By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    17 hours ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    2 days ago
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    2 days ago
    હોર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પ જોતા રહી ગયા અને ભારત-રશિયાએ બાજી પલટી, 3 વર્ષનો રેકોર્ડ તૂટ્યો!
    2 days ago
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    TDS રિટર્ન ફાઈલ કરવું હવે સરળ
    14 hours ago
    યુદ્ધનો અંત નજીક!
    14 hours ago
    બિહારના ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપના મુખ્યમંત્રી
    14 hours ago
    યુદ્ધને કારણે સંકટમાં ફસાયેલી એરલાઇન્સોની વહારે કેન્દ્ર સરકાર, 4000 કરોડના લોન પેકેજની ઓફર
    16 hours ago
    ગ્રામીણ ભારતની મહિલાઓ માટે સાયબર સુરક્ષા કવચ: રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારત સરકાર દ્વારા ‘ઇ-સેફહર’ લોન્ચ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    15 hours ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    17 hours ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    2 days ago
    ‘વીડિયો ડિલીટ કરી દે…’, યુજવેન્દ્ર ચહલની ટીમે તાનિયાને કરી રિક્વેસ્ટ, એક્ટ્રેસનો નવો આરોપ
    2 days ago
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    16 hours ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    6 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    7 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં કાલે CM અને ગૃહમંત્રીની ઉપસ્થિતમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં કાલે CM અને ગૃહમંત્રીની ઉપસ્થિતમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાશે
ખાસ-ખબરગુજરાતરાજકોટ

રાજકોટમાં કાલે CM અને ગૃહમંત્રીની ઉપસ્થિતમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાશે

Khaskhabar Editor
Last updated: 2022/08/11 at 6:41 PM
Khaskhabar Editor 4 years ago
Share
8 Min Read
SHARE

આશરે બે કિલોમીટર લાંબી યાત્રામાં એક લાખથી વધુ લોકો જોડાશે

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ’હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રાજકોટ શહેરમાં 12મી ઓગસ્ટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિશાળ તિરંગા યાત્રા યોજાશે. આશરે બે કિલોમીટર લાંબી આ યાત્રામાં એક લાખથી વધુ લોકો જોડાશે તેવો અંદાજ જિલ્લા વહીવટી તંત્રે વ્યક્ત કર્યો છે. આ યાત્રા માટે જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના નેતૃત્વમાં વહીવટી દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

- Advertisement -

રાજકોટ શહેરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિશાળ તિરંગા યાત્રાના આયોજન માટે આજે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગો, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો તથા અધિકારીઓ, ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો, વિવિધ જીઆઈડીસીના એસોશિએશન્સ, સામાજિક, સેવાકીય અને ધાર્મિક સંગઠનો, વિવિધ યુનિવર્સિટી, શાળાઓ તેમજ કોલેજના પ્રતિનિધિઓ, કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ કચેરીઓમાં પ્રતિનિધિ જોડાયા હતા. આ મિટિંગમાં જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે,આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ’હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ 12મી ઓગસ્ટે વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. બહુમાળી ભવન ચોક ખાતે સવારે 8 કલાકથી દેશભક્તિ જગાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત થશે. બાદમાં સવારે 9 કલાકે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, તેમજ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા નવસારીના સાંસદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાની શરૂઆત થશે. મહાત્મા ગાંધીજીના સંભારણા જ્યાં જોડાયેલા છે એવી રાષ્ટ્રીય શાળા ખાતે આ યાત્રાનું સમાપન થશે.

