By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    “ગ્રેટર બાંગ્લાદેશ” વિવાદાસ્પદ નકશો પાકિસ્તાની જનરલને ભેટમાં: ભારતના પૂર્વોત્તર રાજ્યોને બાંગ્લાદેશનો ભાગ દર્શાવતા વિવાદ
    15 hours ago
    તુર્કીમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, ત્રણ ઇમારતો ધરાશાયી થઈ
    15 hours ago
    183 મિલિયન ઇમેઇલ પાસવર્ડ્સ લીક ​​થયા, શું તમારું Gmail સુરક્ષિત છે? તમારા ડેટાને કેવી રીતે સુરક્ષિત રાખવો?
    16 hours ago
    વેનેઝુએલા નજીક આવેલા ત્રિનિદાદ અને ટોબેગોમાં યુએસ યુદ્ધ જહાજ પહોંચ્યું
    2 days ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શાંતિ કરાર માટે વાટાઘાટો, પાક સરહદ પારના આતંકવાદ સહન કરશે નહીં
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાત, MP-UP સહિત 12 રાજ્યોમાં આજથી જઈંછ
    14 hours ago
    મોન્થા વાવાઝોડું સાંજે કાકીનાડા કિનારે ટકરાશે
    14 hours ago
    જયપુરમાં વધુ એક સ્લીપર બસ સળગી, અનેક સિલિન્ડર ફાટ્યા: 3ના મોત, 10થી વધુ ઘાયલ
    14 hours ago
    કેબિનેટે 8મા પગાર પંચની શરતોને મંજૂરી આપી
    15 hours ago
    રાજકોટ-દિલ્હી ફ્લાઈટની ફ્રીક્વન્સી વધતાં સૌરાષ્ટ્રના વેપાર-પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    15 વર્ષની પ્રીતિસ્મિતા ભોઈએ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો
    2 days ago
    સુનીલ ગાવસ્કરે વર્લ્ડ કપ 2027 માટે રોહિત શર્મા અને વિરાટ કોહલીને સમર્થન આપ્યું
    2 days ago
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    1 week ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    2 weeks ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    મારી માતાના માર્ગદર્શનથી મેં પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી
    15 hours ago
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    1 week ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    2 weeks ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    2 weeks ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    16 hours ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 week ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 week ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    2 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    14 hours ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 days ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 weeks ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    2 weeks ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પાકિસ્તાન શા માટે સીઝફાયર માટે મોદીનાં ઘૂંટણિયે પડ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > પાકિસ્તાન શા માટે સીઝફાયર માટે મોદીનાં ઘૂંટણિયે પડ્યું
રાષ્ટ્રીય

પાકિસ્તાન શા માટે સીઝફાયર માટે મોદીનાં ઘૂંટણિયે પડ્યું

Khaskhabar Editor
Last updated: 2025/05/13 at 4:23 PM
Khaskhabar Editor 6 months ago
Share
12 Min Read
SHARE

સિદ્ધહસ્ત ગુજરાતી લેખક સૌરભ શાહની કલમે તાજેતરની ઘટનાઓનું એનાલીસિસ

ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે સિંધુ જળસંધિને અભરાઈએ ચડાવી દીધી ત્યારે શું મોદીને આંતરરાષ્ટ્રીય અદાલત કે અન્ય કોઈ બંધનો-વિઘ્નો નડતાં નહોતાં? આમ છતાં મોદીએ પાકિસ્તાનનું પાણી અટકાવ્યું ને. મોદીએ પ્રવચનમાં આ વાતનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે લોહી વહેતું હોય ત્યાં સુધી પાણી નહીં વહી શકે

- Advertisement -

મોદી કંઈ મનમોહન સિંહ કે રાજીવ કે ઈન્દિરા નથી, નહેરુ પણ નથી, આ બધા કરતાં મોદી અનેક રીતે ઘણા ઘણા શ્રેષ્ઠ છે

પહેલગામ કૃત્ય અને ઓપરેશન સિંદુર

વડાપ્રધાને જે નથી કર્યું, જે વાત અધ્યાહાર રાખી છે તે એ છે કે પાકિસ્તાનની ન્યુક્લિયર કેપેબિલિટી સામે નમતું જોખવાની ભારતને હવે જરૂર જ નહીં પડે, પાકિસ્તાનની ન્યુક્લિયર ફેસિલિટીને છેલ્લા અઠવાડિયા-પંદર દિવસમાં ભારતે કચડી નાખી છે

