By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધ શરૂ
    2 hours ago
    અફઘાનિસ્તાને પણ ઈસ્લામબાદ સુધી હવાઈ હુમલા કર્યા, પાકિસ્તાનના 4 સૈન્ય બેઝ લીધા નિશાને
    2 hours ago
    એપસ્ટિન કેસમાં નવો વળાંક! ટ્રમ્પને લગતી ફાઈલ્સ ગુમ થતાં અમેરિકામાં ખળભળાટ, ન્યાય વિભાગનો મોટો નિર્ણય
    1 day ago
    હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઇશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી
    1 day ago
    અમેરિકામાં હિમવર્ષાનો કહેર: 11,000થી વધુ ફ્લાઇટ્સ રદ અને લાખો ઘરોમાં અંધારપટ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    1 hour ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    1 hour ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    1 hour ago
    1 એપ્રિલથી પેટ્રોલમાં 20% ઇથેનોલ બ્લેન્ડિંગ ફરજિયાત
    1 hour ago
    બાળકો દ્વારા આત્મહત્યા કે તેમને નુકસાન કરતાં શબ્દો સર્ચ કરતાં જ મેટા માતા-પિતાને એલર્ટ કરશે
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    4 hours ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    1 day ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    2 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    4 days ago
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 week ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 week ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ટ્રેકટર રેલીની હિંસા, ગાંધીજીનો સાધનશુદ્ધિનો આગ્રહ અને ચૌરી ચૌરાકાંડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Tushar Dave > ટ્રેકટર રેલીની હિંસા, ગાંધીજીનો સાધનશુદ્ધિનો આગ્રહ અને ચૌરી ચૌરાકાંડ
AuthorTushar Daveરાષ્ટ્રીય

ટ્રેકટર રેલીની હિંસા, ગાંધીજીનો સાધનશુદ્ધિનો આગ્રહ અને ચૌરી ચૌરાકાંડ

Khaskhabar Editor
Last updated: 2022/06/03 at 2:05 PM
Khaskhabar Editor 4 years ago
Share
10 Min Read
SHARE

તુષાર દવે

ખેડૂતોને આ કૃત્યમાં ષડયંત્રની આશંકાનો થોડો લાભ મળે છે એ પૂરતો નથી. અન્ય ખેડૂત નેતાઓએ આવું કૃત્ય કરનારાઓની ટીકા કરી છે અને એમના જે પણ સાથીઓ લાલ કિલ્લાની ઘટનામાં સંડોવાયેલા હોય એમની સામે પણ કાર્યવાહી કરવાનું કહ્યું છે, છતાં નુકસાન થઈ ચૂક્યુ છે. આ નુકસાનના સંદર્ભમાં અસહકાર આંદોલન સમયનો ચૌરી ચૌરા કાંડ, એ કાંડ પછીની ગાંધીજીની પ્રતિક્રિયા અને એમનો સાધનશુદ્ધિનો આગ્રહ સમજવો જરૂરી છે

Contents
તુષાર દવેતમારે માનવતામાંથી વિશ્વાસ ન ગુમાવવો જોઈએ. માનવતા સાગર જેવી છે, જો સાગરના કેટલાક ટીપા ગંદા હોય તો એનાથી કંઈ આખો સાગર ગંદો નથી થઈ જતો. આંખના બદલે આંખથી તો આખી દુનિયા આંધળી થઈ જશે. વિનમ્રતાથી પણ તમે આખા વિશ્વને હચમચાવી શકો છો. – મહાત્મા ગાંધી

એ ઝંડો ખાલિસ્તાની હોય કે ન હોય, પણ એ ઝંડો ફરકાવવાની ઘટના પેટ ચોળીને શૂળ ઊભુ કરવા જેવી જ છે. જો એ ઝંડો ખાલીસ્તાનનો ન હોય, શીખ ધર્મનો હોય અને આર્મીની શીખ રેજિમેન્ટ એને જીતેલી ચોકી પર ફરકાવતી હોય તો પણ એને લાલ કિલ્લા પર ફકાવવાની ઘટના જસ્ટિફાઈ કરી શકાય નહીં. આંદોલન ખેડૂતો માટેનું છે, શીખોનું નહીં. એમાં શીખ ધર્મનો ઝંડો ઘુસેડીને અને આંદોલનકારીઓ દ્વારા કિરપાણ વગેરે શીખ ધર્મના પ્રતિકો જેવા હથિયારોનું પ્રદર્શન કરીને એની કબર ખોદવામાં આવી રહી છે.