આઝાદી મળ્યાના આટલા વર્ષો સુધી આઝાદી દિવસ જેવા રાષ્ટ્રીય પર્વોની ઉજવણી ફક્ત સરકારી કાર્યક્રમ બની રહેતી હતી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આવી ઉજવણી આજે આઝાદીના અમૃત મહોત્સવ- રાષ્ટ્રીય તહેવાર તરીકે સૌ કોઈ ઉમંગથી ઉજવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આરંભેલા હર ઘર તિરંગા અભિયાનમાં આજે જન-જન જ્ઞાતિ, જાતિ, ધર્મનો ભેદભાવથી પર જઈને આ પર્વમાં હર્ષોલ્લાસ પૂર્વક જોડાઈ રહ્યો છે તેમ જણાવતા ભાજપના સૌરાષ્ટ્રનાં પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે આગામી તા. 12નાં રોજ રાજકોટમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી,રાજયમંત્રી અરવિંદભાઈ રૈયાણી તથા અગ્રણીઓ ની ઉપસ્થિતિમાં યોજાનારી ત્રિરંગા યાત્રામાં ઉમંગ અને ઉત્સાહ ભેર જોડાવા રાજકોટવાસીઓને અપીલ કરી છે. રાજુ ધ્રુવે જણાવ્યું છે કે, અત્યારે ભારત સરકારે આ 75 મા સ્વતંત્રતા દિવસ પર ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ખૂબ જ પ્રશંસાત્મક પહેલ શરૂ કરી છે.દેશના સપુત અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાવવાના ઉદ્દેશ્ય સાથે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે, આપણો રાષ્ટ્રધ્વજ આપણા દેશની મહાન સંસ્કૃતિ, સભ્યતા અને ઈતિહાસને પ્રતિબિંબિત કરે છે. પવનમાં લહેરાતો આપણો રાષ્ટ્રધ્વજ આપણા દેશની સ્વતંત્રતા દર્શાવે છે. આ ધ્વજ આપણા દેશના નાગરિકોની આઝાદીની સાથે અંગ્રેજોના જુલમમાંથી મુક્ત થવા પર આપણા અને આપણા દેશવાસીઓનું ગૌરવ છે. આપણા રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગો -તત્વો મહત્વના છે, જે આપણા દેશની અખંડિતતા, એકતા અને બહાદુરી દર્શાવે છે.

આવો સૌ સાથે મળી ઐતિહાસિક ત્રિરંગા યાત્રામાં જોડાઈએ : રાજુ ધ્રુવ

- Advertisement -

ભારતને આઝાદી મળ્યા પછીના છેલ્લા 75 વર્ષોમાં દેશે દરેક ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. આપણા દેશે વિજ્ઞાન અને ટેક્નોલોજી, તબીબી વિજ્ઞાન અને અન્ય ઘણા ક્ષેત્રોમાં પ્રચંડ પ્રગતિ કરી છે. આ5ણે હવે વિકાસના ક્ષેત્રે ખૂબ જ ઉચ્ચ સ્થાને છીએ અને તેની ઉજવણી કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. આમ, આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી એ એવી વસ્તુ છે કે જેમાં દરેક ભારતીય નાગરિકે ભાગ લેવો જોઈએ અને ખૂબ જ ગર્વ અનુભવવો જોઈએ.

રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે, સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની અદભુત ઐતિહાસિક તિરંગાયાત્રા ખરા અર્થ માં શહીદો,ક્રાંતિકારીઓ,આઝાદીના લડવૈયાઓ,સત્યાગ્રહીઓ,આંદોલનકારીઓને ભાવાંજલિરૂપ બની રહેશે. આ મહાન સપૂતોના ત્યાગ,તપસ્યા અને બલિદાનનો આઝાદીના અમૃતમહોત્સવની ઉજવણી દ્વારા ઋણસ્વીકાર કરવામાં આવશે. રાજકોટ આઝાદી પૂર્વે અને આઝાદી પછી પણ અનેક ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી રહ્યું છે ત્યારે આગામી તા. 12મીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી,વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી તથા અગ્રણીઓ ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનારી ત્રિરંગા યાત્રા પણ ઐતિહાસિક બની રહેશે. તેમણે આ ત્રિરંગા યાત્રામાં જોડાવા રાજકોટવાસીઓ-સૌરાષ્ટ્રવાસીઓને અનુરોધ કર્યો છે.

