સૌરાષ્ટ્રભરમાં 1,25,000 દિપ પ્રગટાવી મા ઉમિયાના 125માં પ્રાગટયદિનને વધાવ્યો
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં રવિવારે સામાજીક સંમેલન: કાર રેલીનો કાફલો સિદસર પહોંચશે
- Advertisement -
ઉમિયા પરિવાર દ્વારા મહિલા ઉત્પાદનોનું વેચાણ કમ પ્રદર્શનના 125 સ્ટોલમાં મુલાકાતીઓની જામતી ભીડ
ખાસ-ખબર સંવાદદાતા
વેણુ નદીના કાંઠે મા ઉમિયાના સાનીધ્યમાં સિદસરના આંગણે આયોજીત ત્રિદિવસીય મહોત્સવના પ્રથમ દિવસે ભાદરવી પુનમે આદ્યશકિત મા ઉમિયાના 125 માં પ્રગટદિને મા ના ચરણોમાં શિશ ઝુકાવી માતાજીની પૂજન આરતી માટે કડવા પાટીદાર ભાઇઓ બહેનો વિશાળ સંખ્યમાં ઉમિયાધામ સિદસર પહોંચ્યા હતા. સૌરાષ્ટ્રભર માંથી પદયાત્રીકોના સંધ સિદસર પહોંચી 11 કુંડી મહાયજ્ઞનો લ્હાવો લીધો હતો. મહોત્સવના પ્રથમ દિવસે સિદસરમાં ભાવીકોનો પ્રવાહ ઉમટી પડયો હતો.
- Advertisement -
એક દિવડો હું પણ પ્રગટાવું… સવા લાખ દિપ પ્રગટાવીને માતાજીની ભવ્ય આરતી
ગઇ કાલે ભાદરવી સુદ પૂનમે સૌરાષ્ટ્ર-ગુજરાત ના તમામ કડવા પાટીદાર પરિવારોએ ઘેર-ઘેર સાંજે 7:15 કલાકે એક સાથે એક સમયે મા ઉમિયાની દિપ પ્રગટાવી મા ની સંધ્યા આરતી કરી હતી. જગત જનની કુળદેવી મા ઉમિયાના 125 મા પ્રાગટયૂદિનને સવા લાખ (1,25,000) દિપ પ્રગટાવી અનેરા ઉત્સાહ સાથે વધાવ્યો હતો. કડવા પાટીદાર પરિવારોએ ખીર તેમજ લાપસી પ્રસાદ રૂપે રાંધી ગ્રહણ કરી હતી. કડવા પાટીદારોની ભકિત અને આસ્થાનું કેન્દ્ર મા ઉમિયાના ના આગણે પાવનભૂમી ઉમિયાધામ સિદસર દિવડાઓથી ઝળહળીત થઇ ઉઠયુ હતુ. સવા લાખ દિપ પ્રગટાવી શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ પટેલ, ઉપપ્રમુખ ચિમનભાઇ શાપરીયા, જગદીશભાઇ કોટડીયા, રમેશભાઇ રાણીપા, કોશીકભાઇ રાબડીયા, રમણીકભાઇ ભાલોડીયા, ભૂપતભાઇ ભાયાણી, તથા મહાનુભાવો ની ઉપસ્થિતીમાં માતાજીની ભવ્યાતીભવ્ય સંધ્યા આરતી કરવામાં આવી હતી.
