શિવરાત્રી મેળામાં આવતા યાત્રિકોની સુવિધામાં વધારો કયારે
15 ફેબ્રુઆરીએ ધ્વજા રોહણથી મહા શિવરાત્રી મેળાનો પ્રારંભ
- Advertisement -
કલેકટરની અધ્યક્ષતામાં મહાશિવરાત્રી મેળા માટે 13 સમિતિઓની રચના
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ આદિ અનાદિ કાળથી ભવનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં મહા શિવરાત્રીનો મેળો યોજાય છે અને મેળામાં પ્રતિ વર્ષ 10 લાખથી વધુ ભાવિકો મેળો માણવા પધારે છે ત્યારે મહા નગરપાલિકા, વન વિભાગ સહીતના વહીવટી તંત્ર દ્વારા એક મહિના અગાઉ તૈયારીઓ કરવામાં આવેછે મેળાનું સુંદર આયોજન થાય તે માટે કલેકટર રચિત રાજના અધ્યક્ષતામાં મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આ સંદર્ભે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી, જરૂરી પ્રાથમિક સુવિધાઓ અને ખાસ કરીને શ્રદ્ધાળુઓ માટે યાતાયાતની વ્યવસ્થાઓ માટે દિશાસૂચક માર્ગદર્શન આપ્યું હતું. અને મહાશિવરાત્રીના મેળાનું સુચારૂ આયોજન માટે એક લેખિત આદેશથી 13 સમિતિઓની રચના કરવામાં આવી હતી. જેમાં સંબંધિત અધિકારીઓને તેમના વિભાગોને અનુરૂપ કામગીરી સોંપવામાં આવી છે. આ બેઠકમાં ટ્રાફિક નિયમન, કાયદો વ્યવસ્થા, પાર્કિંગ ઉપરાંત રસ્તાઓને વન-વે જાહેર કરવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ખાસ કરીને જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ સુધી એસ.ટી, બસની વ્યવસ્થા, એસ.ટી. બસોના વધારાના રૂટ દોડાવવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત ટ્રેનમાં આવતા મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે પણ તકેદારી લેવા રેલવે વિભાગના અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું.મહાશિવરાત્રીના મેળા દરમિયાન ગિરનાર રોપ વેમાં પ્રવાસીઓ માટે વ્યવસ્થાઓ જળવાઈ રહે અને ખાસ કરીને પ્રવાસીઓની સલામતી ન જોખમાય તે માટે વિશેષ તકેદારી લેવા પણ કલેક્ટરે સુચનાઓ આપી હતી.અને ઉતારા મંડળોને જગ્યા ફાળવણી, રસ્તાઓનું મરામત, દબાણ દૂર કરવા સહિતના મુદ્દે કલેકટરએ સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
- Advertisement -
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એલ. બી. બાંભણીયા, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટી, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી, આસિસ્ટન્ટ કલેકટર હનુલ ચૌધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ ભવનાથ તળેટીમાં મહા શિવરાત્રી મેળો આગામી 15 ફેબ્રુઆરીના રોજ ભવનાથ મહાદેવ મંદિર ની ધ્વજા રોહણ બાદ અન્ય અખાડામાં ધજા ચડાવી મેળાનો પ્રારંભ થાય છે અને મહા શિવરાત્રી ની મધ્યરાત્રિ એ નાગા સંન્યાસી સાધુ ની રવેડી બાદ ભવનાથ મંદિરમાં આવેલ મૃગીકુંડમાં સ્નાન વિધિ બાદ વિધિવત મેળો સંપન્ન થાય છે પાંચ દિવસ ચાલનાર મેળામાં 10 લાખથી વધુ યાત્રિકો મેળો માણવા આવેછે અને મેળો માણવાની સાથે ગિરનાર પર્વત પર આવેલ અંબાજી મંદિર તેમજ ગુરુ દત્તાત્રય ભગવાન દર્શન કરવા ખુબ મોટી સંખ્યામાં યાત્રિકો ગિરનાર પર્વત પર આવેલ અલગ અલગ ધર્મ સ્થાનોની મુલાકાત કરે છે એવા સમયે ગિરનાર પર્વત પર હાલના સ્ત્રોત સિવાય પાણીની ખુબ મોટી સમસ્યા છે લોકોને ઊંચા ભાવે પ્લાસ્ટિકની બોટલ ખરીદી કરવી પડે છે જેના હિસાબે પ્લાસ્ટિક નો કચરો પણ ખુબ મોટા પ્રમાણ માં થાય છે બીજી તરફ અંબાજી મંદિર પાસે સોલાર સિસ્ટમ લગાવામાં આવી છે પણ બંધ છે બીજી તરફ સૌચાલય બ્લોક બન્યા છે પણ પાણીના અભાવે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે તેની સાથે ગિરનાર સીડી પર પેશકદમીના લીધે ભાવિકોને ચાલવાનો રસ્તો સાકડો થતા યાત્રાળુને મુશ્કેલી અનુભવી પડે છે મકરસંક્રાતિના દિવસે પ્રવસીઓનો ખુબ મોટા પ્રમાણમાં ઘસારો જોવા મળ્યો હતો જેના લીધે અનેક પ્રવાસીઓ હાલાકી ભોગવી પડી હતી.
ભવનાથ ઉતારા મંડળની માંગ
ભવનાથ ઉતારા મંડળ દ્વારા મહા શિવરાત્રી મેળાને લઈને તંત્ર પાસે એવી માંગ કરી છેકે ગિરનાર સિડીના પગથિયાં લિસા થઈ જવાને કારણે અકસ્માતનો ભય છે ગિરનાર પર્વત ઉપર લાખોની સંખ્યામાં યાત્રાળુ આવેછે જેના લીધે પગથિયાં લિસા થઇ જાય છે તો દર બે ત્રણ વર્ષે ટાંચવા જોઈએ તેની સાથે ગિરનારની બીજી સીડી ભરત શેષાવનની સીડીની પણ મરામત કરવાની જરુર છે તેની સાથે હાલ ભવનાથ તળેટી રોડ પર ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે તે કામ વેહલી ટકે પૂર્ણ કરીને ફરી રોડ સારો બનાવો જોઈએ અને સાબલપુરથી ભવનાથ રોડને વેહલી તકે રીપેર કરવો જોઈએ અને મેળાને લઘુકુંભનો દરરજો આપવોની માંગ કરી હતી.