By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    30 minutes ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    3 hours ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    1 day ago
    USના વિઝા હવે ફટાફટ!
    2 days ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    1 day ago
    ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક
    1 day ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક: 11 બાળક સહિત 13નાં મોત
    1 day ago
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    2 days ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    13 minutes ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    1 day ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    1 day ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    3 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    3 hours ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 day ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    1 day ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    2 days ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સુરતમાં પત્રકારત્વનો સૂર્યોદય: સુરતમાં પ્રિન્ટીંગ પ્રેસથી લઈ પત્રોની શરૂઆત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > સુરતમાં પત્રકારત્વનો સૂર્યોદય: સુરતમાં પ્રિન્ટીંગ પ્રેસથી લઈ પત્રોની શરૂઆત
AuthorBhavy Raval

સુરતમાં પત્રકારત્વનો સૂર્યોદય: સુરતમાં પ્રિન્ટીંગ પ્રેસથી લઈ પત્રોની શરૂઆત

Khaskhabar Editor
Last updated: 2022/09/19 at 3:57 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

હકારાત્મક સુધારાઓ કરાવવાથી લઈ હિંદને સ્વતંત્રતા અપાવવામાં સુરતના પત્રોનું યશસ્વી યોગદાન

ગુજરાતી પત્રકારત્વના જનક ફરદુનજી મર્ઝબાન સુરતના છે, ગુજરાતી વૃત્તવિવેચન ક્ષેત્રના બીજા યુગનો પ્રારંભ કરનાર ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ સુરતના છે. સુધારવાદનો શંખનાદ ફૂંકનાર પત્રકાર નર્મદ – નર્મદાશંકર લાભશંકર દવે અને બેજનજી કોટવાલ સુરતના છે. દેશી રજવાડાઓના પ્રશ્નોની સૌપ્રથમ નીડર ચર્ચા કરનાર પત્રકાર દિનશાહ અરદેશર તાલિયારખાન સુરતના છે. ગુજરાતી પત્રકારત્વનો ઊંડાણપૂર્વકનો ઈતિહાસ લખનાર રતન માર્શલ પણ સુરતના જ છે. ઘણીખરી બાબતોમાં સુરત અને સુરતીઓ અગ્રેસર રહ્યા છે. અંગ્રેજોએ ઈંડિયામાં વેપાર કરવા માટેની સૌપ્રથમ કોઠી સુરતના બંદરે નાખી હતી. ચાની જેમ છાપકામની શરૂઆત કરવાનો પહેલોવેહેલો પ્રયાસ સુરતે કર્યો હતો અને આ પ્રયાસ કરનાર હતા, ભીમજી પારેખ. જેણે લંડનના પ્રિન્ટિંગ ટેકનોલોજીસ્ટ હેન્રી હીલ્સને 1672માં સુરત બોલાવ્યો હતો. એ સુરત આવ્યો પણ ખરો અને ગુજરાતી અક્ષરો કોતર્યા પણ ખરા પરંતુ કોઈ કારણોસર તે અધૂરું કામ મૂકી ફરી લંડન જતો રહ્યો હતો. આ ઘટનાથી ભારતમાં મુદ્રણાલયના મૂળિયાં રોપનાર તરીકે ભીમજી પારેખનું નામ ઈતિહાસમાં કોતરાઈ ગયું છે.

- Advertisement -

સુરતના ભીમજી પારેખ બાદ પ્રિન્ટિંગ પ્રેસ સ્થાપવાનો પ્રયાસ કરનાર પણ એક સુરતી જ હતા. ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ અખબાર મુંબઈ સમાચારના સ્થાપક પારસી બાવા ફરદુનજી મર્ઝબાન સુરતમાં જન્મ્યા અને ઉછર્યા હતા. 1800માં તેઓ મુંબઈ ગયા અને બોમ્બે કુરિયર નામના અખબારમાં કંપોઝીટર (બીબાં ગોઠવનાર) અને પ્રિન્ટર તરીકે કામ કરતા બહેરામજી જીજીભાઈ છાપગરના સંપર્કમાં આવ્યા હતા. જોગાનુજોગ બહેરામજી છાપગર પણ સુરતમાં જ જન્મ્યા અને ઉછર્યા હતા. તેઓ 1790ના દસકમાં મુંબઈ જઈને બોમ્બે કુરિયરમાં જોડાયા હતા. 1790ના અંતિમ દસકમાં તેઓએ નાની સંખ્યામાં જરૂરિયાત પૂરતા ગુજરાતી બીબાં બનાવ્યા હતા. બોમ્બે કુરિયર અંગ્રેજી છાપું હોવા છતાં તેમાં કેટલીક જાહેરાતો ગુજરાતીમાં છપાતી હતી, તેના કંપોઝર બહેરામજી છાપગર હતા. આ ગુજરાતી જાહેરખબરો પરથી ફરદુનજી મર્ઝબાને ગુજરાતી બીબાં બનાવી ગુજરાતી પ્રેસ સ્થાપવાનો વિચાર કર્યો હતો અને તેમનો વિચાર વાસ્તવિક બન્યા બાદ ગુજરાતી બીબાંની શોધ તથા ગુજરાતી પ્રેસના પ્રારંભ પછી શું થયું તેનાથી તો ઘણા પરિચિત છે જ.