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 22 મિનિટના રાષ્ટ્રને (ખરેખર તો પાકિસ્તાન-ચીન સહિત દુનિયાના તમામ રાષ્ટ્રોને) સંબોધીને કરેલા પ્રવચનમાંથી બાવીસ મુદ્દાઓ એવા મળે જેની છાપાવાળાઓ હેડલાઈન બનાવી શકે. પણ ભારતના દરેક પ્રમુખ અખબારે વાજબી રીતે જ આઠ કોલમમાં આ એક (અને સૌથી અગત્યનો એવો) મુદ્દો હાઈલાઈટ કર્યો- ન્યુક્લિયર બ્લેકમેઈલવાળો મુદ્દો.
બાંગ્લાદેશ છૂટું પડ્યું તેના બીજા જ વરસથી 1972થી પાકિસ્તાને અણુબોમ્બ બનાવવાની કવાયત શરૂ કરી હતી જે છેક 1998ના અંતમાં પૂરી થઈ. એ પહેલાં, 11 મે 1998ના દિવસે ભારત વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળ રાજસ્થાનના પોખરણમાં પ્રયોગરૂપે અણુબોમ્બના ધડાકા કરી ચૂક્યું હતું.
1999ની કારગિલ યુદ્ધ વખતે અને તે પછી સર્જાયેલી દરેક ભારત-પાક ક્રાઈસિસ વખતે આપણા શાસકોને ડરાવવામાં આવતા કે ‘અમનની આશા’ રાખો, પાકિસ્તાન સાથે લડવામાં કોઈ સાર નથી, એ તો પાગલ છે, એની પાસે અણુબોમ્બ છે, ભારતને ગમે ત્યારે તબાહ કરી નાખશે.
મોદીએ ગઈકાલે પાકિસ્તાનને અને એને મદદ કરી રહેલા ચીન સહિતના તમામ દેશોને સ્પષ્ટ ભાષામાં કહી દીધું કે પાકિસ્તાન ભારત સામે ન્યુક્લિયર બોમ્બનો ઉપયોગ કરી શકે એમ છે તો ભારતે કંઈ પોતાના અણુબોમ્બ શોકેસમાં મૂકીને દેખાડવા માટે બનાવ્યા નથી.

અગાઉની કેટલી અને કઈ શાંતિ મંત્રણાઓથી પાકિસ્તાન સાથેના પ્રશ્ર્નોનું નિરાકરણ આવ્યું છે કોઈ કહેશો?

મોદી સૌ પ્રથમ વડાપ્રધાન છે જે જાહેર પ્રવચનમાં કહે છે કે પાકિસ્તાનના આતંકવાદીઓને પાકિસ્તાનની સરકાર પાળેપોષે છે, પાકિસ્તાનની સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમને ખુલ્લેઆમ હજુ સુધી કોઈએ આવો પડકાર આપ્યો નથી

વડાપ્રધાને ન્યુક્લિયર બ્લેકમેઈલની ધમકીને ફગાવી દીધી એનો સૌ પ્રથમ અને સીધોસાદો અર્થ એ જ છે તમે સૌ સમજો છો- પાકિસ્તાન અણુબોમ્બ ઝીંકશે તો ભારત વળતો ઘા કરશે. પણ વડાપ્રધાને જે નથી કર્યું, જે વાત અધ્યાહાર રાખી છે તે એ છે કે પાકિસ્તાનની ન્યુક્લિયર કેપેબિલિટી સામે નમતું જોખવાની ભારતને હવે જરૂર જ નહીં પડે, પાકિસ્તાનની ન્યુક્લિયર ફેસિલિટીને છેલ્લા અઠવાડિયા-પંદર દિવસમાં ભારતે કચડી નાખી છે. આ બાબતે પાકિસ્તાન તો કંઈ બોલવાનું નથી અને ભારતે બોલવાની જરૂર નથી.
ગઈ કાલ બપોરના પ્રેસ બ્રીફિંગમાં ઍર માર્શલ એ. કે. ભારતીને એક પત્રકાર દ્વારા સવાલ પૂછવામાં આવ્યો કે કિરાના હિલ્સ ખાતેની પાકિસ્તાનની ન્યુક્લિયર ફેસિલિટીને ભારતે નુકસાન પહોંચાડ્યું છે એવી વાત હવામાં છે તે સાચી છે કે શું? ત્યારે ઍર માર્શલ ભારતીએ જવાબમાં આછું સ્મિત કરીને કહ્યું હતું: ‘કિરાના હિલ્સમાં ન્યુક્લિયર ઈન્સ્ટોલેશન છે એની અમને તો ખબર જ નથી, તમે માહિતી આપી તે બદલ આભાર!’

