By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    2 hours ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    2 hours ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    1 day ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    2 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
    32 minutes ago
    ‘તમે સોશિયલ મીડિયા પોસ્ટ હટાવી શકો, અમને નહીં…’, અભિજિત દીપકેના સરકાર સામે પ્રહાર
    1 hour ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    23 hours ago
    રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
    23 hours ago
    UP-MPમાં વાવાઝોડાંથી 500 વૃક્ષો ધરાશાયી: હરિયાણામાં ક્રેન પડી, 3નાં મોત નિપજ્યાં
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    2 hours ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    23 hours ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    1 day ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    4 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    46 minutes ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    1 hour ago
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    2 hours ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    2 hours ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    24 hours ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ફેક્ટ અને ફેક ન્યૂઝનું સત્ય, અર્ધસત્ય, અસત્ય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > ફેક્ટ અને ફેક ન્યૂઝનું સત્ય, અર્ધસત્ય, અસત્ય
Bhavy Raval

ફેક્ટ અને ફેક ન્યૂઝનું સત્ય, અર્ધસત્ય, અસત્ય

Khaskhabar Editor
Last updated: 2024/08/06 at 3:47 PM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE

અશિક્ષિત પત્રકારો અને સોશિયલ મીડિયાના સ્વયં ઘોષિત પત્રકાર દ્વારા સ્વાર્થ અનુસાર થતો ફેક ન્યૂઝનો ફેલાવો

ગુજરાતી પત્રકારત્વમાં કહેવાઈ રહ્યું છે, ચર્ચાઈ રહ્યું છે, જાણવા મળ્યું છે, પ્રાપ્ત વિગત અનુસાર, મળતી માહિતી મુજબ, અંગર સૂત્રો પાસેથી, નામ ન આપવાની શરતે, અમે પૃષ્ટિ કરતા નથી વગેરે જેવા શબ્દોનો ભરપૂર ઉપયોગ કરીને સાચી-ખોટી માહિતીને સમાચારના સ્વરૂપમાં પ્રસિદ્ધ કરી નાખવામાં આવે છે. આજકાલથી નહીં, વર્ષોથી આ શબ્દરમત ચાલી આવે છે. હમણાંહમણાંથી તો આ પ્રકારના શબ્દોનો ઉપયોગ પણ ઓછો થઈ ગયો છે, સીધું જ કશું તપસ્યા વિના જે જોયું કે જાણ્યું તેને સત્ય માની સમાચાર સ્વરૂપે પબ્લીશ, પોસ્ટ અને પછી શેઅર કરી દેવામાં આવે છે. કોઈ ઘટના બનવાની હોય કે કોઈ ઘટના બની ગઈ હોય તે વિશે સામાન્ય માણસથી લઈ પત્રકારો પાસે અલગઅલગ અને એકએકથી ચઢિયાતી માહિતી હોય છે. ઇન્ફોર્મેશનના વિસ્ફોટ વચ્ચે કઈ માહિતી કોની સાચી અને કઈ માહિતી કોની ખોટી એ નક્કી કરવું મુશ્કેલ બની જાય છે. સૌથી પહેલા, સૌથી વધુ વ્યૂઅર્સ અને રીડર્સ વધારવાની રેસમાં મિસ ઈન્ફોર્મેશન અને ડિસ ઈન્ફોર્મેશનનો વધી ગયું છે, જે માહિતીને અર્ધ સત્ય અથવા અસત્ય બનાવી નાખે છે અને જોતજોતામાં માહિતી અફવામાં પરિવર્તિત થઈ જાય છે. જેને ફેક ન્યૂઝ પણ કહેવામાં આવે છે.

