-બન્ને દેશોના અનેક ભાગો સંપૂર્ણ ખંઢેર
તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ ભયંકર ભુકંપ આવ્યો હતો. ત્યારબાદ તુર્કી અને સિરિયામાં તબાહીના દ્દશ્યો સામે આવી રહ્યા છે. અત્યાર સુધીનો મૃત્યુઆંક 45000ને પાર પહોંચી ગયો છે. ભૂકંપ બાદ પણ અનેક આફટર શોક આવી ચૂકયા છે અને ખુબ હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે અંતાડયામાં 278 કલાક બાદ એક યુવકને કાટમાળમાંથી જીવતો બહાર કાઢવામાં આવ્યો હતો.
- Advertisement -
ભૂકંપથી તુર્કીને રૂા.6 લાખ કરોડનું નુકશાન થયુ હોવાનું અનુમાન છે. મોટાભાગની ઈમારતો ધરાશાયી થઈ છે. તુર્કી સરકારે તેને ચાર લાખ કરોડ રૂપિયાનું નુકશાન જણાવ્યું છે. ધરાશાયી ઈમારતો બીજી વાર ઉભી કરવામાં આવશે.
તુર્કીમાં 38044થી વધુ લોકોના મોત થઈ ચૂકયા છે. સીરિયામાં 5800 થી વધુ લોકોના મોત થયા છે. તુર્કીમાં 1 કરોડ 30 લાખ લોકોના 10 રાજયોમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે અને 8 હજાર લોકોને બચાવવામાં આવ્યા.