સામેથી ભારતને સીઝફાયર કરવાનું કહ્યું હતું એવું મોદી જ્યારે પ્રવચનમાં કહે છે ત્યારે એનો સ્પષ્ટ અર્થ એ કે ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરાવવા માટે કોઈ ત્રીજા દેશે ટાંગ નથી અડાવી.
પાકિસ્તાન શું કામ ભારતને કહે કે ભૈસા’બ હવે હુમલાઓ બંધ કરો? એની પાસે તો ન્યુક્લિયર બોમ્બ છે જ, વાપરે.
પણ ઑપરેશન સિંદૂર શરૂ થયા પછી પાકિસ્તાનમાં ચારથી વધારે ભૂકંપની ઘટના બની. હળવા આંચકાના આ ભૂકંપ કુદરતી ઉથલપાથલને કારણે નહીં પરંતુ અણુબોમ્બ ફૂટવાને લીધે થયા હોઈ શકે છે એવું કેટલાક નિષ્ણાતો માને છે. પાકિસ્તાનના આ ન્યુક્લિયર બોમ્બ ત્યારે જ ફૂટે જ્યારે ભારત પાકિસ્તાનના છમકલાંઓનો સામનો કરવા પાકિસ્તાનમાં ઘૂસીને તાંડવ કરે.
ત્રણેય સેનાઓના ડીરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સે જે પહેલી પ્રેસ કૉન્ફરન્સ 11મી મેએ કરી ત્યારે આરંભમાં શિવ તાંડવ સ્તોત્ર મોટા અવાજે વગાડવામાં આવ્યું. બીજા દિવસની પ્રેસ બ્રીફિંગમાં રામચરિતમાનસની જાણીતી ચોપાઈ ટાંકવામાં આવી. જેમાં કહેવામાં આવ્યું છે કે જો વિવેક, વિનંતીથી ન માને એને ડર દેખાડો તો જ એ તમને વહાલો થવા આવે.
પાકિસ્તાને શું કામ ભારતને સીઝફાયરની પ્રપોઝલ આપીને વહાલા થવું પડ્યું?

હવે એક પછી એક ઘટનાક્રમના ડોટ્સ જોઈન કરતા જાઓ અને છેવટે જે આખું ચિત્ર ઊભું થાય છે તે જુઓ- મોદીના રાજમાં ભારતે પાકિસ્તાનથી ડરવાની જરૂર નથી.
22 એપ્રિલની પહેલગામની આતંકવાદી ઘટનાના બે અઠવાડિયા પછી ઑપરેશન સિંદૂર અમલમાં મૂકાય છે. આ પંદર દિવસ દરમિયાન મોદીવિરોધીઓ મીડિયામાં અને સોશ્યલ મીડિયામાં ચિલ્લાઈ ચિલ્લાઈને કહેતા રહ્યા કે મોદી કેમ કોઈ પગલાં લેતાં નથી. આ બાજુ કેટલાક હરખપદુડા તથાકથિત હિન્દુવાદીઓ પણ કહેવા લાગ્યા કે પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ-કાશ્મીરના વિસ્તાર પર આક્રમણ કરીને એને ભારતમાં ભેળવી દો, બલુચિસ્તાનને આઝાદી અપાવો, પાકિસ્તાનના ચાર-ચાલીસ-ચારસો ટુકડી કરી નાખો,

મોદીએ પ્રવચન દરમિયાન ટ્રમ્પનો ઉલ્લેખ કર્યો હતો

ના. મોદીએ ક્યાંય કહ્યું કે કોઈ ત્રીજા દેશની દરમિયાનગીરી કે ધમકી)ને લીધે ભારતને સીઝફાયર કરવાની મજબૂરી પડી. ના. તો પછી તમે શેના કૂદાકૂદ કરતાં થઈ ગયા છો? માપમાં રહો.

