1955 દોસ્ત રાજકપૂરને ધ્યાનમાં રાખીને ૠષિકેશ મુખરજીએ બંગાળી વાર્તા પરથી હસમુખા કેન્સર પેશન્ટ પર ફિલ્મ લખી પણ… જયારે ફિલ્મ બનાવવાનો મેળ પડયો ત્યારે રાજકપૂર ચાળીસી વટાવી ગયા હતા. કેન્સરગ્રસ્ત હિરો યુવાન હોય એ આવશ્યક હોવાથી પ્રોડયુસર એન. સી. સીપ્પી અને ડાયરેકટર ૠષિકેશ મુખરજીએ વિચાર્યું કે શશી કપુર આ કિરદાર માટે ઠીક રહેશે. ડિરેકટર – પ્રોડયુસર શશી કપુરને મળવા જાય તેના આગલા દિવસે જ રાજેશ ખન્ના ૠષિકેશ મુખરજી પાસે પહોંચી ગયા અને આનંદ ફિલ્મ માટે તેને પસંદ કરવામાં આવ્યા.
શાહનામા
– નરેશ શાહ
1971માં રિલીઝ થયેલી આનંદ વખતે રાજેશ ખન્ના સુપરસ્ટાર હતા તેથી તેમની ફી પોષાય તેમ નહોતી. કાકા (રાજેશ ખન્ના) પણ આનંદ માટે કટિબદઘ હતા એટલે ફી નકદ સ્વરૂપે દેવાની બદલે આનંદ ફિલ્મની મુંબઈ ટેરીટેરીના રાઈટસ રાજેશ ખન્નાની શક્તિરાજ ફિલ્મને આપી દેવામાં આવ્યાં, જે શક્તિ સામંત અને રાજેશ ખન્નાએ પાર્ટનરશીપમાં બનાવેલી કંપની હતી
- Advertisement -
આનંદ ફિલ્મમાં ડોકટરનો રોલ મરાઠી એકટર રમેશ દેવે કરેલો. તે માટે જાની રાજકુમારને પસંદ કરવામાં આવ્યા પણ પછી.. એવી ઘટનાઓ બની કે એ ડોકટર દંપતિનો રોલ મિસ્ટર એન્ડ મિસિસ રમેશ દેવે જ ર્ક્યો હતો
એવું તે શું થયું હતું કે ડાયલોગ-કિંગ રાજકુમારને સ્ક્રીપ્ટ સંભળાવ્યા પછી પણ ૠષિદાએ તેમને પડતાં મૂક્વાનો નિર્ણય લીધો ?
તમને ખબર છે, કલાસિક ફિલ્મ પ્યાસા માટે ગુરૂદત્તે સ્વયં ટ્રેજેડી કિંગ દિલીપકુમારને સાઈન ર્ક્યા હતા. ફિલ્મનું મુહૂર્ત પરેલના કારદાર સ્ટુડિયોમાં હતું. મજેદાર વાત તો એ છે કે પોતાની ફિલ્મના મુહૂર્તમાં હાજર રહેવા માટે દિલીપકુમાર સુધ્ધાં કારદાર સ્ટુડિયોમાં આવી ગયા હતા. સેટ પર ગુરૂદત્ત સહિત તમામ લોકો મુહૂર્ત શોટ માટે કે દિલીપસાબના આવવાની રાહમાં હતા પણ… કશુંક એવું બન્યું કે એ જ દિવસે હિરો દિલીપકુમારને પડતાં મૂકીને પ્યાસા નો મુહૂર્ત શોટ ગુરૂદત્ત પર ફિલ્માવાયો અને એ અમર ફિલ્મના હિરો ગુરૂદત્ત બની ગયા
વિસ્મયનું હજુ ત્રીજું ઉદાહરણ પણ જાણી લો.
1981માં આવેલી ઉમરાવજાનના ગીત-ગઝલ આજેય લાજવાબ કેટેગરીમાંના ગણાય છે અને તેનું સંગીત ખૈય્યામ સાહેબે આપ્યું હતું પરંતુ ઉમરાવજાનની કાસ્ટ ફાઈનલ થતી હતી ત્યારે સંગીતકાર તરીકે જયદેવને પસંદ કરવામાં આવ્યા હતા. એ પછી એવી વાતો બની કે તેમના સ્થાને ખૈય્યામ આવ્યા, જો કે ખૈય્યામે સાઈન કરતાં પહેલાં જયદેવ સાહેબનું નો ઓબ્જેકશન સર્ટીફીકેટ માંગ્યું હતું. એ પછી નક્કી થયું કે ઉમરાવજાન ની ગઝલમાં આશા ભોંસલેનો સ્વર લેવો કારણકે લતાજી ઓલરેડી પાકિઝા માં પોતાનો સ્વર આપી ચૂક્યા હતા. અલગ ફીલ માટે અવાજ પણ અલગ હોવો જોઈએ… જો કે પ્રથમ ગઝલ દિલ ચીઝ ક્યા હૈઆપ મેરી જાન લિજીએ નું રેકોર્ડિગ મહેબુબ સ્ટુડિયોમાં હતું ત્યારે હાલાત એવા થઈ ગયેલાં કે બધાને લાગ્યું કે આશા ભોંસલે આજે કદાચ, રેકોર્ડિગ નહીં કરે કારણકે…
- Advertisement -
ર007માં પ્રયોગલક્ષ્ાી દસ કહાનીયાં નામની ફિલ્મ બની હતી, જેની દશ વાર્તાઓને છ અલગ-અલગ ડિરેકટરે સેલ્યુલોઈડ પર ઉતારી હતી. ર0ર0ના કોવિડ કાળ દરમિયાન (પહેલાં મરાઠીમાં, પછી) હિન્દીમાં એક દળદાર પુસ્તક પ્રગટ થયું : દસ કલાસિક્સ (મંજુલ પબ્લિકેશન્સ, કિંમત : 1499 રૂપિયા ) હિન્દી સિનેમાની પ્રથમ પચાસ ફિલ્મોમાં હક્કથી સ્થાન ધરાવનારી, અલગ-અલગ મૂડ મિજાજની દશ ફિલ્મોના સર્જનની વાત કરતાં આ પુસ્તકના લેખિકા નિ:શંક એક જ છે : અનિપા પાધ્યે.
