By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિપક્ષી નેતા નોબેલ પુરસ્કાર જીત્યા બાદ વેનેઝુએલા નોર્વે દૂતાવાસ બંધ કરશે
    10 hours ago
    ટ્રમ્પે હવે ઈઝરાયલની સંસદમાં પણ ભારત-પાકિસ્તાનનું યુદ્ધ અટકાવ્યાનો દાવો કર્યો
    11 hours ago
    ટ્રમ્પે હોટ માઈક પર કેનેડાના પીએમ કાર્નેની મજાક ઉડાવી
    12 hours ago
    મેક્સિકોમાં પૂરનો કહેર, વરસાદે સર્જી તારાજી, લગભગ 130 લોકોના મોત થયા
    12 hours ago
    હું યુદ્ધો ઉકેલવામાં સારો છું: ટ્રમ્પની હવે અફઘાન-પાક સંઘર્ષ પર નજર
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ, રૂા.12 લાખ કરોડનો ડાયરેક્ટ ટેક્સ વસૂલ કરાયો
    9 hours ago
    EPFOમાંથી 100% પૈસા ઉપાડી શકાશે
    9 hours ago
    ભાજપે બિહાર વિધાનસભા ચૂંટણી માટે 71 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી; ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી તારાપુરથી ચૂંટણી લડશે
    11 hours ago
    આંધ્ર Google AI હબ: અદાણી જૂથ ભારતના સૌથી મોટા ડેટા સેન્ટર માટે ભાગીદાર બનશે
    11 hours ago
    સ્વાસ્થ્ય માટે હાનિકારક…, WHO દ્વારા કફ સિરપને લઈને એલર્ટ આપવામાં આવ્યું
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રણજી ટ્રોફી: 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી બિહાર ટીમના વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત
    1 day ago
    દિલ્હી ટેસ્ટ મેચના બીજા દિવસે ટીમ ઇન્ડિયાના કૅપ્ટન શુભમન ગિલે સદી ફટકારી રૅકોર્ડ સર્જ્યો
    3 days ago
    અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ
    1 week ago
    Hats Off Surya!! આખી ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને અર્પણ
    2 weeks ago
    ભારતની જીત બાદ PCBના વડા મોહસીન નકવીએ ટ્રોફી-મેડલ ચોર્યાં!
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    10 hours ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    1 day ago
    શિલ્પા શેટ્ટીને વિદેશ જવું હોય તો 60 કરોડ ચૂકવવા પડશે
    5 days ago
    સાઉથ ફિલ્મી હસ્તીઓને ત્યાં EDનાં સામૂહિક દરોડા
    6 days ago
    માર્ગ અકસ્માતમાં પ્રખ્યાત પંજાબી સિંગર રાજવીર જાવંદાનું નિધન
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળીના તહેવારમાં જો આવા સંકેત દેખાય તો સમજી લેજો કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા છે
    1 week ago
    આજે છે શરદ પૂર્ણિમા અને ભદ્રા ,પંચકનો અશુભ પડછાયો પણ રહેશે
    1 week ago
    Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે
    2 weeks ago
    આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે
    3 weeks ago
    આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    9 hours ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    3 days ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    3 days ago
    રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
    3 days ago
    સ્વિગી-ઝોમેટો ગ્રાહકોને આપે છે આકરા ડામ
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ટ્રેકટર રેલીની હિંસા, ગાંધીજીનો સાધનશુદ્ધિનો આગ્રહ અને ચૌરી ચૌરાકાંડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Tushar Dave > ટ્રેકટર રેલીની હિંસા, ગાંધીજીનો સાધનશુદ્ધિનો આગ્રહ અને ચૌરી ચૌરાકાંડ
AuthorTushar Daveરાષ્ટ્રીય

