By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    1 day ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    2 days ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    2 days ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    3 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    1 day ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    2 days ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    2 days ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    3 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    4 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    4 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    5 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    6 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    1 day ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    4 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જીવનમાં ઝગમગાટનું પ્રતિક દીવડા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > જીવનમાં ઝગમગાટનું પ્રતિક દીવડા
Bhavy Raval

જીવનમાં ઝગમગાટનું પ્રતિક દીવડા

Khaskhabar Editor
Last updated: 2024/10/31 at 3:11 PM
Khaskhabar Editor 2 years ago
Share
10 Min Read
SHARE

દીપકના પ્રકાશમાં સાહસ અને શક્તિનો સંદેશ, દિવાળીની મુખ્ય ભાવના દીપદાન સાથે સંબંધિત

પ્રાચીન કાળથી ચાલી આવતી સાંસ્કૃતિક યાત્રાના પર્વ દિવાળીમાં સુખ અને શુભતાને પ્રદર્શિત કરતા કોડિયા: માણસની કલ્પનાશક્તિ અને સંવેદનશીલ આંગળીઓનો ઈતિહાસ પણ કોડિયાના કલાત્મક આકારમાં અંકિત

- Advertisement -

દિવાળીનો તહેવાર દીવડાનો તહેવાર પણ કહેવાય છે, કારણ કે આ તહેવારમાં દીવડાનું વિશેષ મહત્ત્વ છે. દિવાળી સંસ્કૃત શબ્દ ‘દીપાવલી’ પરથી છે. એનો અર્થ ‘દીપ’ એટલે દિવા અને ‘આવલી’ એટલે એક લડી. હિંદુ ધર્મમાં દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઉપનિષદ અને પુરાણો અનુસાર દીપનો પ્રકાશ મુશ્કેલ સમયમાં સાહસ અને શક્તિનો સંદેશ આપે છે. તમસો મા જ્યોતિર્ગમય.. શ્ર્લોક વૈદિક કાળ દરમિયાન સોમયજ્ઞમાં બોલવામાં આવતો હતો, જે ‘બૃહદારણ્યક ઉપનિષદ’માંથી લેવામાં આવ્યો છે. તેનો અર્થ છે, ‘મને અસત્યમાંથી સત્ય તરફ લઈ જાઓ. મને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાઓ. મને મૃત્યુમાંથી અમરત્વ તરફ લઈ જાઓ.’ તમસો મા જ્યોતિર્ગમય એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ જવું..

જોકે, આ શ્ર્લોકમાં અંધકારનો અર્થ દુષ્ટ અથવા ખોટી આદતો છે. આ પ્રમાણે અંધકારની ખરાબ ટેવો છોડીને પ્રકાશ તરફ વળવું એટલે કે સત્ય તરફ વળવું એ જ સાચી સાધના અને આધ્યાત્મિકતા છે. ઝળહળતા દીવાના પ્રકાશની વાત કરીએ તો દીવો પ્રગટાવવાનો ઈતિહાસ ઘણો જૂનો છે. હિંદુ ધર્મમાં તેનું મહત્વ ઋગ્વેદ કાળથી કળીયુગ સુધી સમજાવવામાં આવ્યું છે. આજે પણ પૂજા, અનુષ્ઠાન અને શુભ કાર્યો દરમિયાન દીવા પ્રગટાવવાની પરંપરા છે. મંદિરોમાં દીપમાળા થાય છે. ખાસ કરીને દિવાળી પર.. દિવાળીની ઉજવણીમાં ઘણું બદલાયું, ઘણી નવીનતા આવી પરંતુ માટીના કોડિયા-દીવડાનું સ્થાન-મહત્વ હંમેશા રહ્યું છે.

