પ્રભસિમરન-શ્રેયસની ફિફ્ટી, અર્શદીપ સિંહે 3 વિકેટ લીધી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.2
પંજાબ કિંગ્સે IPL 2025માં સતત બીજી જીત મેળવી છે. ટીમે મંગળવારે લખનઉ સુપર જાયન્ટ્સને 8 વિકેટથી હરાવ્યું. લખનઉના એકાના સ્ટેડિયમમાં, પંજાબે 172 રનનો ટાર્ગેટ 16.2 ઓવરમાં 2 વિકેટે ચેઝ કર્યો. કેપ્ટન શ્રેયસ અય્યરે 52 રને અને નેહલ વાઢેરા 43 રને અણનમ રહ્યા. પ્રભસિમરન સિંહે 34 બોલમાં 69 રનની ઇનિંગ રમી. લખનઉ તરફથી દિગ્વેશ રાઠીએ 2 વિકેટ લીધી.લખનઉ તરફથી નિકોલસ પૂરને 44 રન અને આયુષ બદોનીએ 41 રન બનાવ્યા. એડન માર્કરમે 28 અને અબ્દુલ સમદે 27 રન બનાવ્યા. પંજાબ તરફથી અર્શદીપ સિંહે 3 વિકેટ લીધી. લોકી ફર્ગ્યુસન, ગ્લેન મેક્સવેલ, માર્કો યાન્સેન અને યુઝવેન્દ્ર ચહલે એક-એક વિકેટ લીધી. 17મી ઓવરના બીજા બોલ પર, શ્રેયસ અય્યરે છગ્ગા સાથે પોતાની ફિફ્ટી પૂરી કરી અને પોતાની ટીમને વિજય તરફ દોરી ગયો. શ્રેયસે સતત બીજી મેચમાં અડધી સદી ફટકારી. પંજાબે સતત બીજી મેચ પણ જીતી.
- Advertisement -
આજે બેંગ્લોર-ગુજરાતનો મુકાબલો
આજનો મેચ: સ્થળ:- એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ
સમય:- સાંજે 7:30 ક્લાકે