- Advertisement -

એક સેક્ધડ માટે કલ્પના કરી જુઓ કે એ ઝંડો શીખ ધર્મનું પ્રતિક નહીં, પણ લીલા રંગનો હોત તો આ દેશમાં એના કેવા પડઘા પડ્યા હોત? કોઈ મુદ્દા આધારિત આંદોલનમાં કોઈપણ ધર્મનો રંગ ભેળવવાની મુર્ખામી અને ગુસ્તાખી માફીને પાત્ર બિલકુલ નથી. વળી જો એ ઝંડો શીખ રેજિમેન્ટ જીતેલી ચોકીઓ પર ફરકાવતી હોય તો પણ અહીં ખેડૂતોએ પોતાની માગો માટે લડવાનુ હતુ, લાલ કિલ્લો ફતેહ કરવાનો નહોતો. કોઈપણ પક્ષની વિચારધારાને ન વરેલો સામાન્ય ભારતીય એ સ્થળે ત્રિરંગા સિવાય કોઈપણ ધ્વજ ફરકાવવાનું જસ્ટિફિકેશન સાંભળે પણ શા માટે? ધેટ વોઝ ડિઝાસ્ટરસ એક્ટ.

માત્ર ભારત જ નહીં, પણ વિશ્વના ઈતિહાસના ફલક પર અનેક નેતાઓ આવ્યા અને ગયા. પરંતુ ગાંધી જેટલો શાશ્વત અને એવરગ્રીન નેતા ભાગ્યે જ કોઈ હશે. વર્તમાનની સમસ્યાઓને કે વિકટ સ્થિતિઓને ગાંધીના દૃષ્ટિકોણથી અથવા તો એવી જ કોઈ સ્થિતિમાં ભૂતકાળમાં ગાંધીએ લીધેલા નિર્ણયોના સંદર્ભમાં જોઈએ ત્યારે થાય કે એ માણસ કેટલો દૂરંદેશી હતો!

ગાંધીજીની વાતો, મૂલ્યો અને સિદ્ધાંતો સામે રહેલી અસમહતિઓને બાજુ પર રાખીને જોઈએ તો એ સમયે ગાંધીને ખોટા માનનારા અથવા તો આજે ગાંધીને કોઈ અલગ દૃષ્ટિકોણથી જોઈને ગાંધીને ખોટા માનનારાઓ પણ જો ફરી ફરીને અભ્યાસ કરે તો થશે કે એ બોખુ સ્મિત ધરાવતો વાણીયો ત્યારે પણ કેટલો સાચો હતો અને આજે પણ કેટલો પ્રસ્તુત છે! ટ્રેક્ટર રેલીની હિંસા અને લાલ કિલ્લા પરની ઘટનાને 1922માં અસહકાર આંદોલન દરમિયાન થયેલા ચૌરી ચૌરા કાંડના સંદર્ભમાં જોવા અને સમજવા જેવી છે.

- Advertisement -

કિસાન બિલના વિરોધમાં ખેડૂતો બે મહિના કરતાં પણ વધુ સમયથી આંદોલન કરી રહ્યાં છે. બીજી તરફ એ આંદોલનને યેનકેન પ્રકારેણ તોડી પાડવા કેન્દ્રની ભાજપની આગેવાની ધરાવતી સરકાર સામ, દામ, દંડ અને ભેદની એ તમામ નીતિઓ અખત્યાર કરી રહી છે જેવી અન્ના હજારેના આંદોલનને તોડી પાડવા કોંગ્રેસની આગેવાની ધરાવતી યુપીએ સરકારે અપનાવેલી. આમ છતાં ખેડૂતો ટસના મસ થતાં નહોતાં. 26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં હિંસા થઈ અને એનાથી આંદોલનને અભૂતપૂર્વ નુકસાન પહોંચ્યું. હિંસા અને અફરા-તફરી ભર્યાં એ એક જ દિવસના કારણે આંદોલનમાં ફાટફૂટ પડી ગઈ.

