By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    1971માં પાકિસ્તાનની પડખે ઊભું હતું ઈરાન! રાજાના પુત્રની સત્તામાં વાપસીથી ભારતનું વધશે ટેન્શન?
    1 day ago
    ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી, વાટાઘાટો અંગે અનિશ્ચિતતા
    3 days ago
    ભારત-જર્મની દ્વિ-પક્ષીય વેપાર 50 બિલિયન ડોલરને પાર
    4 days ago
    ટ્રમ્પની ગૂંડાગીરી
    4 days ago
    ટ્રમ્પનું મોટું નિવેદન: ‘પુતિન વિરુદ્ધ માદુરો જેવી કાર્યવાહીની કોઈ જરૂર નથી'”
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનથી ભારતીયોનું ‘ઓપરેશન એરલિફ્ટ’ આજથી વિદ્યાર્થીઓની ઘરવાપસી શરૂ
    2 hours ago
    ગંગાના પ્રવાહને વાળવા માટે બનાવેલી 14 કિ.મી. લાંબી ટનલ કરોડોના ખર્ચે કાયમ માટે બંધ કરાશે
    2 hours ago
    ભારતની સ્ટાર્ટઅપ ક્રાંતિ: 10 વર્ષમાં 21 લાખ નોકરીઓનું સર્જન
    2 hours ago
    ડિજિટલ એરેસ્ટ અટકાવવા માટે સિમ કાર્ડના નિયમો કડક બનાવાશે
    2 hours ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષાની સંભાવના, ઝરણાં થીજી ગયા
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    4 hours ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    1 day ago
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    4 days ago
    ભારત સાથેના વિવાદ વચ્ચે બાંગ્લાદેશી કેપ્ટાનનું છલકાયું દર્દ
    6 days ago
    રાજકોટમાં હાર્દિક પંડ્યાનું મેદાનમાં ફરી દેખાયું રૌદ્ર સ્વરૂપ
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    1 day ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    4 weeks ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 month ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઉત્સવ જેવું એક સગપણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ઉત્સવ જેવું એક સગપણ
Author

ઉત્સવ જેવું એક સગપણ

Khaskhabar Editor
Last updated: 2024/10/31 at 2:37 PM
Khaskhabar Editor 1 year ago
Share
7 Min Read
SHARE

નિતાંતરીત: નીતા દવે

તહેવાર એ માનવ જીવનનો એક અભિન્ન ભાગ છે.કારણ કે દરરોજનાં રોજિંદા જીવન ક્રમમાં તહેવારોના આવવાથી નવીનતા ઉત્સાહ અને આનંદમાં વધારો થતો હોય છે. દરેક વ્યક્તિ પોતાનાં મન ગમતાં તહેવારની આખું વર્ષ રાહ જોતી હોય છે. વરસ મહિના અને દિવસ..! કયારેક મન થાય કે આ તહેવારો આમ બસ આપણાં હાથવગા હોય તો..? મજા આવી જાય ને..? કોઈ વ્યક્તિ પણ પણ હોય છે તહેવાર જેવું!! તેની સાથે નું સગપણ એટલે કે વાસંતી પર્વ..!એવી કઈ વ્યક્તિ હશે કે જેને તહેવારો માં પણ ઉત્સાહકે આનંદ ન મળતા હોય..? બધા વ્યક્તિ ઈચ્છે છે પોતાના જીવનમાં એક તહેવાર જેવું વ્યક્તિ. કોઈ એવો સંબંધ જ્યાં મન મૂકીને ખીલી શકાય હસી શકાય. દોડતી ભાગતી આ જીવનની સફરમાં જ્યાં થોડું વિસામો લઈ શકાય.જીવન માટે આ વિસામો બહુ ખાસ હોય છે. જ્યાં થાકને ઉતારી અને હાશ ને અનુભવી શકાય એને વિસામો કહી શકાય.જો આવું કોઈ વ્યક્તિ મળે તો જીવન યાત્રા અનંત ઉત્સવથી ઓછી ન કહેવાય..!