મુંબઈની જેમ સુરતમાં સૌ પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ સ્થાપનાર લંડન મિશનરી સોસાયટીના ધર્મગુરુ વિલિયમ કાઈબી તેમજ સુરતના લુહારો જીવણ લુહાર અને કાળુ લુહાર હતા. જીવણ લુહાર અને કાળુ લુહારે 1835માં સ્થાપેલા છાપખાના બાદ ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ સુરતમાં દેશીમિત્ર નામના છાપખાનામાં બીબાં ગોઠવવાનું શીખ્યા હતા. તેઓ 1876માં મુંબઈમાં આર્યમિત્ર સાપ્તાહિક ચારેક મહિના ચલાવ્યા પછી મુંબઈ સમાચારમાં પ્રૂફરીડર તરીકે જોડાયા હતા, મુંબઈથી સુરત પરત આવી 1878માં સ્વતંત્રતા નામનું માસિક શરૂ કર્યું. ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ સુરતથી ફરી મુંબઈ જઈ પ્રિન્ટિંગ પ્રેસ સ્થાપીને 1880માં ગુજરાતી નામનું પાક્ષિક શરૂ કર્યું હતું. ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ દ્વારા 1672માં ભીમજી પારેખે પ્રિન્ટીંગ પ્રેસ શરૂ કરવાના પ્રયાસથી લઈ 1907માં સુરતમાંથી શક્તિ નામનું અખબાર શરૂ થયું ત્યાં સુધીની તમામ ઘટનાઓ 1912માં ગુજરાતીના દિવાળી અંકમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને તેનું શીર્ષક ગુજરાતી મુદ્રણની શતવર્ષી રાખવામાં આવ્યું હતું. એક નવાઈની અને નોંધનીય વાત એ હતી કે, કીકાભાઈ અને મંછારામભાઈ નામના સુરતીઓએ 1873માં દેશીમિત્ર નામના સાપ્તાહિકની શરૂઆત કરી હતી. એકમાત્ર સુરતમાંથી દેશીમિત્ર નામનું રમુજી વર્તમાનપત્ર શરૂ થયું હતું. તેમાં આવતી અશ્લીલતાભરી મજાકો અને દ્રિઅર્થી જોડકણાં સુરતીઓને ગમતા હતા. છાનેખૂણે દેશીમિત્ર ખૂબ વંચાતું હતું. સુરતી પ્રિય આ પત્ર લાબું ચાલી શક્યું નહતું.

આજથી સો-દોઢ સો વર્ષ અગાઉ સમાજમાં જે રૂઢિઓ અને પરંપરાઓ ઘર કરી ગઈ હતી તેમાંથી સમાજને બહાર કાઢવો એ સમયના પત્રોનો મુખ્ય ઉદ્દેશ હતો. સમાજને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવામાં અન્ય શહેરોના પત્રોની જેમ સુરતના પત્રોનું પણ યોગદાન નાનુંસૂનું નથી. તાપીના તટ પરથી નર્મદે ડાંડિયો દ્વારા અંધશ્રદ્ધા નાબૂદીનો નારો લગાવ્યો હતો તો સ્વતંત્રતામાં ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ આઝાદી, સ્વરાજ અને મુક્તિનો મંત્ર જગાવ્યો હતો. દીનશા અરદેશર તાલિયારખાને ગુજરાતમિત્રના માધ્યમથી લોકશાહી અને લોકતંત્રનો અવાજ બુલંદ કર્યો હતો. હકારાત્મક સુધારાઓ કરાવવાથી લઈ હિંદને સ્વતંત્રતા અપાવવામાં સુરતના પત્રો આગળ પડતા રહ્યા હતા. ગુજરાતી પત્રકારત્વની પ્રથમ સદીમાં સુરતમાંથી બહાર પડેલા પત્રો સ્થાનિક સુધરાઈના પ્રશ્નોથી લઈ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચારોને પણ પ્રાધાન્ય આપતા હતા, સુરતના સમાચારપત્રો મુંબઈ સુધી જતા હતા અને ઉત્તરગુજરાતમાં સારો એવો ફેલાવો પણ ધરાવતા હતા. છેલ્લા દોઢ દસકમાં ગુજરાતી પત્રકારત્વની અંદર બેબાક લખાણો અને તટસ્થ અભિપ્રાયો માટે સુરતના અખબારો જાણીતા બની ગયા છે. સુરતના સ્થાનિક પત્રો ઉપરાંત પત્રકારોએ પણ પત્રકારત્વના ક્ષેત્રમાં સારું એવું કાઠું કાઢ્યું છે.