ઋગ્વેદ અનુસાર દેવતાઓનો મહિમા દીવામાં રહેલો છે. આ જ કારણ છે કે જ્યાં દીવા પ્રગટાવવામાં આવે છે ત્યાં સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે અને નકારાત્મકતા દૂર થઈ જાય છે. દીવા પ્રગટાવવાની પરંપરા ઋગ્વેદ કાળની છે. સમયાંતરે વિવિધ કારણોસર દીવા પ્રગટાવવાની પ્રથા પરંપરાઓ ધાર્મિક વિધિઓ અને તહેવારો સાથે જોડાતી ગઈ. ત્રેતાયુગમાં જ્યારે ભગવાન શ્રી રામજી ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને સીતાજી અને લક્ષ્મણજી સાથે અયોધ્યા પરત ફર્યા ત્યારે અયોધ્યાના લોકોએ દીવા પ્રગટાવીને સમગ્ર અયોધ્યાને પ્રકાશિત કરી હતી. આ ઘટના બાદ કારતક અમાવસ્યા એટલે કે દિવાળીના દિવસે દીવા પ્રગટાવવાની પરંપરાની શરૂઆત થયાનું માનવામાં આવે છે.

- Advertisement -

દ્વાપર યુગમાં નરકાસુર નામના રાક્ષસને શ્રીકૃષ્ણએ માર્યો ત્યારે પણ લોકોએ આનંદમાં આવીને દીવા પ્રગટાવેલા. આ ઘટના પછી નરક ચતુર્દશીના દિવસે દીવા પ્રગટાવવાની પરંપરાની શરૂઆત માનવામાં આવે છે. અન્ય એક કથા અનુસાર ભગવાન શિવજીએ કાર્તિક પૂર્ણિમાના દિવસે ત્રિપુરાસુરનો વધ કર્યો હતો. તેથી બધા દેવતાઓ પ્રસન્ન થઈ કાશી પહોંચ્યા અને દીવા પ્રગટાવ્યા. આજે પણ તે દિવસને દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે અને એ દિવસે દીવા પ્રગટાવવામાં આવે છે. કળીયુગમાં લોકો સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થનાની સાથે પુજા સમયે દીવા પ્રગટાવે છે. હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓ, વૃક્ષો અને છોડની આગળ દીવા પ્રગટાવવાનું મહત્વ છે. ખાસ કરીને દિવાળી પર રહેઠાણથી લઈ કામધંધાના સ્થળે દીવા પ્રગટાવવામાં આવે છે.

પ્રાચીન કાળથી ચાલી આવતી સાંસ્કૃતિક યાત્રાના પર્વ કોડિયા દિવાળીમાં સુખ અને શુભતાને પ્રદર્શિત કરે છે. માનવીએ માટી, પથ્થર, લાકડા, મીણ અને ધાતુઓના હસ્તકલા સ્વરૂપે અસંખ્ય દીવા બનાવ્યા છે. શરૂઆતમાં દિવાળીની મુખ્ય ભાવના દીપદાન સાથે સંબંધિત હતી. પ્રકાશનું આ દાન સૌથી મહાન પુણ્યનું કાર્ય માનવામાં આવતું હતું. માણસની કલ્પનાશક્તિ અને સંવેદનશીલ આંગળીઓનો ઈતિહાસ પણ કોડિયાના કલાત્મક આકારમાં અંકિત છે. દરેક જીવને આ દુનિયામાં જીવવા માટે પ્રકાશની જરૂર છે. પ્રકાશ વિના તે કોઈપણ કાર્ય સુંદર રીતે પૂર્ણ કરી શકતો નથી. તેથી જ રોશનીના તહેવાર દિવાળીમાં કોડિયાનું સ્થાન-મહત્વ અનેરું-આકર્ષક છે.