ટ્રેકટર રેલીની હિંસા, ગાંધીજીનો સાધનશુદ્ધિનો આગ્રહ અને ચૌરી ચૌરાકાંડ

Khaskhabar Editor
Last updated: 2022/06/03 at 2:05 PM
Khaskhabar Editor 4 years ago
Share
10 Min Read
SHARE

તુષાર દવે

ખેડૂતોને આ કૃત્યમાં ષડયંત્રની આશંકાનો થોડો લાભ મળે છે એ પૂરતો નથી. અન્ય ખેડૂત નેતાઓએ આવું કૃત્ય કરનારાઓની ટીકા કરી છે અને એમના જે પણ સાથીઓ લાલ કિલ્લાની ઘટનામાં સંડોવાયેલા હોય એમની સામે પણ કાર્યવાહી કરવાનું કહ્યું છે, છતાં નુકસાન થઈ ચૂક્યુ છે. આ નુકસાનના સંદર્ભમાં અસહકાર આંદોલન સમયનો ચૌરી ચૌરા કાંડ, એ કાંડ પછીની ગાંધીજીની પ્રતિક્રિયા અને એમનો સાધનશુદ્ધિનો આગ્રહ સમજવો જરૂરી છે

Contents
તુષાર દવેતમારે માનવતામાંથી વિશ્વાસ ન ગુમાવવો જોઈએ. માનવતા સાગર જેવી છે, જો સાગરના કેટલાક ટીપા ગંદા હોય તો એનાથી કંઈ આખો સાગર ગંદો નથી થઈ જતો. આંખના બદલે આંખથી તો આખી દુનિયા આંધળી થઈ જશે. વિનમ્રતાથી પણ તમે આખા વિશ્વને હચમચાવી શકો છો. – મહાત્મા ગાંધી

એ ઝંડો ખાલિસ્તાની હોય કે ન હોય, પણ એ ઝંડો ફરકાવવાની ઘટના પેટ ચોળીને શૂળ ઊભુ કરવા જેવી જ છે. જો એ ઝંડો ખાલીસ્તાનનો ન હોય, શીખ ધર્મનો હોય અને આર્મીની શીખ રેજિમેન્ટ એને જીતેલી ચોકી પર ફરકાવતી હોય તો પણ એને લાલ કિલ્લા પર ફકાવવાની ઘટના જસ્ટિફાઈ કરી શકાય નહીં. આંદોલન ખેડૂતો માટેનું છે, શીખોનું નહીં. એમાં શીખ ધર્મનો ઝંડો ઘુસેડીને અને આંદોલનકારીઓ દ્વારા કિરપાણ વગેરે શીખ ધર્મના પ્રતિકો જેવા હથિયારોનું પ્રદર્શન કરીને એની કબર ખોદવામાં આવી રહી છે.

- Advertisement -

એક સેક્ધડ માટે કલ્પના કરી જુઓ કે એ ઝંડો શીખ ધર્મનું પ્રતિક નહીં, પણ લીલા રંગનો હોત તો આ દેશમાં એના કેવા પડઘા પડ્યા હોત? કોઈ મુદ્દા આધારિત આંદોલનમાં કોઈપણ ધર્મનો રંગ ભેળવવાની મુર્ખામી અને ગુસ્તાખી માફીને પાત્ર બિલકુલ નથી. વળી જો એ ઝંડો શીખ રેજિમેન્ટ જીતેલી ચોકીઓ પર ફરકાવતી હોય તો પણ અહીં ખેડૂતોએ પોતાની માગો માટે લડવાનુ હતુ, લાલ કિલ્લો ફતેહ કરવાનો નહોતો. કોઈપણ પક્ષની વિચારધારાને ન વરેલો સામાન્ય ભારતીય એ સ્થળે ત્રિરંગા સિવાય કોઈપણ ધ્વજ ફરકાવવાનું જસ્ટિફિકેશન સાંભળે પણ શા માટે? ધેટ વોઝ ડિઝાસ્ટરસ એક્ટ.

