વિશ્ર્વ આરોગ્ય સંસ્થા અને વિશ્ર્વ બેંંકના અહેવાલમાં ખુલાસો
1930 પછી બીજા ક્રમની આર્થિક મંદી કોરોનાના પગલે જોવા મળી છે લોકોના આરોગ્ય અને સામાજિક સુરક્ષા પર વધારે બજેટની જરૂરીયાત
વિશ્ર્વ આરોગ્ય સંસ્થા અને વિશ્ર્વ બેંકના એક સ્ટડીમાં જણાવ્યા મુજબ કોવિડમાં આરોગ્ય સેવાઓ પાછળ ધરખમ ખર્ચ થવાથી 50 કરોડથી વધુ લોકો ગરીબીની ગર્તામાં ધકેલાયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન સહિતના દક્ષિણ એશિયાઇ દેશોમાં ગરીબ, મધ્યમવર્ગના લોકોની આર્થિક સંકળામણ માટે કોરોના મહામારી જવાબદાર છે. યૂનિવર્સલ હેલ્થ કવરેજ દરમિયાન જાહેર કરવામાં આવેલા અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી સ્વાસ્થ્ય સુવિધામાં સુધારો જોવા મળતો હતો પરંતુ કોવિડ-19ની મહામારી તેમાં આડખીલી બન્યો છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થા અને વિશ્ર્વ બેંકના એક સ્ટડીમાં જણાવ્યા મુજબ હજુ પણ કોરોના મહામારીના કારણે આર્થિક ગરીબ થતા લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહયો છે. 1930 પછી બીજા ક્રમની આર્થિક મંદી કોરોનાના પગલે જોવા મળી છે.
- Advertisement -
લોકોમાં તણાવ, ચિંતા અને ઉજાગરા વધવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર વિપરિત અસર થઇ રહી છે. યુએનનું માનવું છે કે કોવિડ-19ની મહામારીનું ત્રીજુ વર્ષ શરુ થઇ રહયું છે ત્યારે સમાનતાના ધોરણે સ્વાસ્થ્ય સેવાઓ મજબૂત કરવાની તાતી જરુરીયાત છે.
દરેક દેશોએ લોકોના આરોગ્ય અને સામાજિક સુરક્ષા પર વધારે નાણા ખર્ચવાની જરુરીયાત છે. પ્રાથમિક આરોગ્ય સેવાઓ લોકોને પોતાના ઘરની નજીક મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી પડશે.