- Advertisement -

1890ના દાયકામાં જ્યારે અખબારોમાં સનસનાટીભર્યા અહેવાલો સામાન્ય હતા ત્યારે ફેક ન્યૂઝ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ શબ્દની કોઈ નિશ્ચિત વ્યાખ્યા નથી. ફેક ન્યૂઝ એટલે ખોટી અથવા ભ્રામક માહિતી જેને સમાચાર સ્વરૂપે પ્રસિદ્ધ કરવામાં આવી છે એવું કહી શકાય. ફેક ન્યૂઝ બનાવવા અને ફેલાવવાનો ઉદ્દેશ્ય અલગઅલગ હોય છે. આ ફેક ન્યૂઝને ટક્કર આપી રહી છે, ફેક્ટ ચેકિંગ વેબસાઈટ્સ. અખબારો, ટીવી ચેનલ્સ, ન્યૂઝ વેબસાઈટ્સ, સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ થયેલી માહિતી સત્ય, અર્ધસત્ય કે અસત્ય છે કે નહીં તેની ચકાસણી હવે ફેક્ટ ચેકિંગ વેબસાઈટ્સ પર થાય છે. કમનસીબે કેટલીક ફેક્ટ ચેકિંગ વેબસાઈટ્સ પક્ષપાતી વલણ ધરાવતી થઈ ગઈ છે અને પસંદગીયુક્ત તથ્યની જ તપાસ કરે છે અને તેમાં પણ તેઓ તથ્યોને તોડવા-મરડવામાં કઈ જ બાકી રાખતા નથી. કહેવા માટે તેઓ સાચા કે ખોટા સમાચારોની ચકાસણી કરે છે પરંતુ હકીકતમાં તેઓ કોઈ ચોક્કસ વિચારધારા, કોઈ ચોક્કસ પક્ષ અથવા કોઈ ચોક્કસ સંગઠનના લોકોને સારા અથવા ખોટા સાબિત કરવા ઈચ્છતા હોય છે. મોટાભાગની ફેક્ટ ચેકિંગ વેબસાઈટ્સ પણ એક એજન્ડા આધારિત કામ કરે છે. મારી સમજ મુજબ ફેક્ટ ચેકિંગ એટલે તથ્યો તપાસવા.. આ સંદર્ભમાં ફેક્ટ ચેકિંગ શબ્દ જ થોડો ખોટો અને ખૂંચે છે, ફેક ચેકિંગ અથવા ઈન્ફો ચેકિંગ શબ્દ હોવો જોઈએ.

જો સમાચાર ફેક્ટ છે તો પછી ચેક કરવા જરૂર નથી. અને જો કહેવાતા સમાચાર ફેક્ટ નથી, ફેક છે તો જ તેને ચેક કરવા જરૂર પડે છે. સમચારમાં સ્વરૂપમાં અફવા ફેલાતી હોય તો જ તે તપાસનો વિષય બને છે. એટલે ફેક્ટ નહીં ફેક ચેકિંગ હોવું જોઈએ. ફેક ન્યૂઝનું દૂષણ દૂર કરવા ફેક ચેકિંગ વેબસાઈટ્સએ નિષ્પક્ષ – તટસ્થ કામ કરવું પડશે. ફેક ન્યૂઝ એકલા ભારતમાં જ ફેલાઈ રહ્યા છે એવું નથી. ફેક ન્યૂઝનો ઈતિહાસ ઘણો જૂનો છે. વિશ્વ યુદ્ધો દરમિયાન કોણ જીત્યું અને કોણ હાર્યુંના બનાવટી સમાચાર ફેલાવવામાં આવતા હતા. એક અહેવાલ અનુસાર 19મી સદીના સૌથી મોટા ફેક ન્યૂઝ અમેરિકન અખબાર ધ ન્યૂયોર્ક સન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા. ધ ન્યૂયોર્ક સન અખબારે લખ્યું હતું છે કે, બે અવકાશયાત્રીઓ ચંદ્ર પર ગયા હતા અને ત્યાં તેમને જીવન મળ્યું હતું. જોકે એક મહિના પછી અખબારે તેના વાંચકોને કહેવું પડ્યું હતું કે, આ શ્રેણી બનાવટી સમાચાર પર આધારિત છે. કોઈ સત્ય ન માની લેશો. આમ, ફેક ન્યૂઝ ફેલવવામાં અશિક્ષિત પત્રકારો અને બેજવાબદાર સમાચાર સંસ્થાઓનો ફાળો સવિશેષ છે. 21મી સદીમાં ઈન્ટરનેટના આગમન – ઉદય પછી ફેક ન્યૂઝની ત્સુનામી આવી ગઈ છે. વધુને વધુ ક્લિક્સ મેળવવા કેટલાક અશિક્ષિત પત્રકારો જ અધૂરી, અધકચરી, અસત્ય, અર્થહિન માહિતી સમાચારના સ્વરૂપમાં પ્રસિદ્ધ કરે છે. વળી સોશિયલ મીડિયાના સ્વયં ઘોષિત પત્રકાર તેમાં સ્વાર્થ અનુસાર સુધારો-વધારો કરી તેનો ફેલાવો કરતા જ જાય છે. ફેક્ટ ન્યૂઝની સરખામણીમાં ફેક ન્યૂઝ ઝડપથી ફેલાય છે. કારણ કે, સત્ય સમાચારોની તુલનામાં અસત્ય સમાચારો વધુ આકર્ષિત કરનારા હોય છે. બ્રેકિંગ ન્યૂઝ સિન્ડ્રોમને કારણે પણ ફેક ન્યૂઝનો મોટા પ્રમાણમાં વધારો અને ફેલાવો થયો છે.