- Advertisement -

આજકાલ લોકો રોબોટિક સબંધો માં યાંત્રિક સંવેદનાઓ જીવતા અને જીલતા થયા છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં મસ્ત છે. પોતાના પ્રશ્નો પોતાની સમસ્યા અને પોતાના સુખમાં કે દુ:ખ વ્યસ્ત છે.ત્યારે જ્યાં કોઈ વાત વગર જેમની સાથે કલાકો સુધી વાતો કરી શકાય..કોઈ કારણ વગર ગુસ્સો કરી શકાય અને જેને પજવીને પણ હસી શકાય..! બાકી અત્યાર નાં સમય માં તો અંગત વ્યક્તિને પણ કોઈ વખત કોલ કરીને જોઇ લેજો બે ચાર ફોર્મલ વાત કર્યા પછી તરત પ્રશ્ન આવશે બોલને કશું કામ હતું કે..? જ્યાં કોઈ કામ વગર કોઈ સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે બોલ બોલ કરી શકાય. જ્યાં કોઈ સ્વાર્થ વગર કે કોઈ પૂર્વ તૈયારીઓ વગર ખુલ્લા મને બસ બધી જ મનની સ્થિતિને વર્ણવી શકાય એવું કોઈ વ્યક્તિ કે સગપણ એ આપણાં કરેલાં સદભાગ્યની નિશાની રૂપ છે.દરેક વ્યક્તિ આવું સંવેદનાત્મક સાનિધ્ય ઝંખતો હોય છે. સંબંધો ના ટોળા વચ્ચે જીવતો માનવી એવું કોઈ સગું એવું કોઈ આપ્તજન શોધતો હોય છે.કે જ્યાં એ મનની મોકળાશ ને પામી શકે.! પોતાના વિચારોને તેની પાસે ખુલ્લા આકાશમાં વહેતા મૂકી શકે. તેમની ભાવનાઓ, તેની સંવેદનાઓ,તેની સમસ્યાઓ ને નાના બાળક ની જેમ સહજ બની અને બોલી શકે..! પરંતુ આપણા સામાજિક માળખામાં બંધાયેલા સબંધો અને તેની મર્યાદાઓ માં વ્યક્તિ ક્યારેક પોતાના મનની વાત બોલી શકતી નથી. કદાચ આજના સમયમાં વધતો જતો સોશિયલ મીડિયાનો વ્યાપ આ કારણને આધારિત પણ હોઈ શકે..!