જે ફાટફૂટ હતી એની તિરાડો ખીણમાં પરિવર્તિત થઈ ગઈ અને ખેડૂતોને મળતા લોક સમર્થનનો પાયો હચમચી ગયો. એ પાયો કે જેની શેહ અત્યાર સુધી સરકાર અને મીડિયાને ભરવી પડતી હતી.

આંદોલનકારીઓના એક નાના સમૂહે એવી ભૂલ કરી નાંખી જેની સજા હવે કદાચ તમામ ખેડૂતોએ ભોગવવી પડશે. એકલ-દોકલ નહીં, પણ અઢી ડઝનથી વધુ સંગઠનો હોય અને દેશના અલગ અલગ ભાગમાંથી આવેલા લોકો હોય અને એમની સંખ્યા ખુબ જ મોટી હોય એ સંજોગોમાં દરેક પર કાબૂ ન રાખી શકાય એ શક્ય છે. બીજું કે કેટલાક તત્વો કોઈ ષડયંત્રના ભાગરૂપે હાથે કરીને આંદોલનને નુકસાન પહોંચે એવા કાર્યો કરતા હોવાના આરોપો થઈ રહ્યાં છે અને આશંકાઓ પણ વ્યક્ત થઈ રહી છે. આમ છતાં કારણ ગમે તે હોય, પણ 26મીની ઘટનાનો કોઈ રીતે બચાવ થઈ શકે એમ નથી કે કોઈ રીતે એને જસ્ટિફાઈ પણ કરી શકાય એમ નથી.

લાલ કિલ્લા પર ફરકતા ત્રિરંગાને નુકસાન ન પહોંચાડીને ફરકાવવામાં આવેલા ઝંડાના વિવાદની વાત કરીએ તો એ ઝંડો ખાલિસ્તાની હોય કે ન હોય, પણ એ ઝંડો ફરકાવવાની ઘટના પેટ ચોળીને શૂળ ઊભુ કરવા જેવી જ છે. જો એ ઝંડો ખાલીસ્તાનનો ન હોય, શીખ ધર્મનો હોય અને આર્મીની શીખ રેજિમેન્ટ એને જીતેલી ચોકી પર ફરકાવતી હોય તો પણ એને લાલ કિલ્લા પર ફકાવવાની ઘટના જસ્ટિફાઈ કરી શકાય નહીં. આંદોલન ખેડૂતો માટેનું છે, શીખોનું નહીં. એમાં શીખ ધર્મનો ઝંડો ઘુસેડીને અને આંદોલનકારીઓ દ્વારા કિરપાણ વગેરે શીખ ધર્મના પ્રતિકો જેવા હથિયારોનું પ્રદર્શન કરીને એની કબર ખોદવામાં આવી રહી છે. એક સેક્ધડ માટે કલ્પના કરી જુઓ કે એ ઝંડો શીખ ધર્મનું પ્રતિક નહીં, પણ લીલા રંગનો હોત તો આ દેશમાં એના કેવા પડઘા પડ્યા હોત? કોઈ મુદ્દા આધારિત આંદોલનમાં કોઈપણ ધર્મનો રંગ ભેળવવાની મુર્ખામી અને ગુસ્તાખી માફીને પાત્ર બિલકુલ નથી. વળી જો એ ઝંડો શીખ રેજિમેન્ટ જીતેલી ચોકીઓ પર ફરકાવતી હોય તો પણ અહીં ખેડૂતોએ પોતાની માગો માટે લડવાનુ હતુ, લાલ કિલ્લો ફતેહ કરવાનો નહોતો. કોઈપણ પક્ષની વિચારધારાને ન વરેલો સામાન્ય ભારતીય એ સ્થળે ત્રિરંગા સિવાય કોઈપણ ધ્વજ ફરકાવવાનું જસ્ટિફિકેશન સાંભળે પણ શા માટે? ધેટ વોઝ ડિઝાસ્ટરસ એક્ટ.