આ લેખનો આરંભ વાંચીને જાગેલાં તમામ પ્રશ્ર્નોના જવાબ અને કુતુહલના સમાધાન તમને દસ કલાસિક્સ પુસ્તકમાંથી મળે છે, એટલું જ નહીં અનેક આચંકા, આશ્ર્ચર્ય પણ આ પુસ્તક તમને પાને-પાને આપતું રહે છે. કરુણા તો એ છે કે અનિતા પાધ્યેએ મરાઠીમાં લખેલાં(દહા કલાસિક્સ) પુસ્તકમાં સામેલ દશે-દશ ફિલ્મો હિન્દીમાં બનેલી છે
દો બીઘા જમીન, પ્યાસા, દો આંખે બારહ હાથ, મધર ઈન્ડિયા, ગાઈડ, તિસરી ક્સમ, મોગલ-એ-આઝમ, આનંદ, પાકિઝા અને ઉમરાવજાન… આ એવી ફિલ્મો છે કે જે ખરેખરા ફિલ્મ રસીયાએ જોઈ જ હોય યા મોટાભાગે તેના પ્રભાવથી પરિચિત હોય. એક સરસ યા યાદગાર ફિલ્મ બનવા પાછળની કેવી મથામણ અને કેવા અપડાઉન હોય છે, એ જાણવાની તાલાવેલીને દસ કલાસિક્સ પૂર્ણ કરે છે તો… કેટલાંક રહસ્યોને પણ છતાં કરે છે. દાખલા તરીકે, ગીતકાર શૈલેન્ના જીવતરને તિસરી ક્સમ ફિલ્મનું નિર્માણ કઈ રીતે ભરખી ગયું, એ સ્પષ્ટપણે જાણવા મળે છે તો પાકિઝા બનાતાં કેમ ચૌદ વરસ લાગ્યા અને અંગ્રેજી ગાઈડ સદંતર ફલોપ હોવા છતાં હિન્દી ગાઈડ કલાસિક કેમ બની અને તે દરમિયાન દેવ આનંદ અને નાના ભાઈ વિજય આનંદ વચ્ચે તેમજ પડદા પાછળ જે બઝયું, તેની કથા પણ રસપ્રદ છે. જો કે અનિતા પાધ્યેના મીનાકુમારી અને વિજય આનંદ પરના પુસ્તકોમાં પણ આ બન્ને ફિલ્મોની વિગતો છે. દો બીઘા જમીન ફિલ્મ કેવી રીતે બની, તેની કથા વાંચો ત્યારે ખબર પડે કે, બલરાજ સાહનીને ખરેખર હાથરિક્ષ્ાાના ચાલક ગણીને કલક્તામાં કેવા હડધૂત કરવામાંં આવ્યાં હતા. મોગલ એ આઝમના પ્રિમિયરમાં દિલીપ કુમાર શા કારણે નહોતા ગયા અને તિસરી ક્સમ ફિલ્મ માટે બાસુ ભટ્ટાચાર્યની પ્રથમ પસંદગી કોમેડિયન મહેમુદ હતા, આવા અનેક સ્ફોટક લાગે તેવા ખુલાસા દસ કલાસિક્સ પુસ્તકમાંથી આપણને મળે છે.
દશે દશ ફિલ્મની સર્જન પાછળથી કથા અનિતા પાધ્યેએ ફિલ્મો સાથે સંકળાયેલા લોકોની રૂબરૂ મુલાકાતો કરીને એવી રસાળ શૈલીથી આલેખી છે કે આ પુસ્તક ફિલ્મ રસીયાઓ માટે ગોળનું ગાડું બની જાય. દરેક ફિલ્મ પર એક સ્વતંત્ર લેખ-સિરિઝ લખી શકાય એવું પોટેન્શિયલ ધરાવતાં દસ કલાસિક્સ પુસ્તકનું પ્રોડકશન મોગલે આઝમ જેવું ઉચ્ચ દરજ્જાનું છે તો લખાણ આનંદ જેવું હૃદયસ્પર્શી. લેખિકાનો એપ્રોચ દો આંખે બારહ હાથ જેવો માનવતાવાદી છે. વાસ્તવિક ઘટનાઓનો લય પાકિઝા અને ઉમરાવજાન ના સુમધુર સંગીત જેવો હોવાથી પુસ્તક તિસરી ક્સમ જેવું યથાર્થયાદી બનીને ગાઈડ જેવું ઉતમ અને યાદગાર બન્યું છે