27 ગ્રુપ વચ્ચે રાસ ગરબા સ્પર્ધામાં 12 વર્ષની બાળાથી લઇને 70 વર્ષ સુધીની મહિલા સ્પર્ધકો
ક્ષ રાસ ગરબા સ્પર્ધાની રમઝટ, વિજેતાઓની સાથે તમામ ભાગ લેનાર બહેનોને પ્રોત્સાહિત ઇનામો
ખાસ-ખબર સંવાદદાતા
ત્રિદિવસીય ‘બિલ્વપત્ર’ મહોત્સવમાં આજ રોજ તા. 30ને શનિવારના રોજ સવારે 8થી બપોરે 12:30 કલાકે સૌરાષ્ટ્રના વિવિધ તાલુકાઓ શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારના ગરબા મંડળો વચ્ચે સ્પર્ધા યોજાઇ હતી, જેમાં ઉમિયા પરિવાર મહિલા સંગઠન સમિતિ દ્રારા સૌરાષ્ટ્ર ઝોન માંથી 14 અને ગુજરાત ઝોન માંથી 4 ગરબા ગ્રુપ મળી કુલ 18 રાસ ગરબા પ્રદર્શન વચ્ચે સ્પર્ધા યોજાય. તેમજ સૌરાષ્ટ્રભરના પાટીદાર શૈક્ષણિક સંકુલોની બાળાઓ વચ્ચે ગરબા સ્પર્ધા યોજાય હતી. જેમાં 8 ગ્રુપ વચ્ચે ગરબા સ્પર્ધા રાખવામાં આવી હતી. વિજેતા ગ્રુપને ઇનામ આપી સન્માનીત કરવામાં આવી તેમજ ભાગ લેનાર તમામ ગ્રુપને તથા તમામ બહેનોને બાળ ઉછેર તથા પરેન્ટીંગની બુક ઉમિયાધામ સિદસર દ્રારા ઇનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. બાળાઓ દ્વારા વિવિધ રાસ ગરબા પ્રદર્શનોએ દર્શકોનું મનોરંજન કર્યુ હતુ. બહોળી સંખ્યામાં ઉપસ્થિત દર્શકોએ તાલીઓના ગડગડાતથી ગરબા સ્પર્ધકોને વધાવ્યા હતા. બિલ્વપત્ર મહોત્સવમાં યોજાનાર રાસગરબા સ્પર્ધાનું ઉમા ભવન ક્ધયા છાત્રાલય-ટંકારાની બાળાઓ દ્વારા ગણેશ સ્મૃતી કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આમંત્રીત મહેમાનો દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવ્યુ હતુ. ઉમિયા મહિલા સંગઠન સમિતિ સિદસર ના મહામંત્રી કાજલબેન સીતાપરા એ સ્વાગત પ્રવચન કર્યુ હતુ. તેમજ ઉમિયા મહિલા સંગઠન ગુજરાત ઝોનના પ્રમુખ જયશ્રીબેન ટીલવાએ આભાર દર્શન કર્યુ હતુ. ઉમિયા મહિલા સંગઠન સમિતિના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ સરોજબેન મારડીયાએ પ્રાસંગીક ઉદ્બોધન કર્યુ હતુ. ઉપસ્થિત મહાનુભાવો, રાસ ગરબા સ્પર્ધકો, દર્શકો, તથા મહિલા સંગઠન સમિતિના બહેનોએ સામુહિક રાષ્ટ્રગાન દ્રારા કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.
ઉમિયા પરિવાર મહિલા સંગઠન દ્વારા મહિલાઓને રોજગારી ની તક મળે તે ઉદેશ્ર્ય સાથે વિવિધ વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સૌરાષ્ટ્રભરની મહિલા ઉત્પાદકો અને મહિલા વેપારીઓ વિવિધ ઉત્પાદનો, વસ્તુઓ જેવી કે કિચન વેર, લેડીઝ વેર, ચિલ્ડ્રન વેર, પર્સ, ગૃહ સુશોભનની વસ્તુઓ, આર્યુવેદીક દવાઓ, હોમ ડેકોર, ગોબર પ્રોડકટ, ઓર્ગેનીક દવાઓ, મધ, મુખવાસ, રમકડા, વુડન આઇટમ, કોસ્મેટીક, જેવી અનેકવિધ વસ્તુઓ ભાવિકો માટે પ્રદર્શન કમ વેચાણ માટે ખુલ્લી મુકવામાં આવી છે. આત્રિદિવસીય મહોત્સવમાં મા ઉમિયાના 125 માં પ્રાગટયોત્સવને ધ્યાને રાખી વિવિધ પ્રોડકટ્ના 1રપ સ્ટોલમાં મહિલાઓ દ્વારા નિર્મિત અને મહિલાઓ દ્વારા સંચાલીત આ પ્રદર્શન માં વસ્તુઓની ખરીદી કરવા લોકોની ભીડ જામી રહી છે.
સિદસર ખાતે તા.1 ઓકટોને રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા કેબીનેટ મંત્રી પરસોતમભાઇ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતીમાં ભવ્ય સામાજીક સંમેલન યોજાશે. આ સામાજીક સંમેલનમાં ભાગ લેવા માટે ગુજરાતભર માંથી 125 કાર રેલી ઉમિયાધામ સિદસર આવશે. પ1 કારની એક રેલી એવી 1રપ કાર રેલી માં હજારો ભાવિકો મા ઉમિયાના દર્શન માટે આવશે.