રાજકોટના ચેક રિટર્ન કેસમાં ઐતિહાસિક ચુકાદો
ગોંડલ ચોકડીના મારબલ વેપારીને રૂ.13 લાખના ચેક રિટર્ન મામલે કોર્ટે આપ્યો દાખલારૂપ ચુકાદો; રકમ ન ચૂકવાય તો વધુ 1 વર્ષની કેદ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની ગોંડલ ચોકડી પાસે આલીશાન મારબલના નામે વેપાર કરતા રાજેન્દ્રસિંહ આહિરવાર એ નેગોશ્યેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ નોંધાવેલા ચેક રિટર્ન કેસમાં રાજકોટની અદાલતે દાખલારૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી વેપારીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે અને સાથે જ ચેકની રકમના દોઢા એટલે કે રૂ. 19,50,000/- વળતર તરીકે ફરિયાદીને ચૂકવવાનો આદેશ કર્યો છે. ફરિયાદી રાજેન્દ્રસિંહ આહિરવારે કાલાવડ રોડ પર એગ વર્લ્ડ નામે ધંધો કરતા સંજયભાઈ આણંદજીભાઈ સંપટ ને ધંધાકીય મદદ માટે રૂ. 13,00,000/- હાથ ઉછીના આપ્યા હતા, જેના પેટે સંજયભાઈએ આપેલા ત્રણ ચેક ’ફંડ્સ ઈનસફીસ્યન્ટ’ ના શેરા સાથે પરત ફર્યા હતા. કેસની સુનાવણી દરમિયાન દસ્તાવેજી પુરાવાઓ અને કાયદાકીય બાબતોને ધ્યાને રાખીને અદાલતે આરોપી સંજયભાઈને નેગોશ્યેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 હેઠળ એક વર્ષની સાદી કેદની સજા અને રૂ. 19.50 લાખ વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો. જો આરોપી વળતર ચૂકવવામાં નિષ્ફળ જાય તો તેમને વધુ એક વર્ષની સાદી કેદની સજા ભોગવવી પડશે. આ કેસમાં ફરિયાદી તરફે યુવા લો એસોસિએટના એડવોકેટ હેમાંસુ પારેખ સહિતની ટીમ રોકાયેલી હતી.