પાકિસ્તાનને ખેદાનમેદાન કરી નાખો, પાકિસ્તાનની પૂંછડી વાંકી છે ને વાંકી જ રહેવાની છે માટે એને કાપી નાખો.
છાપાં, ટીવી ચેનલો અને સોશ્યલ મીડિયામાં ચાલતા આ કકળાટને સમજુ લોકો કાન બંધ રાખીને સાંભળ્યા કરતા હતા. 7મી મેએ ભારત સરકાર તરફથી સૌ પ્રથમવાર સત્તાવાર માહિતી આપવામાં આવી એ પછી લગભગ રોજ વિદેશ ખાતું અને પછીથી સંરક્ષણ ખાતું ભારતની પ્રજાને શું-શું બની રહ્યું છે તે વિશે અપડેટ કરતું રહે છે. જે વાતો કોન્ફિડેન્શ્યલ હોય તેને જાહેર કરવાની જીદ મીડિયાએ ના કરવાની હોય. સોશ્યલ મીડિયાના દોઢડાહ્યા સાહેબબહાદુરોએ પણ પોતાની રિચ વધારવા કે પોતે કેટલા જાણકાર છે એવું બતાવવા અફવાઓને આધારે ન તો ટ્વિટર પર ચરકવા માટે પહોંચી જવાનું હોય ન ફેસબુક પર જઈને એની વોલનો દુરુપયોગ કરવાનો હોય.

મોદીએ પોતાના 22 મિનિટના પ્રવચનમાં જે વાત નથી કરી તે એ છે કે પાકિસ્તાન સાથેના આ સંઘર્ષમાં ભારતે પણ કોલેટરલ ડેમેજ સહન કરવાનું આવશે અને તે વખતે દેશપ્રેમની વાતો કરનારાઓએ પલટી મારીને કાગારોળ ન મચાવવી જોઈએ કે હાય-હાય પેટ્રોલના ભાવ વધી ગયા, ભારતે કેટલા સૈનિકો ગુમાવ્યા, કેટલાં બાળકો અનાથ થઈ ગયાં, હજારો કરોડ રૂપિયાનાં શસ્ત્રો-સાધનો વપરાઈ ગયાં, દેશ હવે આર્થિક રીતે પાયમાલ થઈ ગયો, મોદીએ આવી ખોટી ફાંકાબાજી કરવાની શું જરૂર હતી? અગાઉના વડાપ્રધાનોની જેમ શાંતિ-મંત્રણાઓ કરીને પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવું જોઈતું હતું?
અગાઉની કેટલી અને કઈ શાંતિ મંત્રણાઓથી પાકિસ્તાન સાથેના પ્રશ્ર્નોનું નિરાકરણ આવ્યું છે કોઈ કહેશો? મોદી સૌ પ્રથમ વડાપ્રધાન છે જે જાહેર પ્રવચનમાં કહે છે કે પાકિસ્તાનના આતંકવાદીઓને પાકિસ્તાનની સરકાર પાળેપોષે છે. પાકિસ્તાનની સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમને ખુલ્લેઆમ હજુ સુધી કોઈએ આવો પડકાર આપ્યો નથી. પાકિસ્તાનની આતંકવાદી પ્રવૃત્તિઓથી માત્ર ભારત જ પરેશાન નથી. મોદીએ ધ્યાન દોર્યું એમ ભારતે પાકિસ્તાનનાં જે આતંકવાદી થાણાંઓ પર પ્રહાર કર્યો તે થાણાંઓના કર્તાહર્તાઓ અમેરિકાના 9-11 અને લંડનના ટ્રેન ધડાકાઓમાં પણ ઈન્વોલ્વ હતા.

પાકિસ્તાનને ખેદાન-મેદાન કરી નાખો, પાકિસ્તાનની પૂંછડી વાંકી છે ને વાંકી જ રહેવાની છે માટે એને કાપી નાંખો

ભારત આખા વિશ્ર્વને પરેશાન કરતી પાકિસ્તાનની સરકારનો ટેકો ધરાવતી આતંકવાદી પ્રવૃત્તિઓનો સામનો કરી રહ્યું છે- આખી દુનિયાને જો શાંતિ જોઈતી હોય તો સૌ કોઈએ આ કાર્યમાં ભારતને સાથ આપવાનો હોય, નહીં કે પાકિસ્તાનને- મોદીએ બહુ જ ઓછા શબ્દો તળે રહેલા અન્ડરકરન્ટનો મેસેજ દુનિયાને પહોંચાડી દીધો.

