બમ બમ ભોલેનાં જય જયકાર સાથે અમરનાથ તીર્થયાત્રીઓની પહેલી ટુકડી બાલતાલ આધાર શિબીરથી પવિત્ર અમરનાથ ગુફા તરફ આગળ વધી હતી. તીર્થ યાત્રી આ શિબીરથી લગભગ 13000 ફૂટની ઉંચાઈ પર સ્થિત ગુફા મંદીર સુધી 12 કિલોમીટરની યાત્રા કરશે. આ 62 દિવસીય તીર્થયાત્રાનું સમાપન 31 ઓગસ્ટે થશે.
પહેલા દિવસે જમ્મુ-કાશ્મીરનાં બાલતાલ ઉપરાંત ગાંદરબાલ બેઝ કેમ્પથી શ્રધ્ધાળુઓની ટુકડી નીકળી હતી. જયારે જમ્મુનાં ભગવતીનગર બેઝ કેમ્પથી 4400 તીર્થયાત્રીઓની બીજી ટુકડી રવાના થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમરનાથ યાત્રાને દિવ્ય અને ભવ્ય વારસો ગણાવી છે.
- Advertisement -
તેમણે તીર્થયાત્રીઓને શુભકામનાં પાઠવી જણાવ્યુ હતું કે, બાબા બર્ફાનીનાં આર્શીવાદથી બધા શ્રધ્ધાળુઓના જીવનમાં નવો ઉત્સાહ અને નવી ઉર્જાનો સંચાર થાય. અમરનાથ યાત્રા શ્રાઈન બોર્ડે જણાવ્યુ હતું કે, અમરનાથ યાત્રા માટે અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ શ્રધ્ધાળુઓ રજીસ્ટ્રેશન કરાવી ચુકયા છે. સેનાએ સુરક્ષીત યાત્રા માટે રસ્તા પર કમાન્ડો,એન્ટી ડ્રોન સીસ્ટમ, બોમ્બ સ્કવોડ, સ્નીફર ડોગ તૈનાત કર્યા છે.
બીજી બાજુ, બર્ફાની બાબા અમરનાથની પહેલી તસ્વીર પણ બહાર આવી છે.સવારે મંત્રોચ્ચાર સાથે આરતી કરાઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ હાજર હતા.