ખેડૂતોના દૃષ્ટિકોણથી જોઈએ તો એમાં કેટલાક ખરાબ ઈરાદા ધરાવતા તત્વો ઘુસ્યા હોવાના એકરાર સાથે એ પણ સ્વીકારવું પડે કે દિલ્હી ગયેલા તમામ ખેડૂતો હિંસક નથી, ખાલીસ્તાની પણ નથી અને આંદોલનનો મૂળ હેતુ પણ હિંસા નથી. આંદોલન લાંબા સમયથી ખુબ જ સંયમ સાથે અહિંસક રહ્યું છે. જો તમામ ખેડૂતો હિંસક હોત અને હિંસાના હેતુથી જ દિલ્હીમાં ઘુસ્યા હોત તો કદાચ આખુ દિલ્હી ભડકે બળી રહ્યું હોત અને આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી શાંત પણ ન થયુ હોત. આંદોલનકારીઓની સંખ્યા અને ક્ષમતાની દૃષ્ટિએ 26મીએ જેટલી હિંસા અને અથડામણોની આશંકાઓ હતી એની તુલનાએ તલવારનો ઘા સોયથી ટળ્યો છે. બીજી તરફ સરકાર અને ખાસ કરીને આપણા સુરક્ષાદળોના પણ સંયમને દાદ દેવી પડે.

ખેર, ખેડૂતોને આ કૃત્યમાં ષડયંત્રની આશંકાનો થોડો લાભ મળે છે એ પૂરતો નથી. અન્ય ખેડૂત નેતાઓએ આવું કૃત્ય કરનારાઓની ટીકા કરી છે અને એમના જે પણ સાથીઓ લાલ કિલ્લાની ઘટનામાં સંડોવાયેલા હોય એમની સામે પણ કાર્યવાહી કરવાનું કહ્યું છે. છતાં નુકસાન થઈ ચૂક્યુ છે. આ નુકસાનના સંદર્ભમાં અસહકાર આંદોલન સમયનો ચૌરી ચૌરા કાંડ, એ કાંડ પછીની ગાંધીજીની પ્રતિક્રિયા અને એમનો સાધનશુદ્ધિનો આગ્રહ સમજવો જરૂરી છે.

કટ ટુ અસહકાર આંદોલન. 1922ની વાત છે. ગાંધીજીના આહવાહન પર દેશભરમાં અસહકાર આંદોલન ચાલી રહ્યું હતું. લોકો વિદેશી કપડાં, ચીજ-વસ્તુઓ અને અંગ્રેજી શિક્ષણનો બહિષ્કાર કરી અને ચરખો અપનાવી સત્યાગ્રહમાં જોડાઈ રહ્યાં હતાં. અંગ્રેજો વિરુદ્ધ પ્રદર્શનો, વિદેશી કપડાંની હોળી વગેરે કાર્યક્રમો ચાલી રહ્યાં હતાં. ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરા પરગણામાં પોલીસે બે આંદોલનકારીઓને ધરપકડ કરેલી. એમને છોડાવવા 4 ફેબ્રુઆરી 1922ના રોજ પોલીસ સ્ટેશનની આસ-પાસ હજારો આંદોલનકારીઓ એકત્ર થઈ ગયાં. પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ થઈ ગયું. પરિસ્થિતિ કાબુ બહાર જતાં પોલીસે ફાયરિંગ કર્યું. અનેકને ગોળીઓ વાગી. જેના કારણે ઉશ્કેરાયેલી ભીડ પોલીસની પાછળ પડી. પોલીસવાળા પોલીસ ચોકીમાં સંતાઈ ગયા. ભીડે ચોકીને આગ લગાવી દીધી. ફાયરિંગમાં 11 લોકોના મોત થયા અને ચોકીને આગ લગાડવાની ઘટનામાં 23 લોકોના જીવ ગયા.

આ ઘટનાના કારણે ગાંધીજીને આઘાત લાગ્યો અને એક ચૌરી ચૌરાની ઘટનાના પગલે તેમણે આખા દેશમાંથી અસહકાર આંદોલન પાછું ખેંચી લીધું. એ સમયે ગાંધીજીના એ નિર્ણયથી ઘણાં લોકો નારાજ હતા. એમને અંગ્રેજ સરકાર સામેનો સત્યાગ્રહીઓનો એ ગુસ્સો અને ગુસ્સામાં ભરાયેલુ પગલુ વાજબી લાગતુ હતું. આઝાદીના લડવૈયાઓમાં જ હિંસાના સમર્થક અને ગાંધીજીના સમર્થકોમાં ભાગલા પડી ગયા. પછીથી ગાંધીજી પોતાના મૂલ્યોને વળગી રહ્યાં અને કેટલાક ક્રાંતિકારીઓએ આઝાદી માટે હિંસાનો રસ્તો પકડ્યો.