પાકિસ્તાન કરતાં પણ ભૂંડી ભૂમિકા ભારતમાં રહીને ભારતવિરોધી પ્રવૃત્તિઓ કરતા કોંગ્રેસીઓ, રાજદીપ-રાણા જેવા પત્રકારો અને છદ્મ હિંદુવાદીઓ ભજવી રહ્યા છે. મોદી માટેનો એમનો દ્વેષ દર સેકંડે પ્રગટ થાય છે જે હવે હિંદુદ્વેષ અને ભારતદ્વેષમાં પલટાઈ રહ્યો છે. મોદીને મામૂલી માણસ ગણીને કેટલાક જોકરો મોદી વિશે એલફેલ બોલતા થઈ ગયા છે. આ સૌ દેશદ્રોહીઓ છે જેમાં કેટલાક ગુજરાતીઓ પણ છે. મોદીની સૂઝસમજમાં જો તમને ભરોસો ના હોય તો તમારે ચૂપ બેસવાનું હોય, સોશિયલ મીડિયા પર, યુ-ટયૂબની ચેનલો પર કે છાપા-ટીવીની ડિબેટોમાં અક્કલનું પ્રદર્શન ના કરવાનું હોય. મોદી પાસે વિદેશમંત્રી એસ. જયશંકર અને નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજિત ડોભાલ ઉપરાંત ત્રણેય સેનાઓના વડા, આ ત્રણેયની સાથે કોઓર્ડિનેશન કરતા સીડીએસ (ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ) જેવા ઉચ્ચ કક્ષાના સલાહકારો છે અને આ દરેક સલાહકારો પાસે સેંકડો, હજારો અને લાખો એવા વફાદારો છે જેઓ આ દેશનું રક્ષણ કરવા માટે જાન આપી દેવા તૈયાર છે.

મોદીની મજાક કરવામાં તમે લોકો આ દેશ સાથે ગદ્દારી કરી રહ્યા છો એનું કંઈ ભાન છે તમને? યુદ્ધ ફાટી નીકળે તો ઊંઘતા ના ઝડપાઈએ એટલે પૂર્વતૈયારીરૂપે સાયરન અને બ્લેકઆઉટની પ્રેક્ટિસ કરવાનો સરકારે આદેશ આપ્યો ત્યારે કેટલાય લફંગાઓએ મોદીની ઠેકડી ઉડાવવા માંડી હતી. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વીડિયોમાં કહેલાં નિવેદનો પછી અમુક ભારતદ્વેષીઓ મોદીની મજાક કરતા થઈ ગયા હતા. મોદીએ પ્રવચન દરમિયાન ટ્રમ્પનો ઉલ્લેખ કર્યો હતો? ના. મોદીએ ક્યાંય કહ્યું કે કોઈ ત્રીજા દેશની દરમિયાનગીરી કે ધમકી)ને લીધે ભારતને સીઝફાયર કરવાની મજબૂરી પડી. ના. તો પછી તમે શેના કૂદાકૂદ કરતાં થઈ ગયા છો? માપમાં રહો. મોદી તમને ટ્રમ્પની ટીકા કરવાની જવાબદારી સોંપે ત્યારની વાત ત્યારે.

કોંગ્રેસીઓ મોદીની સિદ્ધિઓ, મોદીની દૃઢતા અને મોદીની પહોંચને ઓછી આંકવા પચાસ-પંચાવન વર્ષ પહેલાંની ઘટનાને બાદ કરીને ઈન્દિરા ગાંધીને લઈ આવ્યા. એ કેટલાં મહાન હતાં, લોખંડી હતા વગેરે. આપણાવાળા કોંગ્રેસીઓની આ રમતમાં અટવાઈને દલીલો કરવા માંડ્યા કે લોખંડી મહિલાએ સિમલા કરાર કરીને જીતેલો પ્રદેશ પાછો કેમ આપી દીધો, 93,000 શત્રુસૈનિકોને કેમ છોડી દીધા? હકીકતમાં આ નરેટિવમાં ઘસડાઈ જવાની જરૂર જ નહોતી. કારણ કે વાત આખી આડે પાટે લઈ જવા માટે શરૂ કરવામાં આવી છે. બે દિવસ પહેલાં એક કોંગ્રેસી બિરાદરે ગપગોળો ચલાવ્યો કે વિકિપીડિયા જુઓ, જીનિવા ક્ધવેન્શન પ્રમાણે ઈન્દિરા ગાંધીના હાથ બંધાયેલા હતા. આની સામે તરત જ ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે સિંધુ જળસંધિને અભરાઈએ ચડાવી દીધી ત્યારે શું મોદીને આંતરરાષ્ટ્રીય અદાલત કે અન્ય કોઈ બંધનો-વિઘ્નો નડતાં નહોતાં? આમ છતાં મોદીએ પાકિસ્તાનનું પાણી અટકાવ્યું ને. મોદીએ પ્રવચનમાં આ વાતનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે લોહી વહેતું હોય ત્યાં સુધી પાણી નહીં વહી શકે.