તિરંગા પ્રત્યેનો આદરભાવ વ્યક્ત કરાશે
આ યાત્રામાં પોલીસ તથા ફાયર બ્રિગેડના બાઇક્સ, પોલીસ બેન્ડ, એન.સી.સી. બ્રહ્માકુમારી તથા ગુરુકુળ મંડળ સહિતના વિવિધ મંડળો જોડાશે. આ ઉપરાંત ધારાસભ્ય, સાંસદ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ તથા અધિકારીઓ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આર.કે. યુનિવર્સિટી, મારવાડી અને આત્મીય સહિત વિવિધ યુનિવર્સિટીઓ, સરદાર ધામ ગ્રુપ તેમજ ખોડલધામ ગ્રુપ સહિતના સામાજિક સંગઠનો, ચેમ્બર ઓફ કોમર્સ, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન સહિત વિવિધ ઉદ્યોગગૃહો તથા વેપારી સંગઠનો, ડોક્ટર્સ, વકીલો, સરકારી અધિકારી અને કર્મચારીગણ વગેરે જોડાઈને તિરંગા પ્રત્યેનો આદરભાવ વ્યક્ત કરશે.

તિરંગા યાત્રાને લઈ શહેરના કેટલાક રૂટ પર વાહનો માટે પ્રવેશબંધી

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ’હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રાજકોટ શહેરમાં કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશાળ તિરંગા યાત્રા યોજાશે. આશરે બે કિલોમીટર લાંબી યાત્રા શહેરમાં નીકળશે.આ તિરંગા યાત્રામાં એક લાખથી વધુ લોકો જોડાશે. આ રૂટ પર કોઈ ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે વાહનો માટ પ્રવેશ બંધી અને નો પાર્કિંગ ઝોન જાહેર કર્યો છે. જેમાં પોલીસ હેડ ક્વાર્ટર સર્કલથી બહુમાળી ભવન-જિલ્લા પંચાયતથી યાજ્ઞિક રોડ, હરીભાઈ હોલ, રાડીયા બંગલા ચોકથી માલવિયા ચોક સુધીના રોડ પર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ અને નો પાર્કિંગ જાહેર કરાયું છે. પોલીસ હેડ ક્વાર્ટરથી બહુમાળી ભવન ચોક તરફ જવું હશે તો જુની એન.સી.સી. ચોકથી કિશાનપરા અને ચિન્નોઈ માર્ગથી ટ્રાફિક શાખા તરફ જઈ શકશે. જ્યારે ચાણક્ય બિલ્ડીંગ ચોકથી બહુમાળી ભવન ચોક તરફ જવા માટે શ્રોફ રોડથી ટ્રાફિક શાખા પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ તરફથી જઈ શકાશે. સર્કીટ હાઉસ આઉટ ગેટ આકાશવાણી રોડથી ગેલેક્સી 12 માળ બિલ્ડીંગ તરફ જવા માટે પ્રવેશબંધી, ફૂલછાબ ચોકથી જિલ્લા પંચાયત ચોક-કિશાનપરા ચોક તરફ જવા માટે લોકોએ ચાણક્ય બિલ્ડીંગથી શ્રોફ રોડ અને ત્યાંથી પોલીસ હેડ ક્વાર્ટરથી જઈ શકાશે. કિશાનપરા ચોકથી જિલ્લા પંચાયત અને ફૂલછાબ ચોક તરફ જવા માટે લોકોએ મેયર બંગલાથી જુની એન.સી.સી. ચોક તરફથી જઈ શકશે. જ્યારે ભીલવાસ ચોકથી યાજ્ઞિક રોડ તરફ જવા માટે તમામ વાહનો માટે પ્રવેશબંધી છે આ તમામ વાહનો ફૂલછાબ ચોક ચાણક્ય બિલ્ડીંગ ચોક, શ્રોફ રોડથી ટ્રાફિક શાખા, પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ તરફ જઈ શકશે. તથા મોટી ટાંકી ચોક, લીમડા ચોક, માલવીયા ચોક, ગોંડલ રોડથી લોધાવાડ ચોક, મંગળા રોડથી ટાગોર રોડ મહિલા અંડર બ્રિજ તરફ જઈ શકશે. આ સિવાય મહાકાળી રોડ જાગનાથ પ્લોટથી યાજ્ઞિક રોડ તરફ જવા માટે લોકોએ મહિલા કોલેજ અંડર બ્રિજથી ટાગોર રોડ તરફ જઈ શકશે. રાજમંદિર ફાસ્ટફૂડ ચોકથી દસ્તુર માર્ગ યાજ્ઞિક રોડ ટી પોઈન્ટ તરફ જવા માટે વિરાણી ચોકથી ટાગોર રોડ લેલન ટી પોઈન્ટથી ગોંડલ રોડ, લોધાવાડ ચોક, ત્રિકોણબાગ તરફ જઈ શકશે. મોટી ટાંકી ચોક જીમખાના રોડથી રાડીયા બંગલા ચોક તરફ જવા માટે તમામ વાહનો લીમડા ચોક, માલવિયા ચોક, ગોંડલ રોડ, લોધાવાડ ચોક, મંગળા રોડથી ટાગોર રોડ મહિલા અંડરબ્રિજ તરફ જઈ શકાશે. જ્યારે વિદ્યાનગર મેઈન રોડ જસાણી કોલેજથી રાડીયા બંગલા ચોક તરફ જવા માટે મંગળા રોડથી લોધાવાડ ચોક માલવિયા ચોક તરફ જઈ શકાશે.

