પાંચ દિવસના પંચામૃત સાંસ્કૃતિક મહોત્સવની શાનદાર પૂર્ણાહુતિ
સરગમ ક્લબ – કલાસીક નેટવર્ક પ્રા.લી. તેમજ સનફોર્જ પ્રા.લી.ના સંયુક્ત ઉપક્રમે યોજાયો કાર્યક્રમ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સરગમ કલબ અને કલાસીક નેટવર્ક પ્રા.લી. અને સનફોર્જ પ્રા.લી. ના સંયુક્ત ઉપક્રમે ડી.એચ. કોલેજ ખાતે યોજાયેલી મ્યુઝીકલ નાઈટમાં જુના નવા ફિલ્મી ગીતોની રમઝટ બોલી હતી અને લોકો સંગીતમય બની ગયા હતા.
આ મ્યુઝીકલ નાઈટમાં બોલીવુડના પ્લેબેક સિંગર દેવયાની બેન્દ્ર્રે, ગોવિંદ મિશ્રા, બંકીમ પાઠક, ગોવિંદ મીશ્રા, અલીફિયા શેટ્ટી, મોહસીન શેખ, મેલોડી કલર્સનાં મન્સુરભાઈ ત્રિવેદી પ્રસ્તુત ઓરકેસ્ટ્રા અને કી બોર્ડ પ્લેયર તુષારભાઈ ગોસાઈ જાહેર જનતાને ગીત સંગીતનાં મહાસાગરમાં લઇ ગયા હતા.
- Advertisement -
આ કાર્યક્રમમાં પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરીયા, ભાજપના પ્રમુખ મુકેશભાઈ દોશી, ભાજપના અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, બિલ્ડર સ્મિતભાઈ પટેલ, પ્રભુદાસભાઈ પારેખ, સુરેશભાઈ વેકરીયા, ગોપાલભાઈ સાપરિયા, પ્રતાપભાઈ પટેલ, રાકેશભાઈ પોપટ, સીતેશભાઈ ત્રાંબડીયા, પ્રતિકભાઇ ચોવટીયા, દિનેશભાઈ અમૃતિયા, પિયુષભાઈ ચોવટીયા, ધર્મેશભાઈ જીવાણી, નાથાભાઈ કાલરીયા, મધુભાઈ પટોળીયા, ડો. એમ.વી. વેકરીયા સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને મ્યુઝિકલ નાઈટ માણી હતી.
આ પ્રસંગે ભાજપના પ્રમુખ મુકેશભાઈ દોશીએ સરગમ ક્લબને રાજકોટની અવ્વલ સંસ્થા ગણાવી હતી અને તેની પ્રવૃત્તિને કારણે રાજકોટમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થતી રહે છે તેમ જણાવ્યું હતું. કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ પોતાના સંબોધનમાં સરગમ ક્લબે નવરાત્રી પછી પાંચ દિવસ માટે જાહેર જનતા માટે જે વિનામૂલ્યે એક એકથી ચડિયાતા કાર્યક્રમો કર્યા તે બદલ ગુણવંતભાઈ ડેલાવાળા અને સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા.સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ આ પંચામૃત સાંસ્કૃતિક મહોત્સવ માણવા આવેલા રાજકોટ વાસીઓનો જાહેર આભાર માન્યો હતો. સરગમ કલબને આ પંચામૃત સાંસ્કૃતિક મહોત્સવ માટે શિલ્પા લાઈફસ્ટાઈલ , મારવાડી યુનિવર્સીટી, પુજારા ટેલિકોમ, કેર ફોર હોમ, એચ.પી. રાજગુરુ એન્ડ કંપની, બાન લેબ, સન ફોર્જ, રોલેક્ષ રીંગ્સ, વડાલિયા ફૂડસ, અને ડી.એમ.એલ ગ્રુપ, ભવાની ઇન્ડસ્ટ્રીઝ, એન્જલ પંપ સહિતનાનો સહયોગ પ્રાપ્ત થયો હતો અને સરગમ કલબે તમામનો આભાર માન્યો છે. આ કાર્યક્રમ ને સફળ બનાવવા ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, મીતેનભાઇ મહેતા, કનૈયાલાલ ગજેરા, મનમોહનભાઈ પનારા, જ્યસુખભાઇ ડાભી, સુરેશભાઇ દેત્રોજા, અનવરભાઈ ઢેબા, જ્યપાલસિંહ ઝાલા, કૌશિકભાઈ વ્યાસ, ઘનશ્યામભાઈ પરસાણા, નીલુબેન મહેતા, ગીતાબેન હીરાણી, જ્યશ્રીબેન વ્યાસ વગેરે એ જહેમત ઉઠાવી હતી.