- Advertisement -

ગુજરાતી પત્રકારત્વની પ્રથમ સદીમાં સુરતમાંથી 1856માં જ્ઞાનદીપક, 1860માં મનોદય, 1863માં સુરત મિત્ર, 1864માં ગુજરાત મિત્ર, 1864માં ડાંડિયો, 1869માં વિદ્યા વિલાસ, 1870માં ગુજરાત નીતિ પ્રકાશ, 1873માં દેશીમિત્ર, 1878માં સ્વતંત્રતા, 1888માં ગુજરાત દર્પણ અને 1921માં વિનોદ નામના પ્રમુખ પત્રો પ્રસિદ્ધ થયા હતા. સુરતમાંથી સુરત સમાચાર નામથી એક અર્ધ સાપ્તાહિક શરૂ થયું હતું, 1862થી 1864 સુધી ડાહ્યાભાઈ મંછા દ્વારા સંપાદિત એક પાનાંનું દૈનિક સુરત સોદાગર બહાર પડતું હતું. 1864માં સુરત વર્તમાન દર્પણ નામનું સાપ્તાહિક ગોરધનદાસ કૃપારામ દ્વારા પ્રકાશિત કરવામાં આવતું હતું. ખ્રિસ્તિ ધર્મ મંડળ તરફથી નીકળતા સત્યોદય સહિતના ઘણાં અખબારો અને સામયિકો સુરતમાંથી બહાર પડતા હતા. આ બધા પત્રો લાંબા ચાલ્યા નહતા, અલ્પજીવી હતા. સુરતના પત્રકારત્વના શરૂના સમયગાળામાં આ અખબારો અને સામયિકોએ પાયાનું કાર્ય કર્યું હતું, તે સમયના સમાજસુધારાના પ્રવાહને આગળ ધપાવવાના કાર્યમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આ બધા અખબારો અને સામયિકો વચ્ચે આજ સુધીમાં સુરતના જમણ જેવું જાણીતું બની ગયેલું છાપું એટલે ગુજરાતમિત્ર. 1822માં મુંબઈ સમાચાર શરૂ થયું, 1863માં ગુજરાતમિત્રનું પુરોગામી સુરતમિત્ર પ્રસિદ્ધ થયું. આ રીતે ગુજરાતી ભાષામાં મુંબઈ સમાચાર બાદ ગુજરાતમિત્ર જૂનું અખબાર છે જે આજે પણ પ્રસિદ્ધ થાય છે. તળ ગુજરાતના સૌથી પુરાણા પત્ર ગુજરાતમિત્રની વિગતે વાત હવે પછી..

વધારો : મુંબઈથી જમીની માર્ગે અને દરિયાઈ માર્ગે નજીક હોવાના કારણે તેમજ દુનિયાના દેશો સાથે દરિયાઈ માર્ગે પણ જોડાયેલા હોવાના લીધે સુરતના પત્રકારત્વમાં દેશ-વિદેશના પત્રકારત્વની અસર જોઈ શકાય છે. સુરતમાં પત્રકારત્વની શરૂઆતથી જ રાજકીય અને સામાજિક ચેતના પણ ઝડપથી પ્રગટી ગઈ હતી. સુરતીઓ અંગ્રેજ સરકાર સામે સત્યાગ્રહો કરવામાં અને હિંસક બંડો પોકારવામાં આવળ પડતા હતા તો તેનાથી પણ આગળ પડતા સુરતના પત્રો હતા જેણે નિષ્પક્ષતાથી સુધારવાદ માટેનું અને નિર્ભયતાથી સ્વતંત્રતા મેળવવાનું પત્રકારત્વ કરી બતાવ્યું હતું. સુરતના પત્રો અને પત્રકારો ગુજરાતી પત્રકારત્વમાં શિરમોર રહ્યા છે.

You Might Also Like

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

વાણી અને વર્તન દ્વારા પરિચય

અમેરિકાનું ‘મેકએલન’ વિશ્ર્વનું સૌથી મેદસ્વી શહેર

TAGGED: JOURNALISM, SURAT
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગરીબ માણસની અમીર ખાનદાની
Next Article શરીરના દ્રવ્યોની, શરીરના અવયવોની સ્થિતિની ઓળખની જે પરિભાષા છે તે તો માનવીએ વિકસાવી છે તો પછી પ્રકૃતિને મન સ્વસ્થ હોવું એટલે શું!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પ્લેન ક્રેશની તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ છે : ઋષભ રૂપાણી

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
નવનિર્મિત સાંઢીયા પુલનું શનિવારે Dy.CM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
કિડની અવેરનેસ સેમિનાર : કિડની રોગો, અંગદાન અને સ્વસ્થ જીવનશૈલી અંગે નિષ્ણાતો આપશે માર્ગદર્શન
વિજય રૂપાણી મેમોરિયલની જનકલ્યાણકારી પહેલ : રાજકોટમાં 14 જૂને વિનામૂલ્યે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?