માત્ર ભારત જ નહીં, પણ વિશ્વના ઈતિહાસના ફલક પર અનેક નેતાઓ આવ્યા અને ગયા. પરંતુ ગાંધી જેટલો શાશ્વત અને એવરગ્રીન નેતા ભાગ્યે જ કોઈ હશે. વર્તમાનની સમસ્યાઓને કે વિકટ સ્થિતિઓને ગાંધીના દૃષ્ટિકોણથી અથવા તો એવી જ કોઈ સ્થિતિમાં ભૂતકાળમાં ગાંધીએ લીધેલા નિર્ણયોના સંદર્ભમાં જોઈએ ત્યારે થાય કે એ માણસ કેટલો દૂરંદેશી હતો!

ગાંધીજીની વાતો, મૂલ્યો અને સિદ્ધાંતો સામે રહેલી અસમહતિઓને બાજુ પર રાખીને જોઈએ તો એ સમયે ગાંધીને ખોટા માનનારા અથવા તો આજે ગાંધીને કોઈ અલગ દૃષ્ટિકોણથી જોઈને ગાંધીને ખોટા માનનારાઓ પણ જો ફરી ફરીને અભ્યાસ કરે તો થશે કે એ બોખુ સ્મિત ધરાવતો વાણીયો ત્યારે પણ કેટલો સાચો હતો અને આજે પણ કેટલો પ્રસ્તુત છે! ટ્રેક્ટર રેલીની હિંસા અને લાલ કિલ્લા પરની ઘટનાને 1922માં અસહકાર આંદોલન દરમિયાન થયેલા ચૌરી ચૌરા કાંડના સંદર્ભમાં જોવા અને સમજવા જેવી છે.

- Advertisement -

કિસાન બિલના વિરોધમાં ખેડૂતો બે મહિના કરતાં પણ વધુ સમયથી આંદોલન કરી રહ્યાં છે. બીજી તરફ એ આંદોલનને યેનકેન પ્રકારેણ તોડી પાડવા કેન્દ્રની ભાજપની આગેવાની ધરાવતી સરકાર સામ, દામ, દંડ અને ભેદની એ તમામ નીતિઓ અખત્યાર કરી રહી છે જેવી અન્ના હજારેના આંદોલનને તોડી પાડવા કોંગ્રેસની આગેવાની ધરાવતી યુપીએ સરકારે અપનાવેલી. આમ છતાં ખેડૂતો ટસના મસ થતાં નહોતાં. 26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં હિંસા થઈ અને એનાથી આંદોલનને અભૂતપૂર્વ નુકસાન પહોંચ્યું. હિંસા અને અફરા-તફરી ભર્યાં એ એક જ દિવસના કારણે આંદોલનમાં ફાટફૂટ પડી ગઈ.

જે ફાટફૂટ હતી એની તિરાડો ખીણમાં પરિવર્તિત થઈ ગઈ અને ખેડૂતોને મળતા લોક સમર્થનનો પાયો હચમચી ગયો. એ પાયો કે જેની શેહ અત્યાર સુધી સરકાર અને મીડિયાને ભરવી પડતી હતી.

આંદોલનકારીઓના એક નાના સમૂહે એવી ભૂલ કરી નાંખી જેની સજા હવે કદાચ તમામ ખેડૂતોએ ભોગવવી પડશે. એકલ-દોકલ નહીં, પણ અઢી ડઝનથી વધુ સંગઠનો હોય અને દેશના અલગ અલગ ભાગમાંથી આવેલા લોકો હોય અને એમની સંખ્યા ખુબ જ મોટી હોય એ સંજોગોમાં દરેક પર કાબૂ ન રાખી શકાય એ શક્ય છે. બીજું કે કેટલાક તત્વો કોઈ ષડયંત્રના ભાગરૂપે હાથે કરીને આંદોલનને નુકસાન પહોંચે એવા કાર્યો કરતા હોવાના આરોપો થઈ રહ્યાં છે અને આશંકાઓ પણ વ્યક્ત થઈ રહી છે. આમ છતાં કારણ ગમે તે હોય, પણ 26મીની ઘટનાનો કોઈ રીતે બચાવ થઈ શકે એમ નથી કે કોઈ રીતે એને જસ્ટિફાઈ પણ કરી શકાય એમ નથી.

