સિનર્જી હોસ્પિટલ દ્વારા સ્લીપ ડિસ ઓર્ડર વિષય પર ઈવેન્ટ યોજાયો
ડો. જયેશ ડોબરીયાએ નિંદ્રાને લગતી સમસ્યા દૂર કરવા અંગે જાગૃતિ આપી
ખાસ-ખબર સંવાદદાતા
16 માર્ચ એટલે વર્લ્ડ સ્લીપ ડે. ભાગદોડ ભરી જિંદગીમાં આજકાલ ઘણાં લોકો ચિંતા અને અવ્યવસ્થિત જીવન શૈલીને કારણે સ્લીપ ડિસ ઓર્ડરનો ભોગ બને છે. જેને લઈને સિનર્જી હોસ્પિટલ દ્વારા વર્લ્ડ સ્લીપ ડે નિમિત્તે જાગૃતિ ભર્યો સેમિનાર યોજ્યો હતો. સવારના 6 વાગ્યે કિસાનપરા ચોક, રેસકોર્ષ રીંગ રોડ પર આયોજીત કરેલાં આ ઈવેન્ટમાં ડો. જયેશ ડોબરીયાએ નિંદ્રાને લગતી વિવિધ સમસ્યાઓ અંગે જાગૃતિ આપી હતી.જેમાં જણાવવામાં આવ્યું હતું કે, માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ઊંઘ જરૂરી છે. ઊંઘ સારી તો દિવસ સારો, યાદશક્તિ માટે પણ ઊંઘ જરૂરી છે.
આ ઉપરાંત તંદુરસ્ત જીવનનો આધાર પૂરતી ઊંઘની સાથે પોષણયુક્ત આહાર અને શારીરિક-માનસિક કસરત પણ કરવી જોઈએ. ઘણીવાર આપણે આપણાં નસકોરાંને પણ અવગણીએ છીએ ત્યારે આપણાં નસકોરાં પણ ઘણું બધું કહે છે તેથી તેનો ઈલાજ કરવો જોઈએ. વધુમાં અપૂરતી ઊંઘ ડાયાબીટિસ, હાયપરટેન્શન જેવા રોગો નોતરી શકે છે કે નહીં તે અંગેની સમજ આપી હતી. આમ સ્લીપ ડિસ ઓર્ડર દૂર કરવા અંગે જાણકારી આપી હતી.આ તકે રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુ પણ ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં આ ઈવેન્ટમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રેલી કાઢીને લોકોને બેનર્સ અને પોસ્ટર્સ સાથે સ્લીપ ડિસ ઓર્ડર અંગે માહિતી આપી હતી.
- Advertisement -

સ્લીપ ડિસ ઓર્ડરની બચવા આટલી બાબતોનું અચૂક ધ્યાન રાખો
માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ઊંઘ જરૂરી છે.
ઊંઘ સારી થઈ હશે તો દિવસ સારો જશે.
યાદશક્તિ માટે ઊંઘ જરૂરી છે તેમજ તમારા નસકોરાં ઘણું કહે છે તેથી તેને અવગણશો નહીં
દિવસનો થાક,દિવસ દરમિયાન ઊંઘ આવવી, એકાગ્રતાનો અભાવ એ અપૂરતી ઊંઘની નિશાની છે.
તંદુરસ્ત જીવન માટે પૂરતી ઊંઘ, પોષણયુક્ત આહાર અને શારીરિક માનસિક કસરત જરૂરી છે.
અપૂરતી ઊંઘ ડાયાબીટીસ, હાયપરટેન્શન જેવા રોગોને નોતરી શકે છે.
નસકોરાં આવતાં હોય તો તેનો ઈલાજ કરાવો જેથી બીજા પણ શાંતિથી સુઈ શકે.
લગ્નનાં સાત વચનોમાં એક આઠમું વચન લો કે, હું નસકોરાં નહીં બોલાવું, હું શાંતિથી સુઈશ અને તેને સુવા દઈશ.