ભારતે કે પાકિસ્તાને એકમેક સામે યુદ્ધની સત્તાવાર ઘોષણા નથી કરી માટે ‘યુદ્ધવિરામ’ જેવો શબ્દ વાપરવો વધુ પડતો છે, ખોટો જ છે. પણ સામાન્ય લોકો માટે આ યુદ્ધ જેવી જ પરિસ્થિતિ છે આથી સીઝફાયર બોલવામાં કોઈ જ વાંધો નથી. પોતાને બહુ મોટા જીઓપોલિટિક્સના જાણકાર અને ડીફેન્સ એક્સપર્ટ કહેવડાવનાર ગુજરાતી સોશિયલ મીડિયા પર કૂદાકૂદ કરનારાઓને જે કહેવું હોય તે કહે.
પાયાની વાત એક જ છે. રાષ્ટ્ર માટે જ્યારે જ્યારે કોઈ નિર્ણાયક ઘડી સર્જાય છે ત્યારે દોઢડાહ્યાઓને સાંભળવાના નહીં, વાંચવાના નહીં, જોવાના નહીં. સત્તાવાર જાહેરાત ના થાય ત્યાં સુધી રાહ જોવાની. અને એ દરમિયાન કે એ પછી પણ ભરોસો રાખવાનો કે આ મોદીયુગ છે. મોદી કંઈ મનમોહન સિંહ કે રાજીવ કે ઈન્દિરા નથી. નહેરુ પણ નથી. આ બધા કરતાં મોદી અનેક રીતે ઘણા ઘણા શ્રેષ્ઠ છે. રાહુલ અને કેજરીવાલ જેવા વિદૂષકોની તેમ જ આ બંને જોકરોનું સમર્થન કરનારી જમાતની કોઈ હેસિયત નથી કે તેઓ મોદીના સામર્થ્ય વિશે એક હરફ પણ ઉચ્ચારી શકે.

 

 

 

You Might Also Like

ગુજરાત, MP-UP સહિત 12 રાજ્યોમાં આજથી જઈંછ

મોન્થા વાવાઝોડું સાંજે કાકીનાડા કિનારે ટકરાશે

જયપુરમાં વધુ એક સ્લીપર બસ સળગી, અનેક સિલિન્ડર ફાટ્યા: 3ના મોત, 10થી વધુ ઘાયલ

કેબિનેટે 8મા પગાર પંચની શરતોને મંજૂરી આપી

રાજકોટ-દિલ્હી ફ્લાઈટની ફ્રીક્વન્સી વધતાં સૌરાષ્ટ્રના વેપાર-પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા

TAGGED: INDIA AND PAKISTAN WAR, Saurabh Shah
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મ્યાનમારમાં સેનાએ શાળા પર કરી બૉમ્બ વર્ષા: 2 શિક્ષકો અને 20 વિદ્યાર્થીઓના મોત; અનેક ઘાયલ
Next Article કાજ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર NQAS એવોર્ડથી સન્માનિત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

રાજુલા પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
વન-પર્યાવરણ વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધિવત પદભાર સંભાળ્યો
ડો. દિલિપસિંહ બારડનું શિક્ષણક્ષેત્રે યોગદાન ભાવનગર યુનિ.માં સન્માન સમારોહ યોજાયો
આવતીકાલે પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિ, લાખો ભક્તો વિરપુરમાં ઉમટી પડ્યા
સૌરાષ્ટ્ર યુનિ.ની ત્રણ વિદ્યાર્થિનીએ નો- મોબાઇલ- ફોન ફોબિયાની કસોટી વિક્સાવી કોપી રાઈટ્સ મેળવ્યા
સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટમાં શનિવારે જલારામ જયંતીની ભવ્ય ઉજવણી થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ગુજરાત, MP-UP સહિત 12 રાજ્યોમાં આજથી જઈંછ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાષ્ટ્રીય

મોન્થા વાવાઝોડું સાંજે કાકીનાડા કિનારે ટકરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ-ખબરરાષ્ટ્રીય

જયપુરમાં વધુ એક સ્લીપર બસ સળગી, અનેક સિલિન્ડર ફાટ્યા: 3ના મોત, 10થી વધુ ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?