લાલ કિલ્લા પર ફરકતા ત્રિરંગાને નુકસાન ન પહોંચાડીને ફરકાવવામાં આવેલા ઝંડાના વિવાદની વાત કરીએ તો એ ઝંડો ખાલિસ્તાની હોય કે ન હોય, પણ એ ઝંડો ફરકાવવાની ઘટના પેટ ચોળીને શૂળ ઊભુ કરવા જેવી જ છે. જો એ ઝંડો ખાલીસ્તાનનો ન હોય, શીખ ધર્મનો હોય અને આર્મીની શીખ રેજિમેન્ટ એને જીતેલી ચોકી પર ફરકાવતી હોય તો પણ એને લાલ કિલ્લા પર ફકાવવાની ઘટના જસ્ટિફાઈ કરી શકાય નહીં. આંદોલન ખેડૂતો માટેનું છે, શીખોનું નહીં. એમાં શીખ ધર્મનો ઝંડો ઘુસેડીને અને આંદોલનકારીઓ દ્વારા કિરપાણ વગેરે શીખ ધર્મના પ્રતિકો જેવા હથિયારોનું પ્રદર્શન કરીને એની કબર ખોદવામાં આવી રહી છે. એક સેક્ધડ માટે કલ્પના કરી જુઓ કે એ ઝંડો શીખ ધર્મનું પ્રતિક નહીં, પણ લીલા રંગનો હોત તો આ દેશમાં એના કેવા પડઘા પડ્યા હોત? કોઈ મુદ્દા આધારિત આંદોલનમાં કોઈપણ ધર્મનો રંગ ભેળવવાની મુર્ખામી અને ગુસ્તાખી માફીને પાત્ર બિલકુલ નથી. વળી જો એ ઝંડો શીખ રેજિમેન્ટ જીતેલી ચોકીઓ પર ફરકાવતી હોય તો પણ અહીં ખેડૂતોએ પોતાની માગો માટે લડવાનુ હતુ, લાલ કિલ્લો ફતેહ કરવાનો નહોતો. કોઈપણ પક્ષની વિચારધારાને ન વરેલો સામાન્ય ભારતીય એ સ્થળે ત્રિરંગા સિવાય કોઈપણ ધ્વજ ફરકાવવાનું જસ્ટિફિકેશન સાંભળે પણ શા માટે? ધેટ વોઝ ડિઝાસ્ટરસ એક્ટ.

ખેડૂતોના દૃષ્ટિકોણથી જોઈએ તો એમાં કેટલાક ખરાબ ઈરાદા ધરાવતા તત્વો ઘુસ્યા હોવાના એકરાર સાથે એ પણ સ્વીકારવું પડે કે દિલ્હી ગયેલા તમામ ખેડૂતો હિંસક નથી, ખાલીસ્તાની પણ નથી અને આંદોલનનો મૂળ હેતુ પણ હિંસા નથી. આંદોલન લાંબા સમયથી ખુબ જ સંયમ સાથે અહિંસક રહ્યું છે. જો તમામ ખેડૂતો હિંસક હોત અને હિંસાના હેતુથી જ દિલ્હીમાં ઘુસ્યા હોત તો કદાચ આખુ દિલ્હી ભડકે બળી રહ્યું હોત અને આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી શાંત પણ ન થયુ હોત. આંદોલનકારીઓની સંખ્યા અને ક્ષમતાની દૃષ્ટિએ 26મીએ જેટલી હિંસા અને અથડામણોની આશંકાઓ હતી એની તુલનાએ તલવારનો ઘા સોયથી ટળ્યો છે. બીજી તરફ સરકાર અને ખાસ કરીને આપણા સુરક્ષાદળોના પણ સંયમને દાદ દેવી પડે.

