જૂનાગઢ જોષીપરા ખલીપુર રોડ ઉપર આવેલ ખોડલ ફાર્મ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રી મહોત્સવ દરમિયાન રોજેરોજના વિજેતા ખેલૈયાઓને ઇનામોની વણઝાર કરવામાં આવ્યાં હતાં. જ્ઞાતિજનોને વિનામૂલ્ય પ્રવેશ ને રોજે રોજ સ્વાદિષ્ટ, પૌષ્ટિક નાસ્તો પીરસવામાં આવતું હતું. કોરોના કાળ દરમિયાન સોશિયલ ગ્રુપ દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવેલ હતું. તેમાં આસ્થા હોસ્પિટલના ડો. ચિંતન યાદવે માનત સેવા આપેલ હતી. તે બદલ સોશિયલ ગ્રુપના સભ્યો દ્વારા સાલ ઓઢાડી તથા પુષ્પ ગુચ્છ આપી સન્માન કર્યું હતું. સિવાયના અનેક કાર્યક્રમો કરવામાં આવેલ હતા.
આ નવરાત્રી મહોત્સને સફળ બનાવવા માટે સોરઠીયા પ્રજાપતિ સોશ્યલ ગ્રુપના પ્રમુખ વિનુભાઈ ચાંડેગરા, લલિતભાઈ વરૂ, ભાવેશભાઈ ખોલીયા, ભગવાનજીભાઈ વાળા, સંદીપભાઈ રાઠોડ, સંજયભાઈ બુહેચા, નિલેશભાઈ ચાંડેગરા સહિતનાએ ભારે ઉઠાવી હતી.