You Might Also Like

ભાવનગર: ગોળીબાર હનુમાન મંદિર ખાતે બ્રહ્મલીન મદનમોહનદાસ બાપુનો ‘રામાર્ચન મહાયજ્ઞ’ સંપન્ન

પુજિત વિજયભાઈ રૂપાણી ટ્રસ્ટ દ્વારા વિજયભાઈની પુણ્યતિથિ નિમિત્તે સેવા યજ્ઞ: 108 દર્દીઓને વિનામૂલ્યે શ્રવણયંત્ર અપાયા

રાજકોટમાં પ્રેમિકાની 11 વર્ષની દીકરી સાથે વારંવાર દુષ્કર્મ આચરી આરોપીએ આપઘાત કરી લીધો

જૂના કુવાડવા પોલીસ સ્ટેશન પાસેથી જછઙ મેનને 1.30 લાખના દારૂ સાથે ઝડપી લેતી ઙઈઇ

‘સત્ય સનાતન દેશ હૈ મેરા’ – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનો સાગર

TAGGED: bhupendrapatel, harshsanghavi, Rajkot, TIRANGAYATRA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લોકમેળાની મોસમ છતાં રમકડાંમાં નવી વેરાયટી નહીં: 40% મોંઘા
Next Article યમુનામાં યાત્રીઓથી ભરેલી બોટ ડૂબતા 2 લોકોના મોત, 20થી વધુ લોકો ડૂબ્યાની આશંકા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળના વડોદરા ડોડીયા ગામે સિંહ બેલડીના ધામા

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
પાટડીના સેડલા ગામે વિદેશી દારૂ સહિત રૂ. 1.01 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
જૂનાગઢ સ્થાનિક સ્વરાજ્યની પંચાયતોની ચૂંટણીમાં બળવાખોરો કિંગ મેકર સાબિત થશે
AAPના ઉમેદવાર નીલેશ માલમના ગોડાઉનમાંથી ઈંગ્લિશ દારૂ ઝડપાયો
ભાવનગર: ગોળીબાર હનુમાન મંદિર ખાતે બ્રહ્મલીન મદનમોહનદાસ બાપુનો ‘રામાર્ચન મહાયજ્ઞ’ સંપન્ન
પુજિત વિજયભાઈ રૂપાણી ટ્રસ્ટ દ્વારા વિજયભાઈની પુણ્યતિથિ નિમિત્તે સેવા યજ્ઞ: 108 દર્દીઓને વિનામૂલ્યે શ્રવણયંત્ર અપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ભાવનગર: ગોળીબાર હનુમાન મંદિર ખાતે બ્રહ્મલીન મદનમોહનદાસ બાપુનો ‘રામાર્ચન મહાયજ્ઞ’ સંપન્ન

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

પુજિત વિજયભાઈ રૂપાણી ટ્રસ્ટ દ્વારા વિજયભાઈની પુણ્યતિથિ નિમિત્તે સેવા યજ્ઞ: 108 દર્દીઓને વિનામૂલ્યે શ્રવણયંત્ર અપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

રાજકોટમાં પ્રેમિકાની 11 વર્ષની દીકરી સાથે વારંવાર દુષ્કર્મ આચરી આરોપીએ આપઘાત કરી લીધો

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?