વિવિધ ધાતુઓના દીવાઓનું મહત્વ
સોનાના દીવામાં ગાયનું શુદ્ધ ઘી નાખી પ્રગટાવવામાં આવે તો ઘરમાં દરેક પ્રકારની પ્રગતિ અને વિકાસ થાય છે. તેનાથી સંપત્તિ અને બુદ્ધિમાં સતત વધારો થાય છે. ચાંદીના દીવા પર ચોખા, સફેદ ગુલાબ અથવા સફેદ ફૂલની પાંખડીઓ ચારેબાજુ વિખેરી પ્રગટાવવાથી ઘરમાં સાત્વિક સંપત્તિ વધે છે. તાંબાના દીવામાં તલનું તેલ નાખી લાંબા સમય સુધી દીવો પ્રગટાવવાથી મનોબળ વધે છે અને દુષ્ટ આત્માઓનો નાશ થાય છે. કાંસાના દીવામાં તલનું તેલ ઉમેરી પ્રગટાવવાથી આર્થિક સ્થિરતા જળવાઈ રહે છે. એટલે કે સંપત્તિ જીવનભર સલામત રહે છે. લોખંડના દીવામાં સરસવના તેલની જ્યોત પ્રગટાવવાથી દુર્ઘટના અને દુશ્મનોથી રક્ષણ મળે છે.

પાંચ હજાર વર્ષ અગાઉ પણ લોકો માટીના કોડિયામાં દીવા કરતાં. મોહેજોદડોના પ્રાચીન અવશેષોમાં આવા કોડિયા મળી આવ્યા હતા. સિંધુ નદીની સંસ્કૃતિમાં જ નહીં પરંતુ તમામ સંસ્કૃતિમાં અજવાળું મેળવવા માટીના કોડિયા બનતાં આ કોડિયાના આકાર પણ વિવિધ હતા. જુદાજુદા દેશ-પ્રદેશના લોકોએ પોતાની કળા-કસબ અજમાવીને જુદાજુદા ઘાટના કોડિયા બનાવેલા. તેમા તેલ અને દિવેટ મૂકવાની અલગઅલગ ટેકનિક પણ અજમાવેલી. દુનિયાના બીજા દેશોને બાદ કરતાં ભારતમાં વપરાતા કોડિયાની ડિઝાઇન આજ સુધી જળવાઈ રહી છે. કારણ કે કોડિયામાં વપરાતા બળતણમાં સીંગતેલ, તલ કે સરસીયાનું તેલ પુરાતું. યુરોપના દેશોમાં પ્રાણીઓની ચરબી, ઓલિવનું તેલ, મીણ વગેરે વાપરવાનો રિવાજ હતો. આપણે ત્યાં દીવો એ પવિત્ર આસ્થાનું પ્રતિક છે. પુજામાં ઘીના દીવા કરવામાં આવે છે. વીજળીના દીવા નહોતા ત્યારે અજવાળું મેળવવા દીવાની જ્યોત જ ઉપયોગમાં આવતી. જાતજાતના ફાનસ, મશાલ વગેરે વિકસ્યા પરંતુ દરેક સાધનમાં કોડિયું તો મૂકવામાં આવતું જ. શહેરોમાં સ્ટ્રીટલાઈટના ફાનસમાં અને રેલ્વેના સિગ્નલના ફાનસમાં પણ તેલ પૂરેલું કોડિયું જ મૂકાતું.

સૌ પ્રથમ પથ્થરના દીવા અસ્તિત્વમાં આવ્યા. ત્યારબાદ માટીના દીવા બનવા લાગ્યા. કુંભારના ચક્રની શોધ પછી માટીના દીવાઓ અનન્ય અને આકર્ષક હસ્તકલામાં પરિવર્તિત થવા લાગ્યા. તે દરેક ઘરમાં દીવાદાંડી તરીકે સ્થાપિત થયા. ધાતુઓની શોધ થતા ધાતુના દીવાઓ મોટા આલીશાન ઘરો અને મહેલોને સુંદર બનાવવા લાગ્યા. સોના, કાંસ્ય, તાંબા, પિત્તળ અને લોખંડના દીવાઓનો ઉપયોગ શરૂ થયો. જેમાં પિત્તળના દીવાઓએ ખૂબ લોકપ્રિયતા મેળવી. ‘રત્નદીપ’નો ઉલ્લેખ રામાયણ અને મહાભારતમાં પણ જોવા મળે છે. સમય જતાં એકતરફી લેમ્પ્સમાંથી બહુપક્ષીય લેમ્પ્સ બનાવવાનું શરૂ થયું. તેમના હેન્ડલ્સ પણ કલાત્મક અને રાખવા માટે અનુકૂળ બનાવવામાં આવ્યા હતા. સત્તરમી-અઢારમી સદીમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ, પક્ષીઓ અને અપ્સરાઓના રૂપમાં દીવાઓ બનાવવાનું શરૂ થયું. આ સમયે ‘મયુરા ધૂપ દીપક’ ખૂબ જ લોકપ્રિય હતો.