ખેર, ખેડૂતોને આ કૃત્યમાં ષડયંત્રની આશંકાનો થોડો લાભ મળે છે એ પૂરતો નથી. અન્ય ખેડૂત નેતાઓએ આવું કૃત્ય કરનારાઓની ટીકા કરી છે અને એમના જે પણ સાથીઓ લાલ કિલ્લાની ઘટનામાં સંડોવાયેલા હોય એમની સામે પણ કાર્યવાહી કરવાનું કહ્યું છે. છતાં નુકસાન થઈ ચૂક્યુ છે. આ નુકસાનના સંદર્ભમાં અસહકાર આંદોલન સમયનો ચૌરી ચૌરા કાંડ, એ કાંડ પછીની ગાંધીજીની પ્રતિક્રિયા અને એમનો સાધનશુદ્ધિનો આગ્રહ સમજવો જરૂરી છે.

કટ ટુ અસહકાર આંદોલન. 1922ની વાત છે. ગાંધીજીના આહવાહન પર દેશભરમાં અસહકાર આંદોલન ચાલી રહ્યું હતું. લોકો વિદેશી કપડાં, ચીજ-વસ્તુઓ અને અંગ્રેજી શિક્ષણનો બહિષ્કાર કરી અને ચરખો અપનાવી સત્યાગ્રહમાં જોડાઈ રહ્યાં હતાં. અંગ્રેજો વિરુદ્ધ પ્રદર્શનો, વિદેશી કપડાંની હોળી વગેરે કાર્યક્રમો ચાલી રહ્યાં હતાં. ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરા પરગણામાં પોલીસે બે આંદોલનકારીઓને ધરપકડ કરેલી. એમને છોડાવવા 4 ફેબ્રુઆરી 1922ના રોજ પોલીસ સ્ટેશનની આસ-પાસ હજારો આંદોલનકારીઓ એકત્ર થઈ ગયાં. પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ થઈ ગયું. પરિસ્થિતિ કાબુ બહાર જતાં પોલીસે ફાયરિંગ કર્યું. અનેકને ગોળીઓ વાગી. જેના કારણે ઉશ્કેરાયેલી ભીડ પોલીસની પાછળ પડી. પોલીસવાળા પોલીસ ચોકીમાં સંતાઈ ગયા. ભીડે ચોકીને આગ લગાવી દીધી. ફાયરિંગમાં 11 લોકોના મોત થયા અને ચોકીને આગ લગાડવાની ઘટનામાં 23 લોકોના જીવ ગયા.

આ ઘટનાના કારણે ગાંધીજીને આઘાત લાગ્યો અને એક ચૌરી ચૌરાની ઘટનાના પગલે તેમણે આખા દેશમાંથી અસહકાર આંદોલન પાછું ખેંચી લીધું. એ સમયે ગાંધીજીના એ નિર્ણયથી ઘણાં લોકો નારાજ હતા. એમને અંગ્રેજ સરકાર સામેનો સત્યાગ્રહીઓનો એ ગુસ્સો અને ગુસ્સામાં ભરાયેલુ પગલુ વાજબી લાગતુ હતું. આઝાદીના લડવૈયાઓમાં જ હિંસાના સમર્થક અને ગાંધીજીના સમર્થકોમાં ભાગલા પડી ગયા. પછીથી ગાંધીજી પોતાના મૂલ્યોને વળગી રહ્યાં અને કેટલાક ક્રાંતિકારીઓએ આઝાદી માટે હિંસાનો રસ્તો પકડ્યો.

