસભ્ય, જાડેજા નરેન્દ્રસિંહ ચેરમેન લોધિકા ખરીદ વેચાણ સંઘ, નરેન્દ્રભાઈ મુંજપરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન સુરેન્દ્રનગર, જયેશભાઈ પટેલ જિલ્લા ભાજપ મહામંત્રી સુરેન્દ્રનગર, વાય. બી. રાણા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સુરેન્દ્રનગર, મનહરસિંહ રાણા કારોબારી ચેરમેન સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા વગેરે ભાજપ અગ્રણીઓ હાજર રહેશે. આ પાવન અવસરે મુખ્ય અતિથિપદે નેકનામદાર ઠાકોર સાહેબ સોમરાજસિંહ સાયલા સ્ટેટ ક્ષત્રિય સમાજના વિવિધ અગ્રણીઓ જેવા કે જયરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા, પી. ટી. જાડેજા, જયરાજસિંહ ઝાલા (કંથારીયા), હરદેવસિંહજી ટી. જાડેજા (હડમતાળા), જયરાજસિંહજી ટી. જાડેજા (ગોંડલ) પ્રમુખ શ્રી ક્ષત્રિય સમાજ રાજકોટ જિલ્લા, જાડેજા વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી કચ્છ રાજપૂત સમાજ પ્રમુખ, અનિરુદ્ધસિંહજી એમ. જાડેજા અગ્રણી ક્ષત્રિય સમાજ રીબડા, ડો. રૂદ્રસિંહજી જે. ઝાલા પ્રમુખ શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ સુરેન્દ્રનગર, દિગ્વિજયસિંહજી જી. ઝાલા ઉપપ્રમુખ ઝાલાવાડ ક્ષત્રિય સમાજ સુરેન્દ્રનગર, દિગ્વિજિયસિંહજી જી. ઝાલા ઉપપ્રમુખ ઝાલાવાડ ક્ષત્રિય સમાજ સુરેન્દ્રનગર, પ્રદ્યુમનસિંહજી બી. રાણા પ્રમુખ ક્ષત્રિય સમાજ એસોસીએશન સુરેન્દ્રનગર, પ્રવિણસિંહજી આર. ઝાલા પ્રમુખ માંગુજી ક્ષત્રિય સમાજ લીંબડી, યશવંતસિંહજી (સુખુભા) જી. ઝાલા પ્રમુખ હળવદ ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજ, વજુભા એસ. ઝાલા પ્રમુખ ક્ષત્રિય સમાજ વાંકાનેર, દોલતસિંહજી જી. રાણા પ્રમુખ શેષમલજી ક્ષત્રિય સમાજ સાયલા, ભૂપેન્દ્રસિંહજી સી. ઝાલા પ્રમુખ ઝાલા ક્ષત્રિય સમાજ લખતર, રઘુવીરસિંહજી કે. ઝાલા પ્રમુખ ક્ષત્રિય સમાજ મોરબી, બાપાલાલસિંહજી જે. ઝાલા પ્રમુખ આદ્યાશક્તિ શક્તશનાળા ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી, ગજેન્દ્રસિંહજી બી. રાણા પ્રમુખ હરશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર, ખોડુભા એમ. જાડેજા ઘંટેશ્ર્વર રાજકોટ, દિપકસિંહજી બી. જાડેજા ખરેડી ક્ષત્રિય અગ્રણી, વિરેન્દ્રસિંહજી સી. ઝાલા અગ્રણી ક્ષત્રિય સમાજ સમલા, જે. પી. જાડેજા રાજપૂત કરણી સેના અધ્યક્ષ, ગુજરાત રાજ્ય, કૃષ્ણસિંહજી એચ. જાડેજા પ્રમુખ રાજપૂત કરણ સેના સૌરાષ્ટ્ર, હરપાલસિંહજી એચ. રાણા પ્રમુખ રાજપૂત કરણ સેના સુરેન્દ્રનગર, જયવીરસિંહજી કે. ઝાલા પ્રમુખ ઝાલા રાજપૂત સમાજ પાટડી, ધીરૂભાઈ પી. ઝાલા વહીવટકર્તા શ્રી હરશક્તિ ક્ષત્રિય સમાજ પાટડી, ઘનશ્યામસિંહજી ઝાલા ક્ષત્રિય યુવક સંઘ શક્તિધામ સુરેન્દ્રનગર, વિશુભા એસ. ઝાલા ક્ધવીનર અ.ગુ.રા.યુ. સંઘ ગુજરાત, મહેન્દ્રસિંહજી ડી. ઝાલા અગ્રણી મોરબી રાજપૂત સમાજ, સરદારસિંહજી બી. રાણા અગ્રણી શ્રી સાયલા શેષમલજી ક્ષત્રિય સમાજ, નીરૂભા બી. ઝાલા પ્રમુખ અ.ગુ.રા.યુ. સંઘ મોરબી, કિશોરસિંહજી બી. ઝાલા ઉપપ્રમુખ વિશ્ર્વ ગુજરાતી સમાજી (પાવરટેક), ઈન્દ્રસિંહજી એસ. ઝાલા પ્રેસીડેન્ટ ઓફ સુરેન્દ્રનગર યુનિવર્સિટી (યુરો કિડ્સ) સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે.
ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમોનું આયોજન
શક્તિ માતાજીના ભક્તજનો માટે પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક ભક્તજનો આ મહોત્સવનો લાભ ઘર-આંગણે લે તે માટે જલયાત્રા, ડાક – ડમરૂ, દાંડીયા રાસ અને ધાન્ય દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ 21 એપ્રિલના રોજ સાંજે 7 કલાકે મહા પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
મહોત્સવમાં લોકસાહિત્યકારોની ઉપસ્થિતિ
સુરેન્દ્રનગર જિલ્લાના ખાટડી ખાતે આયોજિત પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં લોકસાહિત્યકારો લોકસાહિત્યની સરવાણી વહેડાવશે. 21 એપ્રિલના રોજ રાત્રિના 10.30 કલાકે સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકસાહિત્યકાર બ્રિજરાજદાન ગઢવી, રાજભા ગઢવી, અનુભા ગઢવી, હાસ્ય કલાકાર દિગુભા ચુડાસમા અને ભજનીક અપેક્ષા પંડ્યા ઉપસ્થિત રહેશે.