રાજાશાહી સમયમાં છત પરથી લટકતા દીવા ખૂબ જ લોકપ્રિય હતા. પરીઓ, પ્રાણીઓ, પક્ષીઓ અને દેવી-દેવતાઓની આકૃતિઓમાં દીવા શણગારાતા. સાંકળથી લટકતા હંસ અને કબૂતરોના પંજા પર ત્રણથી પાંચ દીવા બનાવવામાં આવતા. મુઘલોના સમયમાં દીવાઓમાં અનોખા ફેરફારો થયા. ગોળાકાર લટકાવેલા કલાત્મક લેમ્પ્સ મોટી સંખ્યામાં બનાવવામાં આવ્યા ઉપરાંત આઠ ખૂણાવાળા, ગુંબજ આકારના અને અન્ય પ્રકારના દીવા બનાવવામાં આવ્યા. સેંકડો આકાર અને કદમાં દીવા અસ્તિત્વમાં આવ્યા ત્યારે તેમના યોગ્ય ઉપયોગ માટે ’દીપશાસ્ત્ર’ પણ લખવામાં આવ્યું. જેમાં ગાયનું ઘી દીવા પ્રગટાવવા માટે સૌથી વધુ ઉપયોગી હોવાનું જણાવાયું હતું. સરસવનું તેલ ઘીના વિકલ્પ તરીકે આપવામાં આવ્યું હતું. દીપશાસ્ત્રમાં કપાસમાંથી અનેક પ્રકારની લાઈટ બનાવવાની રીતો પણ સૂચવવામાં આવી હતી. રામાયણકાળ પહેલાં દિવાળીનું જોડાણ ફક્ત બલિદાન કથાના સંદર્ભમાં જ માન્ય અને પ્રચલિત હતું. કાર્તિક શુક્લ પ્રતિપદાને ‘બલિ પ્રતિપદા’ પણ કહેવામાં આવે છે. આ દિવસે બલી મહારાજની પણ પૂજા કરવામાં આવે છે. રાજા બલી ચતુર્દશીથી ત્રણ દિવસ પોતાના રાજ્યમાં ફરે છે અને ત્રણેય દિવસે દીવાનું દાન પણ કરે છે. આ બલિદાન દીપદાનને કારણે જ આ તહેવારને દિવાળી કહેવામાં આવે છે. હરિદ્વારમાં હર કી પૌરીથી લઈ વારાણસીના ઘાટ પર પોતાના વંશની સમૃદ્ધિ માટે દરરોજ સાંજે ગંગા આરતી દરમિયાન દીવાઓ ગંગા નદીમાં દાન કરવામાં આવે છે.
પ્રાચીન ભારતમાં જેમજેમ માણસ સભ્ય અને સંસ્કારી બન્યો, તેમતેમ અગત્યની ઘટના સાથે દીવાનું મહત્ત્વ જોડાવા લાગ્યું. દિવાળી પર આકાશમાં સૌથી ઊંચો જે દીવો લટકાવવામાં આવે છે તેને ’આશા-દીપ’ કહેવાય છે, સ્વયંવરના સમયે જે દીવો પ્રગટાવવામાં આવે છે તેને ’સાક્ષી-દીપ’ કહેવાય છે. ’આરતી-દીપ’ના સમયે જે દીવો પ્રગટાવતો હતો તેને ’નંદ-દીપ’ કહે છે. મંદિરોના પ્રવેશદ્વારો અને શહેરોના મુખ્ય માર્ગો પર બનાવેલા દીવાઓને ’દીવા-સ્તંભો’નું સ્વરૂપ આપવામાં આવ્યું હતું, જેના પર એક સાથે સેંકડો દીવાઓ પ્રગટાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલમાં દીવાઓનું સ્થાન મીણબત્તીઓ અને ઈલેક્ટ્રીક બલ્બ કે આર્ટિફિશિયલ લેપ્મ્સ દ્વારા લેવામાં આવ્યું હોવા છતાં આત્માને પ્રકૃતિ સાથે ઓળખવાની અનુભૂતિના સ્વરૂપમાં પ્રગટાવવામાં આવતા દીવાઓ આજે પણ માટી, પિત્તળ કે તાંબાના બનેલા છે. ઘીથી પ્રગટાવવામાં આવેલો આ દીવો આપણા હૃદયની અશુદ્ધિઓને ધોઈ નાખે છે અને અંધકારમાંથી ઉજાસ તરફ લઈ જઈ જીવનમાં ઝગમગાટ પાથરી દે છે.