આજે પણ ઘણા એ ઘટનાને યાદ કરીને એમના એ નિર્ણયને ખોટો ગણાવે છે. ગાંધીવિરોધીઓને લાગતું હતું કે તેઓ લોકોનો ગુસ્સો સમજી નથી રહ્યાં, પણ ગાંધી બહુ દૂરનું જોઈ શકતાં હતાં. તેઓ પણ આઝાદી ઈચ્છતા હતા, પણ તેઓ આઝાદી મેળવવાના સાધનો કદી અશુદ્ધ થવા દેવા નહોતા ઈચ્છતાં. એ એક એવો નેતા હતો જે મહાત્મા કહેવાતો અને જેના આંદોલનો ’સત્યાગ્રહ’ તરીકે ઓળખતાં. તેમનું માનવું હતું કે જેમની સામે લડી રહ્યાં હોય એમની સામે લડતાં લડતાં એમના જેવા જ થઈ જઈએ તો જે પણ મેળવી લઈએ એ નિરર્થક છે.

ઈનશોર્ટ, ગાંધી ત્યારે પણ સાચા હતા અને આજે પણ પ્રસ્તુત છે. એમની એ સમયની વાતો આજે ટ્રેક્ટર રેલીની હિંસાના સંદર્ભમાં જોઈએ ત્યારે આ વાત સ્પષ્ટ સમજાય છે. આંદોલનકારીઓએ અને આપણે સૌએ એમાંથી ધડો લેવા જેવો ખરો. અસ્તુ.

ફ્રી હિટ :

તમારે માનવતામાંથી વિશ્વાસ ન ગુમાવવો જોઈએ. માનવતા સાગર જેવી છે, જો સાગરના કેટલાક ટીપા ગંદા હોય તો એનાથી કંઈ આખો સાગર ગંદો નથી થઈ જતો. આંખના બદલે આંખથી તો આખી દુનિયા આંધળી થઈ જશે. વિનમ્રતાથી પણ તમે આખા વિશ્વને હચમચાવી શકો છો.
– મહાત્મા ગાંધી

You Might Also Like

બૉમ્બની ધમકીથી દોડાદોડી

સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો

સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક

1 એપ્રિલથી પેટ્રોલમાં 20% ઇથેનોલ બ્લેન્ડિંગ ફરજિયાત

બાળકો દ્વારા આત્મહત્યા કે તેમને નુકસાન કરતાં શબ્દો સર્ચ કરતાં જ મેટા માતા-પિતાને એલર્ટ કરશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સિવિયર એસિડિટી તથા પેટના રોગો અને ખોરાક
Next Article કૂકિંગ અને રેસિપી : ઘરનો આત્મા રસોડું છે!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા મેયર બંગલા ખાતે વિરોધ પ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 54 minutes ago
વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ 2.5 લાખની લાંચ લીધી હોવાનો સહદેવસિંહ જાડેજાનો આરોપ
સ્માર્ટફોનના વ્યસન પર બનેલી શોર્ટ ફિલ્મ ‘ફોન સ્માર્ટ, નોટ મેન’ને પ્રથમ પુરસ્કાર
અમરેલી: જખઈનો મોટો દરોડો, ભચાદર પાસે ઘઉંની આડમાં લઈ જવાતો રૂ.46.88 લાખનો દારૂ ઝડપાયો
1233 વાલીના સરવેમાં ખુલાસો: 80% વાલી દિવસભર સંતાનની પરીક્ષાના વિચારો કરે છે!
રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પ્રવીણાબેન રંગાણીના હસ્તે પ્રાકૃતિક ખેતી સ્ટોલનું ઉદ્ઘાટન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

બૉમ્બની ધમકીથી દોડાદોડી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?