By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પર ટ્રમ્પના કડક પગલાં સામે શિકાગોમાં વિરોધ પ્રદર્શન, 1000થી વધુની ધરપકડ
    5 hours ago
    પાકિસ્તાનનાં રક્ષામંત્રીએ કહ્યું, યુદ્ધ થયું તો ભારત પોતાના જ તૂટી ગયેલા વિમાનોની નીચે દટાઈ જશે
    6 hours ago
    લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યોએ કેનેડામાં હરીફના ઘરે અંધાધૂંધ ગોળીબાર
    7 hours ago
    ઈરાનમાં હવે 10,000 રિયાલની વેલ્યૂ 1 થઈ ? જાણો શા માટે
    8 hours ago
    હમાસ ગાઝા પર કબજો છોડશે, બંધકોને મુક્ત કરશે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇલેક્ટ્રિક વાહનો હવે ચુપચાપ પસાર નહીં થાય, અવાજ જરૂરી
    5 hours ago
    દાર્જિલિંગમાં ભૂસ્ખલન: 23નાં મોત
    5 hours ago
    કટકમાં દુર્ગા વિસર્જન દરમિયાન હિંસા, વાહનો સળગાવાયા-દુકાનોમાં તોડફોડ
    5 hours ago
    બિહારમાં ચૂંટણી બ્યૂગલ
    5 hours ago
    ICUમાં મોતનું તાંડવ, 8નાં મોત
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ
    2 days ago
    Hats Off Surya!! આખી ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને અર્પણ
    1 week ago
    ભારતની જીત બાદ PCBના વડા મોહસીન નકવીએ ટ્રોફી-મેડલ ચોર્યાં!
    1 week ago
    ભારતીય ટીમે ઉજવણી તો કરી પણ હવે ટ્રોફી મળશે?
    1 week ago
    પાકિસ્તાની કેપ્ટ પોતાની મેચની ફી ઓપરેશન સિંદૂરમાં ઠાર થયેલા આતંકીઓના પરિવારને દાન કરશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેતા રજનીકાંત આધ્યાત્મિક યાત્રા પર નીકળ્યા, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી બ્રેક લીધો
    6 hours ago
    બોલિવૂડના મોટા સ્ટાર્સની કમાણી હવે માત્ર ફિલ્મો પર નિર્ભર નથી
    4 days ago
    શિલ્પા અને રાજને થાઈલેન્ડ ત્રણ દિવસના વેકેશન પર જવાની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી
    4 days ago
    શ્રદ્ધા કપૂરે એનિમેટેડ ફિલ્મ ‘છોટી સ્ત્રી’ની જાહેરાત કરી
    1 week ago
    દિલજીત -પરિણિતીની અમર સિંહ ચમકીલા માટે ઇન્ટરનેશનલ એમી એવોર્ડ માટે નોમિનેટ
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે શરદ પૂર્ણિમા અને ભદ્રા ,પંચકનો અશુભ પડછાયો પણ રહેશે
    7 hours ago
    Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે
    5 days ago
    આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે
    2 weeks ago
    આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક
    2 weeks ago
    શક્તિ અને આરાધનાના પર્વનો પ્રારંભ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સ્વિગી-ઝોમેટો ગ્રાહકોને આપે છે આકરા ડામ
    1 week ago
    રેસકોર્સના ગાર્ડનમાં ગંદકી અને ઉંદરોનો અસહ્ય ત્રાસ
    2 weeks ago
    આસિસ્ટન્ટ પ્રોફેસર ભાવિક કંટેસરિયા, ભાવેશ રાબા અને પલક સખીયાને ભરતીના ડાયરેક્ટ ઓર્ડરની લ્હાણી
    2 weeks ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેનની ગાડી ‘લોગ બૂક’ કોણ મેઈન્ટેઈન કરે છે?
    3 weeks ago
    VC ઉત્પલ જોશીના રાજમાં સંઘી-સવર્ણોને ઘી-કેળા!
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જયસુખ પટેલનાં કુટુંબીઓ પણ વ્હાઈટ કોલર ક્રિમિનલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જયસુખ પટેલનાં કુટુંબીઓ પણ વ્હાઈટ કોલર ક્રિમિનલ
ખાસ-ખબરગુજરાતરાજકોટ

જયસુખ પટેલનાં કુટુંબીઓ પણ વ્હાઈટ કોલર ક્રિમિનલ

Khaskhabar Editor
Last updated: 2022/11/01 at 6:15 PM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE

વડોદરાના સાંડેસરા બંધુઓએ બેન્કોને 17 હજાર કરોડનો ચૂનો લગાવ્યો છે

ચેતન સાંડેસરાનો સાળો હિતેશ પટેલ અને જયસુખ પટેલ વેવાઈ થાય છે

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનામાં જે નિર્દોષ નાગરિકોના મોત થયા છે, તેનો કોન્ટ્રાક્ટ ઓરેવા કંપની – જયસુખ પટેલને આપવામાં આવ્યો હતો અને તેનું કનેક્શન વડોદરાના કૌભાંડીઓ સાથેનું નીકળ્યું છે. આ કનેક્શન એવી રીતે જોડાય છે કે, બનેવી સાથે મળી બેંકો સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ કરી વિદેશ ભાગી ગયેલા વડોદરાના કૌભાંડી હિતેશ પટેલની પુત્રીના લગ્ન જયસુખ પટેલના પુત્ર સાથે થયા છે. આમ, હિતેશ અને જયસુખ પટેલ વેવાઈ થાય છે. રાષ્ટ્રીયકૃત બેંકો તેમજ ખાનગી ફાયનાન્સ કંપનીઓને 17 હજાર કરોડ ઉપરાંતનો ચુનો ચોપડી અંડર ગ્રાઉન્ડ થઈ ગયેલા વડોદરાના કૌભાંડી ચેતન ઉર્ફે ચીકુ સાંડેસરા, તેની પત્ની દિપ્તી સાંડેસરા, નીતિન સાંડેસરા, ચીકુના સાળા હિતેશ પટેલ અને મયુરી પટેલને આજે પણ સીબીઆઈ શોધે છે. હવે, કૌભાંડી હિતેશના વેવાઈ જયસુખ પટેલના કાંડે દેશમાં જ નહીં વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. મોરબીમાં જે ઝુલતા પુલનું મેઈટેન્સન્સ કરી 15 વર્ષ માટે ચલાવવાનો ઈજારો આપવામાં આવ્યો હતો, તે જયસુખ પટેલની ઓરેવા કંપની પાસે હતો. બે કરોડના ખર્ચે ઝુલતા પુલને રીપેર કરી નગર પાલિકાની મિલીભગતથી નવા વર્ષે જ પબ્લિક માટે ખુલ્લો મુકી દેવાયો હતો. જેને લઈ રવિવારે મોડીસાંજે ઝુલતો પુલ તુટી પડતાં આશરે 150 જેટલા લોકોના મૃત્યુ થયા છે.

ચેતન સાંડેસરા, બહેન દીપ્તિ અને વિદેશ ભાગી ગયેલા હિતેશ પટેલને ઈઇઈં શોધે છે

મુખ્ય આરોપી જયસુખ પટેલ સામે ફરિયાદ ન થતાં અનેક ચર્ચાએ જોર પકડ્યું
પોલીસે દુર્ઘટનામાં મેઈન્ટેન્સ અને મેનેજમેન્ટ કરનાર એજન્સીઓને જવાબદાર ઠેરવીને નાના કર્મચારીઓની ધરપકડ કરી છે, પરંતુ મુખ્ય આરોપી સામે હજુ સુધી કોઈ જ કાર્યવાહી નથી થઈ. ઘટનાને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે. પુલ દુર્ઘટનાના કલાકો બાદ ક્યાં છે જયસુખ પટેલ? શું ધરપકડના ડરથી જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે? મોરબી પોલીસ પણ કેમ જયસુખને છાવરી રહી છે? કાર્યવાહીના નામે શું માત્ર નાના કર્મચારીઓને પકડીને પોલીસ સંતોષ માનશે? આ તમામ સવાલો હાલ ઉઠી રહ્યા છે.