સમાચારો ફેક્ટ હોય તો ચેક કરવા જરૂર નથી, ફેક હોય તો જ ચેક કરવા પડે: ફેક્ટ ચેકિંગ નહીં, ફેક ચેકિંગ હોવું જોઈએ

- Advertisement -

મોટાભાગના લોકો પોતાના પાસે આવેલી માહિતીને બ્રેકિંગમાં ખપાવી અન્યને જણાવવાની તાલાવેલી રાખતા હોય છે. જેવું જાણો એવું બધાને કહી દેવાની ઘેલછાને કારણે ફેક ન્યૂઝ વધી ગયા છે. પહેલાના પત્રકારત્વમાં એ સુનિશ્ચિત કરવામાં આવતું હતું કે સમાચાર થોડા મોડા પ્રસારિત થાય તો પણ તે સ્ત્રોતના આધારે હોવા જોઈએ અને તે સ્ત્રોત વિશ્વસનીય હોવા જોઈએ. કોઈપણ માહિતીને સમાચારનું સ્વરૂપ આપી ન શકાય. સમાચાર તૈયાર કરવાની એક આખી પ્રક્રિયા છે, જે અંતર્ગત પહેલા તેની તપાસ કરવી જોઈએ, પછી તેની ઉલટ તપાસ કરવી જોઈએ, ક્રોસ ચેક બાદ ક્રોસ વેરીફાઈ પણ કરવું જોઈએ. રિપોર્ટરથી લઈ એડિટર સુધી તમામે સમાચારનો સ્ત્રોત તપાસવો જરૂરી છે, સૂત્રના આધારે સમાચાર ન લખી કે કહી શકાય. જૂની પેઢીના પત્રકારો પાસે પત્રકારત્વની ડિગ્રી નહતી છતાં તેઓ જવાબદાર પત્રકારત્વ કરતા હતા. નવી પેઢીના પત્રકારો જેમણે પત્રકારત્વનું શિક્ષણ મેળવ્યું નથી, જર્નાલિઝમ વિશે જાણતા નથી છતાં આ ફિલ્ડમાં આવ્યા છે તેમને કમ્ફર્ટ ઝોનમાં રહેવું ગમે છે. એસી ચેમ્બરમાં બેસીને સમાચાર આપતી વેબસાઈટ પર પરથી સમાચારની ઉઠાંતરી કરવી છે, તેમાં સુધારો-વધારો કરી કઈપણ લખી કે બોલી નાખવું છે.