આપણી સમજની સૃષ્ટિમાં દરેક વ્યક્તિ ને ઉંમરના એક પડાવે પહોંચ્યા પછી દરેક સંબંધમાં પરિપક્વતા અને સમજણ ની અપેક્ષા રખાતી હોય છે. સમાજની દોરેલી સીમાઓમાં અમુક પ્રકારના જ વાણી વર્તન વ્યવહાર અપેક્ષિત હોય છે. ત્યાં કોઈ એવું વ્યક્તિ હોય જ્યાં તમે અણસમજને જીવી શકો.! એવું જરૂરી નથી, કે સતત એ સંબંધ એ વ્યક્તિનું સાનિધ્ય મળતું રહેક્યારેક શબ્દો પણ શ્વાસોનું સંધાન બની શકે..!વ્યક્તિ ક્યારેક વ્યવહારથી વધારે વિચારોથી પીડાતી હોય છે .દૂર કોઈ પ્રદેશમાં બેઠેલી એક એવી વ્યક્તિ…કે જેની સાથે કરેલી વાતચીત કે વહેંચેલી વેદના માત્ર તેના શબ્દોપચાર દ્વારા પણ ઠીક થઈ શકે… હૃદયને ધબકતું રાખવા જેટલું વેન્ટિલેટર ના મશીનો કામ આપે છે એટલું જ એક હુંફાળો સ્પર્શ,એક સધિયારો,એક લાગણી સભર વાર્તાલાપ, અને પરસ્પરનાં સાથે હોવાની અનુભુતિ આપી પણ શકે.જરૂરી નથી કે એ સંબંધને કોઈ નામ સરનામાં કે સંબોધન હોય..? એ આપણા સંબોધનો ના લિસ્ટમાં સામેલ ન પણ હોયભાઈ-બેન,માતા-પિતા, મિત્ર કે સંબંધીઓ જ હોય એ વ્યક્તિ એવું કોઈ જરૂરી નથી… પરંતુ હા, એટલું ચોક્કસ જરૂરી છે કે એ સંબંધ હક અને ફરજ થી પર હોય.. સહજ,નિસ્વાર્થ અને અપેક્ષાહિન હોય..! કારણ સંબંધમાં બંધન હોય જ્યારે સગપણમાં જ ગળપણ હોય છે.
આપણે બધા દૈનિક ક્રિયાઓને યાંત્રિક રીતે જીવનારા માનવી છીયે. સમયની પાછળ ભાગતા રહીએ છીએ પરંતુ સમયને જીતવાની દોડમાં જીવનને હારી જતા હોય છે. દરેક જીવન અનિશ્ચિતતા વચ્ચે જીવાતું હોય છે.જીવમાત્ર નું જીવન ક્યારે પણ નિશ્ચિત હોતું નથી. માણસ અને અન્ય પ્રાણી જીવ માં તફાવત બસ એટલો છે કે, આપણે આ સત્યને સ્વીકારી શકતા નથી..અને આજ કાલ અને ભવિષ્યના આયોજનો કરતા વર્તમાન ક્ષણને ગુમાવતા રહીએ છીએ.આપણે બધા લાગણી અને સંબંધોના ટોળા વચ્ચે જીવનારા વ્યક્તિઓ છીએ. સમાજ, દુનિયા, સગપણ, સંબંધ..આ બધા ને જીવન જીવવાના આધાર સ્તંભ કે જીવનના ટેકા સ્વરૂપ માનીએ છીએ. પરંતુ સમય આવીએ દરેક સંબંધની વાસ્તવિકતાઓ સામે આવી જતી હોય છે.જેની સાથે સૌથી પહેલા સુખોની ક્ષણો મળવાનું મન થાય, જ્યારે આંખ ભીની થાય ત્યારે સૌ પ્રથમ એ વ્યક્તિ નું નામ હૃદય સ્થળ પર ઉભરીને આવેઅમુક સમયે ,કેટલીક પરિસ્થિતિમાં જયારે જાતથી વી વિખોટું પડી જવાય ત્યારે સૌથી પહેલું જે વ્યક્તિ યાદ આવે એ વ્યકિત કે એ સબંધ એટલે આપણા જીવનનું પર્વ..!

મેકઅપ અને ફિલ્ટરના આ સમયમાં કોઈનું સાવ સાદું સરળ અને સ્વાભાવિક વ્યક્તિત્વ દેવત્વ ગણાય.સબંધ નું કોઈ જોડાણ નથી છતાં જેને યાદ કરતાં બસ મન માંથી દુવાઓ જ નીકળે તો માનવું એ પાછળ કોઈ જન્મ માં છુટેલું ઋણાનુબંધ બાકી રહ્યું હતું જે આ જન્મ માં મળ્યાં છે.બાકી આજ નાં સમય માં તો સંબંધો નો પર્યાય એટલે મોબાઈલ, મીડિયા, અને મલ્ટી પ્લસ નો સમન્વય.! સમયથી આગળ દોડી જવાની આ વૃત્તિના કારણે માનવી સતત અજંપા અને અનિશ્ચિતતાની સ્થિતિ વચ્ચે જીવતો રહે છે. ૠશદય ફક્ષમ ફિંસય ની યિહફશિંજ્ઞક્ષતવશા ના આ સમયમાં જો તમારી પાસે તમારો આવો કોઈ ઉત્સવ જેવો સંબંધ છે… તો તમે ચોક્કસ ઈશ્વરના ખાસ વ્યક્તિઓમાં સામેલ છો..કારણ ઈશ્વરે એ વ્યક્તિ દ્વારા પોતાનો પર્યાય તમારા જીવન માં આપેલ છે..સાચવીને રાખજો એવ્યક્તિ ને,એ સંબંધને…એ લાગણીને સતત રિચાર્જ કરી જીવનનાં રીહહ જ્ઞર હશરય મયફિં માં સામેલ કરીને રાખજો. કારણ કર્મો નું નેટવર્ક જ્યારે નબળું પડશે ત્યારે આ ઉજાશી પર્વ જેવા લાઈફ સપોર્ટની જરૂર પડશે .અને હા,યાદ રાખજો કે જીવન માં દિવસો તો રોજ આવે છે ને વિતી જાય છે.પરંતુ તહેવાર કયારેક જ આવે છે.બસ ,આ તહેવાર જેવા સ્વજનનાં સાનિધ્ય ને શાશ્વત બનાવી ને રાખજો. કેમ કે, આવા વ્યક્તિ સાથ મળી જાય તો જીવન યાત્રા અનંત ઉત્સવથી ઓછી ન કહેવાય..!

