ટેન્ડર ઈસ્યુ કરવાની છેલ્લી તા.17: ટેન્ડર તા.21ના રોજ ખોલાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આવતા મહિને નવરાત્રીનો પ્રારંભ થવા જાઈ રહ્યો છે. ત્યારે મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા નવરાત્રીના તહેવાર નિમિત્તે રાસોત્સવ માટે મનપાની માલિકીના રેસકોર્ષ અને અન્ય મેદાન ભાડે આપવાનું ટેન્ડર આજરોજ બહાર પાડવામાં આવ્યું છે. રેસકોર્ષના બે ભાગમાં બે મેદાન દર વર્ષે નવરાત્રી રાસોત્સવના આયોજકોને ભાડે આપવામાં આવે છે.
- Advertisement -
આ સિવાય નાના મવા ચોક, અમીનમાર્ગ કોર્નર, પ્રમુખ સ્વામી ઓડિટોરિયમની બાજુમાં અને સાધુવાસવાણી રોડ એમ કુલ છ મેદાન નવરાત્રિ માટે ભાડે આપવામાં આવે છે. ત્યારે આજરોજ ભાવપત્રક બહાર પાડવામાં આવ્યું છે. તા. 13ના સવારે 11:30 કલાકે પ્રિ-બીડની મિટિંગ યોજાશે. અને ટેન્ડર ઈસ્યુ કરવાની છેલ્લી તાં. 17 રહેશે. તાં.20 ના સાંજે 6 વાગ્યા સુધીમાં ટેન્ડર પહોંચતું કરવાનું રહેશે.
અને ટેન્ડર તાં. 21ના સવારે 11 કલાકે ખુલશે. આ સાથે ભરેલા ટેન્ડર એસ્ટેટ વિભાગ, ત્રીજો માળ રૂમ નં. 10 અને મહાનગરપાલિકા ડો. આંબેડકર ભવન ખાતે બંધ કવરમાં મોકલી આપવાનું રહેશે. મહાનગર પાલિકા તંત્રની જવાબદારી ત્રણ મેદાન ભાડે આપવા પૂરતી જ હોય છે. તે સિવાયની તમામ મંજૂરીઓ સહિતની ઔપચારિક્તા આયોજકો પૂરી પાડવાની હોય છે. આમ કુલ છ મેદાનો મહાપાલિકા દ્વારા ભાડે આપવામાં આવે છે. જેની સંપૂર્ણ માહિતી આજરોજ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
- Advertisement -