સાંજ સુધીમાં કોર કમિટી લેશે નિર્ણય, રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ સહિત કેટલાક કડક નિયમો લાગુ થશે.
લારી-ગલ્લા, સલૂન, શોપિંગ કોમ્પલેક્સ વગેરે માત્ર 9 વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે.
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં કોરોના-ઓમિક્રોનની વધતી મહામારીને પગલે વાઈબ્રન્ટ સમિટ મોકૂફ તેમજ ઘીરે-ઘીરે તમામ સરકારી કાર્યક્રમો રદ થઈ રહ્યા છે. ત્યારે આવતીકાલે 7મી જાન્યુઆરીએ રાત્રિ કર્ફ્યુ સહિતની કોરોનાની ગાઈડલાઈનની સમયમર્યાદા પુરી થઈ રહી છે. ત્યારે સરકાર આજે નવી ગાઈડલાઈન જાહેર કરશે. સંક્રમણની ગંભીરતાને જોકે નવી જઘઙમાં રાત્રિ કર્ફ્યુ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી થઈ શકે છે. એટલે કે લારી- ગલ્લા, સલૂન, શોપિંગ કોમ્પલેક્સ વગેરે માત્ર 9 વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે. હાલમાં રાત્રિ કર્ફ્યુ રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી છે.
નવા વર્ષની શરૂઆતથી રાજ્યમાં કોરોનાના કેસની સ્પીડ રોકેટની ગતિએ વધી રહી છે. ખાસ કરીને અમદાવાદ તેમજ સુરતમાં સંક્રમણનું પ્રમાણ ખુબ જ વધ્યું છે. બીજીતરફ આજે સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યુ સહિતની કોરોનાની નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે. જેમા રાત્રિ કર્ફ્યુમાં 2થી 3 કલાક સુધીનો વધારો તેમજ વેપાર-ધંધામાં પણ કેટલાક નવા નિયમો લાગુ કરવામાં આવી શકે છે. હાલમાં રાત્રે 11 વાગ્યા વેપાર-ધંધા ચાલુ રાખી શકાય છે, જેમા ફેરફાર કરીને આવતીકાલથી રાત્રે 9 વાગ્યા સુધી જ વેપાર-ધંધા ચાલુ રહેશે તેવી જઘઙ બની શકે છે. સાથે જ 8 મહાનગરોમાં 9 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લી રહેશે.
- Advertisement -
સંત સંમેલન બન્યું સુપર સ્પ્રેડર
અમદાવાદ શહેર ભાજપના 40 નેતાઓ કોરોના પોઝિટિવ
અમદાવાદ શહેરમાં કોરોના વિસ્ફોટ વચ્ચે 4 જાન્યુઆરીના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પર સંત સંમેલન યોજાયું હતું. હવે આ સંમેલનની આડઅસર દેખાઈ રહી છે. સંત સંમેલન સુપર સ્પ્રેડર બન્યું છે. આ સંમેલનમાં ભાગ લેનારા શહેર ભાજપના 40 નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા છે, તેમ સૂત્ર પાસેથી જાણવા મળ્યું છે. મહત્વનું છે કે આ સંમેલનમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો આવ્યા હતા.