માલીકીની જમીનમાં અવૈધ ખનન ઝડપી બાદમાં કબજેદારોને દંડ ફટકાર્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.13
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી મોટા પ્રમાણમાં ખનિજ ચોરીને અટકાવવા છેલ્લા કેટલાક સમયથી ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણાના પ્રયત્નો રહ્યા છે જેના લીધે કેટલાક અંશે ખનિજ ચોરી પર કાબુ મેળવાયો હોય તેમ કહી પણ શકાય ત્યારે પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા છેલા ત્રણેક મહિનાથી થાનગઢ પંથકના જામવાડી, ભડુલા જ્યારે મૂળી પંથકના વગડીયા, ઉમરડા, ખંપાળિયા, વીજળીયા સહિતના ગામોના સીમ વિસ્તારમાં માલિકીના જમીન પર ચાલતી કોલસાની ગેરકાયદેસર ખાણ પર દરોડા કર્યા હતા જે દરોડા બાદ તમામ માલિકીની જમીનની માપણી કરી કુલ 377 સર્વે નંબરો માંથી 431 ગેરકાયદેસર ખનન પ્રવૃતિ ઝડપી લેવા હતી જે તમામ જમીન માલિકો અથવા કબજેદારોને કુલ 300.16 કરોડ રૂૂપિયાનો દંડ ફકરવામાં આવ્યો હતો. આ ચોટીલા મામલે પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા જણાવ્યું હતું કે અત્યાર સુધી થાનગઢ અને મૂળી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં જેટલા સ્થળો પર પણ ગેરકાયદેસર ખનન પ્રવૃતિ પર દરોડા કરાયા હતા તે તમામ સર્વે નંબર (માલિકીની જમીન) પર દંડ ફટકારવામાં આવ્યો છે જે દંડ નહીં ભરતા આગામી સમયમાં જમીન પર બીજા સ્વરૂપે જોવા મળશે” ત્યારે આ પ્રકારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર કોલસા ખનનના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત 300 કરોડ જેટલો દંડ ફટકારતા હવે ખનિજ માફિયાઓના પણ ફફડાટ ફેલાયો છે.