આજે પણ ઘણા એ ઘટનાને યાદ કરીને એમના એ નિર્ણયને ખોટો ગણાવે છે. ગાંધીવિરોધીઓને લાગતું હતું કે તેઓ લોકોનો ગુસ્સો સમજી નથી રહ્યાં, પણ ગાંધી બહુ દૂરનું જોઈ શકતાં હતાં. તેઓ પણ આઝાદી ઈચ્છતા હતા, પણ તેઓ આઝાદી મેળવવાના સાધનો કદી અશુદ્ધ થવા દેવા નહોતા ઈચ્છતાં. એ એક એવો નેતા હતો જે મહાત્મા કહેવાતો અને જેના આંદોલનો ’સત્યાગ્રહ’ તરીકે ઓળખતાં. તેમનું માનવું હતું કે જેમની સામે લડી રહ્યાં હોય એમની સામે લડતાં લડતાં એમના જેવા જ થઈ જઈએ તો જે પણ મેળવી લઈએ એ નિરર્થક છે.

ઈનશોર્ટ, ગાંધી ત્યારે પણ સાચા હતા અને આજે પણ પ્રસ્તુત છે. એમની એ સમયની વાતો આજે ટ્રેક્ટર રેલીની હિંસાના સંદર્ભમાં જોઈએ ત્યારે આ વાત સ્પષ્ટ સમજાય છે. આંદોલનકારીઓએ અને આપણે સૌએ એમાંથી ધડો લેવા જેવો ખરો. અસ્તુ.

ફ્રી હિટ :

તમારે માનવતામાંથી વિશ્વાસ ન ગુમાવવો જોઈએ. માનવતા સાગર જેવી છે, જો સાગરના કેટલાક ટીપા ગંદા હોય તો એનાથી કંઈ આખો સાગર ગંદો નથી થઈ જતો. આંખના બદલે આંખથી તો આખી દુનિયા આંધળી થઈ જશે. વિનમ્રતાથી પણ તમે આખા વિશ્વને હચમચાવી શકો છો.
– મહાત્મા ગાંધી

You Might Also Like

કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ, રૂા.12 લાખ કરોડનો ડાયરેક્ટ ટેક્સ વસૂલ કરાયો

EPFOમાંથી 100% પૈસા ઉપાડી શકાશે

આંદોલનોના સમુદ્રમંથનમાંથી ઝેર જ નીકળે

આર્યન ખાનની ડેબ્યૂ સીરિઝ ‘બૅડસ ઑફ બોલિવૂડ’ કેવી છે?

ભાજપે બિહાર વિધાનસભા ચૂંટણી માટે 71 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી; ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી તારાપુરથી ચૂંટણી લડશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સિવિયર એસિડિટી તથા પેટના રોગો અને ખોરાક
Next Article કૂકિંગ અને રેસિપી : ઘરનો આત્મા રસોડું છે!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

GTUની ‘ક્ષિતિજ’ સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં વીવીપી એન્જિનિયરિંગ કોલેજનો દબદબો

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજુલાની ‘સ્પર્શ હોસ્પિટલ’ દ્વારા ખુલ્લેઆમ વૃક્ષનું કટિંગ: પર્યાવરણ સાથે ચેડાં થતાં ચકચાર
હુડકો ક્વાટરમાંથી 1 કિલો ગાંજા સાથે ધોરાજીના અફઝલની ધરપકડ
અમરેલીના ઘાર કેરાળા ગામે એક વર્ષના બાળક પર જંગલી શિયાળનો હુમલો
ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્માજીનું રાજકોટમાં ભવ્ય અભિવાદન: આવતીકાલે રેસકોર્સ ખાતે કાર્યક્રમ
પોરબંદરના માંડવા ગામે મંજૂરી વિના રાજકીય સભા યોજાઈ : મહિલા સરપંચના પુત્ર સામે ગુનો નોંધાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ, રૂા.12 લાખ કરોડનો ડાયરેક્ટ ટેક્સ વસૂલ કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાષ્ટ્રીય

EPFOમાંથી 100% પૈસા ઉપાડી શકાશે

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
Kinnar Acharya

આંદોલનોના સમુદ્રમંથનમાંથી ઝેર જ નીકળે

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?