આંધ્રપ્રદેશના વિશાખા પટ્ટનમમાં આવેલા એક પોર્ટ પર ગઇકાલે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી ઘાતક હતી કે, આગની ઝપેટમાં આવીને પાણીમાં ઉભેલી 30 બોટ બળીને ખાખ થઇ ગઇ. આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની કેટલીય ગાડીઓ આવી. હાલમાં પોલીસ આગનું કારણ જાણવાનું તપાસી રહી છે.
પોલીસના અધિકારીઓ મુજબ, આ આગ મોડી રાત્રે લાગી હતી અને પોલીસ તેમજ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. આગ પર ઘણા સમય પછી કાબુ મેળવી શકાયો. આ ઘટનામાં કોઇ પણ જાન માલનું નુકસાન થયું નથી. આ ઘટનામાં કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.
- Advertisement -
#WATCH | Andhra Pradesh: A massive fire broke out in Visakhapatnam fishing harbour. The fire that started with the first boat eventually spread to 40 boats. Several fire tenders reached the spot to control the fire. Police have registered a case and are investigating the matter.… pic.twitter.com/1ZYgiWInOz
— ANI (@ANI) November 20, 2023
- Advertisement -
રિપોર્ટસનું માનવામાં આવે તો જેટલી પણ બોટ સળગી છે, એમાંથી કેટલીક તો કરોડો રૂપીયાની હતી. વિશાખાપટ્ટનમમાં એડીજીપી લો એન્ડ ઓર્ડર રવિ શંકરે જણાવ્યું કે, સૌથી પહેલા જે શિપમાં આગ લાગી, ત્યાં કેટલાક બાળકો મોડી રાત્રે હાજર હતા, લગભગ તેઓ પાર્ટી કરી રહ્યા હતા અને શિપના લંગરને હટાવીને તેને સમુદ્રમાં જવા દીધી. જો કે, શિપની ટેન્કમાં ડીઝલ ભર્યુ હતુ અને ગેસ સિલિન્ડર રાખેલા હતા. જેથી આ શિપની આગ વધુ ભડકી ઉઠી અને બીજી બોટ તરફ આગળ વધી.
પોલીસના જણાવ્યા અનુસાર, શિપમાં આગ લાગવાથી એક પછી એખ એમ બધી શીપ બળી ગઇ. છેલ્લે નૌસેનાની સહારા શિપે આગળ આવીને રેસ્કયૂ કર્યુ તેમજ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી. તેના કારણે અમે છેલ્લે આગ બુઝાવવામાં સફળ રહ્યા. આ ઘટનામાં ફક્ત શિપને જ નુકસાન થયું છે.