દિલજીત દોસાંજને પણ આ જ પેટર્નથી ધમકી આપી હતી
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
અમદાવાદ અને ગાંધીનગરમાં આજે 10 જૂનથી 20 સપ્ટેમ્બર દરમિયાન અલગ-અલગ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ગંભીર ધમકીભર્યા ઈમેલ મળતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ હતી. જુદા-જુદા ઈ-મેલ આઈડી પરથી મોકલવામાં આવેલી આ ધમકીઓ ઈખ ઓફિસને બપોરે 1:11 વાગ્યે, અખઈ ઓફિસને બપોરે 3:11 વાગ્યે અને છજજ કચેરીને સાંજે 5:11 વાગ્યે બ્લાસ્ટથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ધમકી ખાલિસ્તાન નેશનલ આર્મીના નામથી આપી છે. જો કે મુખ્યમંત્રી કાર્યાલયની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી નથી. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદી સાથેની મિટિંગ માટે દિલ્હી પહોંચ્યા છે અને આ વચ્ચે ધમકી મળી હતી.
ગત 25 મે, 2026ના રોજ પંજાબના લુધિયાણા નગર નિગમના ઉચ્ચ અધિકારીઓને એક ધમકીભર્યો ઇમેઇલ મળ્યો હતો. ઇમેઇલમાં દિલજીત દોસાંઝના ઘર અને લુધિયાણાના મેયર ઇન્દરજીત કૌરની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકીની પેટર્નથી જ આજે ઈખઘ, છજજ અને અખઈને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ખાલિસ્તાની નેશનલ આર્મી દ્વારા જ મોકલવાનો ઉલ્લેખ છે. માત્ર ધમકી માટેનું લોકેશન જ બદલ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફીસ દાણાપીઠને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને પગલે તાત્કાલિક ધોરણે આખી બિલ્ડીંગ ખાલી કરાવવામાં આવી હતી. તમામ સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા ચૂસ્ત કરી દીધી હતી. પોલીસ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ (ઇઉજજ) તેમજ સાયબર ક્રાઈમની ટીમ દ્વારા ઈમેલના સોર્સની સઘન તપાસ શરૂ કરી હતી.
ધમકીના અહેવાલો વહેતા થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફીસ (દાણાપીઠ)માં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક સહિતની મુખ્ય ઓફિસના સ્ટાફ પણ બહાર આવી ગયો હતો. પોલીસ, ઇઉઉજ (બોમ્બ ડિટેક્શન ડિસ્પોઝલ સ્કવોડ) અને ફાયર વિભાગની ટીમ હાલમાં અખઈ બિલ્ડીંગના ઈ બ્લોકના સરદાર પટેલ ભવનમાં ચેકિંગ કર્યું હતું.