સેંકડો આકાર અને કદમાં દીવા અસ્તિત્વમાં આવ્યા ત્યારે તેમના યોગ્ય ઉપયોગ માટે ‘દીપશાસ્ત્ર’ પણ લખવામાં આવેલું

આશા-દીપ, સાક્ષી-દીપ, આરતી-દીપ, નંદ-દીપ, દીવા-સ્તંભો કોને કહેવાય? કોડિયાની દિલચસ્પ કથા

આત્માને પ્રકૃતિ સાથે ઓળખવાની અનુભૂતિના સ્વરૂપમાં પ્રગટાવવામાં આવતા દીવાઓ હૃદયની અશુદ્ધિઓને ધોઈ નાખે છે

પંચતત્વોના પ્રતિક છે પ્રકાશ ફેલાવતા દીવડા
અગ્નિ પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, દેવી પુરાણ, ઉપનિષદો અને વેદોમાં પણ દીવા પ્રગટાવવાના નિયમો અને મહત્વનો ઉલ્લેખ છે. દીવાને પાંચ તત્વોનું પ્રતિક માનવામાં આવે છે. તેની પાછળની માન્યતા છે કે દીવો બનાવવા માટે પાણીમાં માટી નાખવામાં આવે છે, જે પૃથ્વી અને જળ તત્વોનું પ્રતિક છે. આ પછી દીવાને સૂર્ય અને હવામાં સૂકવવામાં આવે છે, જે આકાશ અને વાયુ તત્વનું પ્રતિક છે. અંતે દીવાને આગમાં ગરમ કરવામાં આવે છે, જે અગ્નિ તત્વનું પ્રતિક છે. આ રીતે માટીનો દીવો પાંચ તત્વો પૃથ્વી, જળ, આકાશ, વાયુ અને અગ્નિનું પ્રતિક છે.

You Might Also Like

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?

પ્રકૃતિની તપસ્યા અને નવસર્જનનો મહાઉત્સવ એટલે નવતપા

સાવધાન: AIની વધુ પડતી નિર્ભરતા એટલે આપણી આવનારી પેઢીઓ માટે પાણીનું જોખમ

TAGGED: diwali
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શ્રીગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ
Next Article રાજકોટમાં ફાયરનાં તમામ કર્મીઓની રજાઓ રદ્દ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ
ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો
અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Bhavy Raval

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Bhavy Ravalધર્મ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

khaskhabarrajkot khaskhabarrajkot 1 week ago
Bhavy Raval

બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?