રાજકોટ કલેક્ટરની નવી પહેલ: એપિક નંબર એન્ટર કરવાથી મતદારનું નામ, બૂથ નંબર, વોર્ડ નંબર અને યાદીમાં સીરિયલ નંબર જાણી શકાશે
રાજકોટમાં 6 સેન્ટરો પરથી થશે ઊટખનું ડિસ્પેચિંગ અને રિસિવિંગ: ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે રીટર્નિંગ ઑફિસરની નિમણૂંક
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી-2026માં મતદારોને મતદાન મથક શોધવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એક ખાસ ટેકનોલોજી આધારિત સુવિધા શરૂ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી ડો. ઓમ પ્રકાશે આજે પત્રકાર પરિષદમાં બે ખાસ ચછ કોડ લોન્ચ કર્યા છે, જેના માધ્યમથી મતદારો ઘરે બેઠા જ પોતાના મોબાઈલ પર મતદાનને લગતી તમામ વિગતો મેળવી શકશે.
કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રથમ ચછ કોડ સ્કેન કરવાથી મતદારો સીધા સ્ટેટ ઇલેક્શન કમિશનની વેબસાઇટ પર પહોંચશે. ત્યાં માત્ર પોતાનો એપિક નંબર અને કેપ્ચા એન્ટર કરવાથી મતદારનું નામ, બૂથ નંબર, વોર્ડ નંબર અને યાદીમાં તેમનો સીરિયલ નંબર જાણી શકાશે. આ ઉપરાંત, મતદાર પોતાના પરિવારના સભ્યોની વિગતો પણ જાણી શકશે. બીજા ચછ કોડ વિશે માહિતી આપતા ડો. ઓમ પ્રકાશે જણાવ્યું કે, ઘણીવાર મતદારોને મતદાન મથકનું સરનામું ખબર હોવા છતાં ત્યાં પહોંચવામાં મુશ્કેલી પડતી હોય છે. આ સમસ્યાના ઉકેલ માટે બીજા ચછ કોડમાં ડ્રોપ-ડાઉન મેનૂ આપવામાં આવ્યું છે. જેવું મતદાર પોતાનું બૂથ પસંદ કરશે, એટલે ગૂગલ લોકેશન દ્વારા સીધો જ તે બૂથ સુધીનો રસ્તો મળી જશે.તંત્ર દ્વારા શહેરના તમામ 18 વોર્ડ માટે ક્લસ્ટર મુજબ ઈ.વી.એમ. ડિસ્પેચિંગ, રિસિવિંગ અને કાઉન્ટિંગ સેન્ટરો નક્કી કરવામાં આવ્યા છે, જ્યાંથી જ મતદાન સામગ્રીની ફાળવણી થશે અને ત્યાં જ મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી તંત્રની જાહેરાત મુજબ, વોર્ડ નંબર 1 થી 3 માટે ચૌધરી હાઈસ્કુલ કમ્પાઉન્ડ સ્થિત પાધી લો કોલેજ, વોર્ડ 4 થી 6 માટે એ.એસ. ચૌધરી હાઇસ્કુલ, અને વોર્ડ 7 થી 9 માટે ટાગોર રોડ પર આવેલી શ્રી એસ.વી. વિરાણી હાઈસ્કુલને કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. તેવી જ રીતે વોર્ડ 10 થી 12 માટે હેમુ ગઢવી હોલની સામે આવેલી એ.વી. પારેખ ટેકનીકલ ઈન્સ્ટીટ્યુટ, વોર્ડ 13 થી 15 માટે ગોંડલ રોડ પરની અમૃતચંદ વીરચંદ જસાણી સ્કુલ તથા વોર્ડ 16 થી 18 માટે રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ ખાતે ઈ.વી.એમ. રાખવાની અને ગણતરીની વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે અનુભવી અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. જેમાં વોર્ડ 1-2-3માં આર.ઓ. તરીકે એચ.કે. આચાર્ય અને એ.આર.ઓ. તરીકે નીલેશ પી. અજમેરા, વોર્ડ 4-5-6માં આર.ઓ. તરીકે પી. એચ. ગલ્ચર અને એ.આર.ઓ. તરીકે રાજેન્દ્રકુમાર કે. સરવૈયા, જ્યારે વોર્ડ 7-8-9માં આર.ઓ. તરીકે એ. એસ. ઝાપડા અને એ.આર.ઓ. તરીકે અતુલ આર. દેવાંગડા ફરજ બજાવશે. આ ઉપરાંત, વોર્ડ 10-11-12ની જવાબદારી આર.ઓ. જે. કે. જોગરાણા અને એ.આર.ઓ. ભુવાને સોંપાઈ છે. વોર્ડ 13-14-15માં આર.ઓ. તરીકે ડો. ચાંદની પરમાર અને એ.આર.ઓ. તરીકે એન. પી. પંડયા કાર્યરત રહેશે, જ્યારે વોર્ડ 16-17-18માં આર.ઓ. તરીકે સિધ્ધાર્થ ગઢવી અને એ.આર.ઓ. તરીકે મામલતદાર (પશ્ચિમ)ની નિયુક્તિ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સુદ્રઢ આયોજનને કારણે ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થશે.



