શું લોકોની સુરક્ષા સાથે ચેડાં કરનાર એજન્સી સામે ફોજદારી કાર્યવાહી કરવા માગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના અટલ સરોવર ખાતે બનેલી એક ગંભીર ઘટનામાં, ચકડોળ ચલાવતા ઓપરેટરની ઘોર બેદરકારીને કારણે એક પરિવારનો જીવ જોખમમાં મુકાયો હતો. ગઈકાલે રાત્રિના આશરે 10:30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, જેમાં ચકડોળમાં સવાર 4 લોકોનો એક પરિવાર 100 ફૂટની ઊંચાઈએ અધવચ્ચે અટકી ગયો હતો.
આ ઘટના બાદ આસપાસના લોકોમાં અને વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
ભોગ બનનાર વ્યક્તિએ વીડિયો વાયરલ કરી વ્યથા વર્ણવી છે. જેને લઈને ઓપરેટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેતા જવાબદાર ઓપરેટરને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો છે.
જોકે, માત્ર ઓપરેટરને છૂટો કરવાથી સમસ્યાનો હલ આવશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. હાલ શહેરીજનોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે કે રાઈડ્સનું સંચાલન કરતા કોન્ટ્રાક્ટર સામે તંત્ર દ્વારા કેવા કડક પગલાં લેવામાં આવશે? શું લોકોની સુરક્ષા સાથે ચેડાં કરનાર એજન્સી સામે કોઈ ફોજદારી કાર્યવાહી થશે કે કેમ તે
જોવું રહ્યું.



