કાલે 75મા જન્મ દિવસ નિમિતે 75 કુંડી માર્કન્ડેય મહાપૂજા સહ શાંતિ યાગ યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 75માં જન્મ દિવસ નિમિતે મહાનગર ભારતીય જનતા પાર્ટી અને ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગિરી બાપુના સંયુક્ત ઉપક્રમે ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય કથાકાર ડો.મહાદેવપ્રસાદ મેહતા દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને વૈશ્વિક નેતા એવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75માં જન્મ દિવસ નિમિતે તેમના દીર્ઘાયુ માટે 75 કુંડી માર્કન્ડેય મહાપુજા સહ શાંતિ યાગનું અલોકિક આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
પ્રધાનમંત્રી મોદીજીના 75માં જન્મ દિવસે આવતીકાલે મંગળવારના રોજ ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે સવારે 8 થી 10 વાગ્યે આ મહાયજ્ઞમાં યોજાશે ત્યારે આ યજ્ઞનો લાભ લેવા ભૂતનાથ મહેદવ મંદિરના મહંત મહેશગિરિ બાપુ અને શહેર પ્રમુખ પુનિત શર્મા દ્વારા જૂનાગઢ વાસીઓને પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.