સિદ્વાર્થ રાઠોડ : પરિપ્રેક્ષ્ય
પ્રસ્થાનઃ
- Advertisement -
સાચી આઝાદી ત્યારે હોય જયારે માણસની આત્મા મુક્તિ અનુભવે : બહાદુરશાહ ઝફર
આઝાદીની થીમ ઉપર એક કવિતા લખેલી હતી અત્યારે ચારેકોર અભિવ્યક્તિની આઝાદી બાબતે ચર્ચા ચાલે છે તો તેના ઉપર મેં લખેલી એક કવિતા પ્રસ્તુત છે. આ કવિતાનો મુખ્ય સારાંશ એ છે કે “સૌથી મોટી ગુલામી તનની નથી, પણ મનની છે.” જ્યારે કોઈ વ્યક્તિ અથવા પરિસ્થિતિ આપણી સ્વતંત્રતા છીનવી લે છે, ત્યારે શરૂઆતમાં આપણને દુઃખ થાય છે, પરંતુ જો એ કેદમાં સુખ-સુવિધાઓ અને સુરક્ષાનો લાલચ આપવામાં આવે, તો માણસ (કે જીવ) પોતાની સ્વતંત્રતા જ જતી કરે છે.
પારધી
એક જંગલમાં રહેતો એક પોપટ, ખાધે પીધે સુખી નહીં એને કોઈ વાતની ખોટ,
પરિવાર સાથે રહેતો, લહેરથી હરતો ફરતો; કંઠેથી મીઠું ગાતો એટલે બધાને ગમતો.
એક દિવસ જંગલમાં આવ્યો એક માનવી, દાનત તેની સારી નહીં ધારવી.
ચહેરો કૂર, દુષ્ટતા ટપકે આંખમાંથી; પક્ષી જોઈ, કાઢી જાળ તેણે કાંખમાંથી.
ઈરાદો ન હતો પક્ષીનો શિકાર કરવાનો, પણ હતો તેને પોતાના જેવું જ બનાવવાની.
ઘણાં પક્ષી જોયા બાદ પસંદ તે પોપટને કર્યો, જે વગડામાં ગીત ગાતો, જીવંત એમ આંખને હર્યો.
અહો! આટલું જીવંત પક્ષી હોય જ કેમ શકે? શુંકામ તે આટલું સ્વતંત્રતાથી ઊડી શકે?
ના નહીં એના તનને મારે કેદ કરવું, પણ છે એના મનને મારે પાંગળું કરવું.
વિચાર કર્યા પછી સપડાવ્યો તે શુકને, જોઈને રાજી થયો માનવી તેના દુ:ખને.
લઈ ગયો પોતાની સાથે પોતાનાં નિવાસમાં, કેદ કર્યું નિર્દોષને સુવર્ણનાં કારાવાસમાં.
મૂંગું જીવ તો સાવ આઘાતમાં ન ન પીવે, કોઈ દિ’ નીકળવાની આશામાં અધૂરૂપથી જીવે.
માનવી ખાવા સારું આપે છે શુકને, મીઠા ફળો, સૂકા મેવા ઘરે તેની કને.
ધીરે-ધીરે પોપટને ગમવા આ બધું માંક્યું, પીંજરામાંથી નીકળવાના સ્વપનને એણે છાંડ્યું.
અહો કેટલા ચમકતા સળિયા છે મારા ઘરનાં જુએ મને તો ઈર્ષા પામે સભ્યો મારા પરિવારનાં.
માલિક કેવા દયાળુ, ખાવા કેવું સારું આપે! ખોરાક, રહેઠાણ એકેય વાતની કમી નાં સાંખે.
પક્ષીમાં આવેલા પરિવર્તનથી માનવી થયો પ્રસન્ન, મનમાં મનમાં મલકે, લુચ્ચાઈ તેને મન.
પોતાનું કાર્ય સફળ એમ જાણી, ખોલ્યા એણે કારાવાસનાં દ્વાર; પક્ષી રહે છે અંદર કે, જાય છે બહાર.
જોયું પક્ષીએ કારાવાસનું દ્વાર ઉઘાડું, તરંગ જન્મ્યું એના મનમાં એક નાનકડું.
કરી દવ મારી જાતને હું હવે સ્વતંત્ર, જે હતી અત્યાર સુધી પરતંત્ર.
ભર્યું એક ડગલું દ્વાર ભણી, ત્યાં એક વિચાર આવ્યો મન મહી.
આ સુવર્ણ નિવાસ કેવી રીતે છોડવું? કેવું હું અહીં સમૃદ્ધિ અને આનંદી રહેવું!
આટલા સમયથી પાંખો ઊંડી નથી હાય! આવી આ પાંખોથી કેમ ઊડી શકાય!
બહાર ખાણું જાતે ગોતવું પડશે, ના! ટકી રહેવા મથવું પડશે નવા
ના-ના આ ભવન છોડવું નથી મારે, નથી મૂકવી ભયમાં સુરક્ષા માટે
આટલું વિચારી પોપટ કારાવાસમાં બેસી રહ્યો, તે માનવી એક અમાનુષી સંતોષથી મલકી રહ્યો.
હવે ભય નથી પક્ષીનાં ઊડી જવાનો લગીર, કારણ કે તન નહીં પણ મન એનું પરાધીન છે હવે.
- Advertisement -
પૂર્ણાહુતિ:
पंधी से छुड़ाकर उसका घर तुम अपने घर पर ले आए वे प्यार का पिंजरा गम भावा हम जी भर-भर के मुस्काए जब प्यार हुआ इस पिंजरे से तुम कहने लगे आज़ाद रहो हम कैसे भुलाएँ प्यार तेरा तुम अपनी जुबां से वे व कहो – हसरत जयपुरी