- Advertisement -

તહેવાર જેવું હોય કોઈ માણસ
તેનાં આવવાથી ઉર માં ઉત્સવ થાય.!
જેનાં બોલવાથી રોશની થાય ,
જેનાં શ્વાસો થી મહેક પ્રસરાય ,
હસવાથી જેનાં મોંઢું લાડું ભાંગે..!
અને એનાં શબ્દો નો પર્યાય..?
તો,જાણે પવિત્ર મંદિર ની ઘંટી..!
આંખે અંજાય જો સ્વપ્નાઓ એનાં
તો,તોજા ની વા લી પી ના રા..!
બસ,જીવતર માં રંગોળી થાય.
જીવનમાં આવેલી અંધારી અમાસ પણ
તેને મળવાથી દિપોત્સવી થાય..!
ઉત્સવ જેવું હોય કોઇ માણસ…
જેને પામ્યા પછી જીવન પર્વ ઉજવાય..!
-નીતા દવે

You Might Also Like

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ

ધ ગ્રેટ બ્રિટનનો ધ ગ્રેટ ’ધી એન્ડ’?

અંગૂઠાના નખ જેવડી માછલી સિંહથી મોટી ગર્જના કરી શકે છે

ઓમકાર અને પ્રાણાયામથી 120 બીમારીઓ થશે દૂર

મનની શક્તિ અપાર

TAGGED: Diwali 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રેમનો મીઠો બોજ
Next Article કાળી ચૌદશના રોજ ઇકોઝોનનો કકળાટ કાઢતા ગ્રામજનો: પૂતળાં દહન કરી વિરોધ પ્રદર્શિત કરાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

પ્રભાસ તીર્થની પૂણ્યભૂમિ પર સૂરીલી સંધ્યાથી ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની સંગીતમય પૂર્ણાહુતી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
કેન્દ્ર સરકાર સામે કોંગ્રેસનું મનરેગા બચાઓ આંદોલન, જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે ધરણા યોજાયા
મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ માટે કલેકટર, ધારાસભ્ય અને ઉતારા મંડળની બેઠક મળી
રાજ્યમાં સૌથી વધુ ઠંડી ગિરનાર પર્વત પર 2.1 ડિગ્રી
મોરબી: આડેધડ પાર્કિંગ કરતા રિક્ષાચાલકો સામે પોલીસની લાલ આંખ: 6 રિક્ષા ડિટેન
લોકગાયક દેવ ભટ્ટના પુત્ર ભવ્ય, પરમની યજ્ઞોપવિત વિધિ યોજાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

ધ ગ્રેટ બ્રિટનનો ધ ગ્રેટ ’ધી એન્ડ’?

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
મનીષ આચાર્ય

અંગૂઠાના નખ જેવડી માછલી સિંહથી મોટી ગર્જના કરી શકે છે

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?