- Advertisement -

ઝૂલતાં પુલનાં જઘન્ય સામુહિક હત્યાકાંડનાં આરોપી જયસુખ પટેલને છાવરવાનો પ્રયાસ

પોલીસને તમામ નામ અને એજન્સીની જાણ હતી છતાં નામજોગ ફરિયાદ ન કરી

ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનામાં પોલીસે શરૂઆતથી જ અમુક મોટા માથાઓને બચાવવાનો ખેલ શરૂ કર્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રવિવારે સાંજના સમયે બનેલી ઘટનાની ગણતરીની કલાકોમાં જ એફઆઈઆર પોલીસે નોંધી લીધી છે અને તેમાં માત્ર એજન્સીનો જ ઉલ્લેખ કરાયો છે કઈ એજન્સી છે તે પણ લખવામાં આવ્યું નથી. રવિવારની રાત્રે જ એજન્સી અને નગરપાલિકા વચ્ચે થયેલા કરારની કોપી ફરતી થઈ ગઈ હતી અને તેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે કઈ કંપનીને કેટલા સમય માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આમ છતાં પોલીસે કોઇકના ઈશારે ભૂંડી ભૂમિકા ભજવવાની શરૂઆત કરી દીધી છે. કોઇ અજાણી વ્યક્તિનું મૃત્યુ થાય તો પણ આપણે સંવેદના વ્યક્ત કરતા હોઈએ છીએ, ટ્વીટ કરતા હોઈએ છીએ, બે હાથ જોડે તેવા ઈમોજી પણ આપણે મૂકતા હોઈએ છીએ, ઓમ શાંતિના સંદેશા વહેતા મૂકતા હોઇએ છીએ પરંતુ રાજકોટ રેન્જ આઈજી કે જેના હાથ બોટાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડમાં ખરડાયેલા છે તે અશોક યાદવ, મોરબીના એસ.પી. રાહુલ ત્રિપાઠી અને મોરબી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પ્રકાશ દેકાવાડિયાએ મોટા માથાને બચાવવા માટે ખેલ શરૂ કર્યો હોય તેવું પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે. એફઆઈઆરમાં ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનાનો સમય સાંજના 6.30 કલાકનો દર્શાવવામાં આવ્યો છે અને 20:15 એટલે કે રાત્રે 8.15 કલાકે પોલીસને જાણ થયાનો સમય દર્શાવ્યો છે. ત્યારબાદ પોલીસ ઈન્સ્પેક્ટર પ્રકાશ દેકાવાડિયાએ ફરિયાદ નોંધાવી હતી તેમાં આરોપી તરીકે 1) ઝૂલતો પુલ મેન્ટેનન્સ કરનાર એજન્સી 2) મેનેજમેન્ટ કરનાર એજન્સી અને 3) તપાસમાં ખૂલે તે. તેવું દર્શાવવામાં આવ્યું છે. આઈપીસી કલમ 304, 308 અને 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

બધી જ જાણ હોવા છતાં પોલીસે…
રાજકોટ રેન્જ આઈજી અશોક યાદવ, મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી અને મોરબી બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર દેકાવાડિયાને એ જાણ હતી કે, 7 માર્ચ 2022ના રોજ નગરપાલિકા અને અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રા. લિ. (ઓરેવા ગ્રૂપ) વચ્ચે ઝૂલતા પુલના મેન્ટેનન્સ સહિતના કરારો થયા છે આ કરારમાં કઈ એજન્સીને કામ આપવામાં આવ્યું, કેવી રીતે સોંપવામાં આવ્યું, રિપેરિંગનો ખર્ચ કેટલો થશે, સંચાલન કેવી રીતે થશે, જે રૂપિયા આવશે તે કોને મળશે સહિત તમામનો ઉલ્લેખ હતો. જોકે, નગરપાલિકા પાસેથી કરારની કોપી લઈને એજન્સી તેમજ એજન્સીના માલિકો અને ડિરેક્ટરો સામે નામજોગ ફરિયાદ કરવાને બદલે બે આઈપીએસ અને એક ક્લાસ-2 અધિકારીએ ગંભીર બેદરકારી દાખવી હોવાનું ન્યાયપાલિકા સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું.

ઘડિયાળ બનાવતી કંપનીને ઝૂલતા પુલનું મેનેજમેન્ટ-રિપેરિંગનું કામ કેવી રીતે મળ્યું?

ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં ગત રવિવારે સાંજે ઝૂલતા પુલ પર એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો.મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટીને નદીમાં પડી જવાથી અત્યાર સુધીમાં આશરે 150 જેટલા લોકોના મોત થયા છે.આ ઘટના બાદથી પુલની જાળવણીની જવાબદારી સંભાળતું ઓરેવા ગ્રુપ શંકાના દાયરામાં આવ્યું છે.અહીં પ્રશ્ન એ ઉભો થયો છે કે અંજતા ઘડિયાળ બનાવતી કંપનીને ઝૂલતા પુલનું સંચાલન તેમજ સમારકામ કેવી રીતે મળ્યું? તે સૌથી મોટો સવાલ છે. આ પુલનું નવીનીકરણ કરનાર ઓરેવા ગ્રુપ અને જયસુખ પટેલે આ બ્રિજ માટે 25 વર્ષની ગેરંટી આપી હતી.આ બ્રિજનું ફિટનેસ સર્ટિફિકેટ અને સરકારની ત્રણ એજન્સીઓ દ્વારા તપાસ કરવાની બાકી હતીપરંતુ દિવાળી દરમિયાન ઉતાવળમાં જયસુખ પટેલે તેમની પૌત્રીના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરાવ્યું હતું.

