જિલ્લા પ્રશાસને અત્યાર સુધીમાં કાટમાળમાંથી 8 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા, મોડી રાતથી ગાઢ ધુમ્મસ અને ઠંડીના કારણે જિલ્લા વહીવટી તંત્રને રાહત બચાવમાં મુશ્કેલી
બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના રામગઢવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે સાંજે ઈંટના કારખાનામાં પ્રચંડ ચીમની બ્લાસ્ટની ઘટના સામે આવી છે. વિગતો મુજબ આ ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. જિલ્લા પ્રશાસને અત્યાર સુધીમાં કાટમાળમાંથી 8 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. જોકે મોડી રાતથી ગાઢ ધુમ્મસ અને ઠંડીના કારણે જિલ્લા વહીવટી તંત્રને રાહત બચાવમાં મુશ્કેલી પડી રહી છે. જિલ્લા વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમ ગઈકાલે રાતથી જ સ્થળ પર તૈનાત છે. ટૂંક સમયમાં જ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે અને નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ તરફ પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી ટ્વિટ કરી જાહેરાત કરાઇ હતી કે, PMNRF તરફથી દરેક મૃતકના પરિવારને 2 લાખ અને ઘાયલોને 50,000નો વળતરની જાહેરાત કરાઇ છે.
- Advertisement -
બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના રામગઢવા વિસ્તારમાં ઈંટના કારખાનામાં કામ કરતી વખતે અચાનક એક ચીમની તૂટી પડી હતી. જેમાં ડઝનબંધ લોકો દટાઈ ગયા હતા. મોડી રાત સુધી કાટમાળમાંથી આઠ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. આ તરફ રાત્રે અંધારું થવાના કારણે રાહત અને બચાવ કાર્યમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એવું કહેવામાં આવે છે કે, પૂર્વ ચંપારણના રામગઢવા બ્લોકના નારીગીર ગામના સારેહમાં ત્રણ ભાગીદારો સાથે મળીને ચીમની ચલાવે છે. બપોરથી રાઉન્ડ માટે ચીમની નીચે કાચી ઇંટો સજાવવામાં આવી રહી હતી જેમાં અચાનક ઉદ્યોગની ચીમની ધરાશાયી થતાં ડઝનબંધ મજૂરો કામ કરી રહ્યા હતા.
Bihar | Death toll due to the explosion in the chimney of the brick kiln in Narirgir in Ramgarhwa rises to nine. Eight people are admitted to a private hospital in Raxaul. Debris being cleared: Motihari DM pic.twitter.com/t21yPN3vXf
— ANI (@ANI) December 24, 2022
- Advertisement -
શું કહ્યું જિલ્લા મેજિસ્ટ્રેટે ?
મોતિહારી જિલ્લા મેજિસ્ટ્રેટ કપિલ શિરશત અશોકે જણાવ્યું કે, રાહત ટીમ સ્થળ પર તૈનાત છે. જોકે ઠંડી અને ધુમ્મસના કારણે કાટમાળ હટાવવામાં મુશ્કેલી પડી રહી છે. અત્યાર સુધીમાં 8 લોકોના મૃતદેહ કાઢવામાં આવ્યા છે. ટૂંક સમયમાં કાટમાળ દૂર કરવામાં આવશે. આ કેસમાં એડીએમ રેન્કના ત્રણ અધિકારીઓને તપાસ સોંપવામાં આવી છે. તપાસ બાદ અધિકારી ટૂંક સમયમાં ઘટનાનું કારણ અને તેનાથી થયેલા નુકસાન અંગેનો રિપોર્ટ જાહેર કરશે. જોરદાર અવાજ સાથે ચીમની ધરાશાયી થવાને કારણે લોકોને ભાગવાનો સમય પણ ન મળ્યો અને કામ કરતા મજૂરો દટાઈ ગયા. કામ દરમિયાન ચીમનીના બે ભાગીદારો સ્થળ પર હાજર હતા. બનાવમાં બંને ભાગીદારો મો. ઇર્શાદ અને નુરુલ હક ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને રક્સૌલની એસઆરપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
पूर्वी चम्पारण जिले के रामगढ़वा थाना क्षेत्र में ईंट-भट्ठे की चिमनी फटने की घटना दुःखद। मृतकों के परिजनों के प्रति गहरी संवेदना है। घायलों का समुचित इलाज कराने का निर्देश दिया है। उनके शीघ्र स्वस्थ होने की कामना है।
— Nitish Kumar (@NitishKumar) December 23, 2022
એક ડઝનથી વધુ મજૂરો સારવાર હેઠળ
આ સિવાય ચિમનીના કાટમાળ નીચે દટાયેલા એક ડઝનથી વધુ મજૂરોને રામગઢવા અને રક્સૌલ પીએચસીમાં સારવાર આપવામાં આવી રહી છે. નારીગીર ગામની આ ઈંટ ફેક્ટરીની ચીમની લગભગ 100 ફૂટ ઉંચી છે, જેમાંથી અડધી એટલે કે 50 ફૂટ નીચે પડી ગઈ છે. રક્સૌલના એસડીઓ અને ડીએસપી સહિત અનેક પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય ચલાવી રહી છે.
Pained by the loss of lives due to a mishap at a brick kiln in Motihari. Condolences to the bereaved families. Prayers with the injured. An ex-gratia of Rs. 2 lakh from PMNRF would given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 24, 2022
વડાપ્રધાન કાર્યાલય તરફથી મૃતકોને સહાય
વડાપ્રધાન કાર્યાલય દ્વારા મોતિહારીમાં ઈંટના ભઠ્ઠામાં થયેલી દુર્ઘટનાને કારણે જીવ ગુમાવવાથી દુઃખ પ્રગટ કરવામાં આવ્યું છે. આ સાથે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરાઇ છે. આ સાથે PMNRF તરફથી 2 લાખ દરેક મૃતકના પરિજનોને ઘાયલોને રૂ. 50,000 વળતરની જાહેરાત કરાઇ છે.