અગાઉ રિપોર્ટિંગ સ્થળ પરથી જ થતું હતું, આજે રિપોર્ટીંગ કહેવા પૂરતું રહ્યું છે, ગ્રાઉન્ડ રિપોર્ટિંગ ખૂટે છે. અને બસ એટલે જ અહીંથી ફેલાવવાની શરૂઆત થાય છે, ફેક ન્યૂઝ. અહીં એ સમજવું જરૂરી છે કે, ન્યૂઝ એ પ્રોસેસ્ડ પ્રોડક્ટ છે. જો તે સમાચાર છે તો તે નકલી નથી અને જો તે નકલી છે તો તે સમાચાર નથી. આજે પ્રેસ રિલીઝ એટલે કે પ્રેસનોટ લખી-બોલી નાખવાના કામને પત્રકારત્વ માનવામાં આવી રહ્યું છે. પ્રેસનોટમાં પણ જે લખાણ આવે તે શબ્દશ: પ્રસિદ્ધ કરી દેવામાં આવે છે, હેડિંગ, પેટા કે ઈન્ટ્રો બદલવાની કોઈ તસ્દી લેતું નથી. ફેક ન્યૂઝ ફેલાવવાનું આ પણ એક કારણ છે કે, કોઈ દ્વારા લેખિત કે મૌખિક આપેલી માહિતી પ્રેસનોટ સમજી કશી જ તપાસ કર્યા વિના પ્રસિદ્ધ કરી દેવામાં આવે છે. જોકે આ માટે પણ ફેક ન્યૂઝ નહીં, ફેક ક્ધટેન્ટ શબ્દ બરાબર રહેશે. ફેક ક્ધટેન્ટને બનાવતું, ફેલાતું રોકવા માટે પત્રકારત્વમાં પ્રશિક્ષણ મેળવેલી વ્યક્તિને જ પ્રવેશ આપવો જોઈએ. ઈન્ટરનેટ આવ્યું એ પહેલા પ્રિન્ટ કે ઈલેક્ટ્રોનિક મીડિયામાં માત્ર પ્રશિક્ષિત અને નિષ્ણાતો જ સમાચાર લખતા હતા, ઈન્ટરનેટ આવ્યું પછી દર પાંચમી વ્યક્તિ પત્રકાર બની બેઠી છે. જે સત્યતા તપાસ્યા વિના ગમે તે પોસ્ટ અને શેર કરે છે. જે ફેક ન્યૂઝને જંગલની આગની જેમ ફેલાવી દે છે. ફેક ન્યૂઝના કારણે આ દેશમાં પત્રકારત્વનું સ્તર નીચે જઈ રહ્યું છે. તેનું સૌથી મોટું કારણ આ ક્ષેત્રમાં એવા અનપ્રોફેશનલ લોકોની હાજરી છે જેઓ ન તો પત્રકારત્વની નૈતિકતા જાણતા હોય છે અને ન તો તેમની પાસે કોઈ વ્યાવસાયિક અનુભવ કે વ્યવહારિક જ્ઞાન હોય છે. તેથી જ આજના યુગમાં પત્રકારત્વના સ્નાતકોને મુખ્ય પ્રવાહમાં લાવવાની જરૂર છે. આ સાથે પત્રકારત્વનું સ્તર પણ વધશે અને તે સ્નાતકોને રોજગાર પણ મળશે. વધતામાં ફેક ન્યૂઝ પણ ફેલાતા અટકશે.

You Might Also Like

બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?

પ્રકૃતિની તપસ્યા અને નવસર્જનનો મહાઉત્સવ એટલે નવતપા

સાવધાન: AIની વધુ પડતી નિર્ભરતા એટલે આપણી આવનારી પેઢીઓ માટે પાણીનું જોખમ

ભાજપ, કૉંગ્રેસ, આપના ઉમેદવારોને મતદારો નહીં કાર્યકરો હરાવશે?

ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!

TAGGED: FACT, fakenews
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article Happy Birthday Khas Khabar: ચોથું વર્ષ અને… ચાર વચન
Next Article “ધ ઇમરજન્સી” પુસ્તક માટે ગુજરાત સૌરભ શાહનું ઋણી રહેશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજ્યના નવા DGP તરીકે જી.એસ.મલિકની નિમણૂક
ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
રાજકોટ મનપાનો ઐતિહાસિક નિર્ણય: 846 કરોડના 98 વિકાસ કામો સ્થગિત, સમીક્ષા શરૂ
ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Bhavy Raval

બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Bhavy Raval

પ્રકૃતિની તપસ્યા અને નવસર્જનનો મહાઉત્સવ એટલે નવતપા

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Bhavy Ravalરાજકોટ

સાવધાન: AIની વધુ પડતી નિર્ભરતા એટલે આપણી આવનારી પેઢીઓ માટે પાણીનું જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?