બ્રિજનાં સમારકામનું ટેન્ડર ન કરાયું, જૂના વાયરો બદલાયા નહીં

ખાસ-ખબર સંવાદદાતા
બ્રિજનું નવીનીકરણ કરનાર ગુજરાત સ્થિત કંપની ઓરેવાને મોરબી પાલિકા દ્વારા માર્ચમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને કોઈ ટેન્ડર રૂૂટ લેવામાં આવ્યો ન હતો. સૂત્રોએ જણાવ્યું કે દેશની ટોચની ફોરેન્સિક લેબોરેટરીએ પણ ભારે ભીડને કારણે પુલ ધરાશાયી થયો હોવાનું જાણવા મળ્યું છે. ફોરેન્સિક ટીમે પૃથ્થકરણ માટે ભારે કટીંગ ટૂલ્સ વડે પુલ પરથી ધાતુના નમૂનાઓ કાઢ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું કે ફોરેન્સિક અધિકારીઓએ સ્ટ્રક્ચરના સેમ્પલ લેવા માટે ગેસ કટરનો ઉપયોગ કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે તેમને જાણવા મળ્યું કે લોકોની ભારે ભીડને કારણે કેબલ બ્રિજનું માળખું નબળું પડી ગયું છે. સોશિયલ મીડિયા પરના વિડીયોમાં ડઝનેક લોકો પુલ પર કૂદતા અને દોડતા દર્શાવવામાં આવ્યા હતા, જેમાં આનંદ માટે સંરચનાને પ્રભાવિત કરવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ હોવાનું જણાય છે.
મચ્છુ નદી પર બનેલા આ પુલની ક્ષમતા 100-150 લોકોની જ હતી. અકસ્માતના દિવસે એટલે કે રવિવારે આ પુલ પર ક્ષમતા કરતા 5 ગણા વધુ લોકો હતા. 100 લોકોની ક્ષમતાવાળા બ્રિજ પર 400-500 લોકો આવી પહોંચ્યા હતા.

PM મોદી બપોર પછી મોરબી સિવિલ હોસ્પિટલ પહોંચશે
આજે વડપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીની મુલાકાત લેશે. એને લઇને મોરબી સિવિલ હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. સિવિલ હોસ્પિટલમાં દર્દી સિવાય અન્ય લોકોને પ્રવેશ બંધ કરાયો છે અને આસપાસના રોડ રસ્તા પર પણ વધારાની અવર-જવર બંધ કરાઇ છે. જ્યારે 2 નવેમ્બરે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક પાળવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

You Might Also Like

સરગમી ડાયરામાં લોકસાહિત્યની રમઝટ બોલી : રાજકોટવાસીઓ અભિભૂત

રાજુલાના વાવેરા ગામે 31મા નવરાત્રી મહોત્સવની પૂર્ણાહુતિ: 300 બાળાઓને સાડી વિતરણ

મોટા ભમોદ્રા ગામે દીપડાના હુમલામાં 5 વર્ષીય બાળકીનું મોત

રાજકોટમાં ઉમિયા યુવા ટ્રસ્ટ દ્વારા 21મો શરદોત્સવ, 25,000 પાટીદાર પરિવારો એકસાથે દૂધ પૌઆની રંગત માણશે

લોધિકાના ઔદ્યોગિક વિસ્તારને જોડતા 6.20 કિ.મી. રોડ માટે રૂ. 8.80 કરોડ મંજૂર

TAGGED: BRIDGE, JAYSUKHPATEL, machhuriver, morbi, orevacompany
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓ સાથે સુરક્ષાના સાધનોનો અભાવ
Next Article Avast Antivirus Software program Review

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સરગમી ડાયરામાં લોકસાહિત્યની રમઝટ બોલી : રાજકોટવાસીઓ અભિભૂત

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજુલાના વાવેરા ગામે 31મા નવરાત્રી મહોત્સવની પૂર્ણાહુતિ: 300 બાળાઓને સાડી વિતરણ
મોટા ભમોદ્રા ગામે દીપડાના હુમલામાં 5 વર્ષીય બાળકીનું મોત
રાજકોટમાં ઉમિયા યુવા ટ્રસ્ટ દ્વારા 21મો શરદોત્સવ, 25,000 પાટીદાર પરિવારો એકસાથે દૂધ પૌઆની રંગત માણશે
લોધિકાના ઔદ્યોગિક વિસ્તારને જોડતા 6.20 કિ.મી. રોડ માટે રૂ. 8.80 કરોડ મંજૂર
વાવાઝોડાને લઈને દરિયામાં કરંટ, પોરબંદર બંદરે 3 નંબરનું સિગ્નલ યથાવત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સરગમી ડાયરામાં લોકસાહિત્યની રમઝટ બોલી : રાજકોટવાસીઓ અભિભૂત

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ગુજરાત

રાજુલાના વાવેરા ગામે 31મા નવરાત્રી મહોત્સવની પૂર્ણાહુતિ: 300 બાળાઓને સાડી વિતરણ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ગુજરાત

મોટા ભમોદ્રા ગામે દીપડાના હુમલામાં 5 વર્ષીય બાળકીનું મોત

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?