By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
    5 hours ago
    AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
    5 hours ago
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    1 day ago
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    2 days ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    6 hours ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    10 hours ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    1 day ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    1 day ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 day ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    2 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    3 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    3 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    7 hours ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 day ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    9 hours ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    9 hours ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    9 hours ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 day ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    2 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    3 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્રથમ પૂજનીય દેવ ગણેશજીના ભારતભરના સુપ્રસિદ્ધ મંદિરોનો ઈતિહાસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > પ્રથમ પૂજનીય દેવ ગણેશજીના ભારતભરના સુપ્રસિદ્ધ મંદિરોનો ઈતિહાસ
ધર્મરાષ્ટ્રીય

પ્રથમ પૂજનીય દેવ ગણેશજીના ભારતભરના સુપ્રસિદ્ધ મંદિરોનો ઈતિહાસ

Khaskhabar Editor
Last updated: 2024/09/09 at 11:16 AM
Khaskhabar Editor 2 years ago
Share
9 Min Read
SHARE

ગણપતિ બપ્પા મોરયા. દુંદાળા દેવ ગણેશજીના ભક્ત કોણ નથી. ભારતમાં ગણેશ ચતુર્થી પર ધામધૂમથી ગણપતિની સ્થાપના કરી તેમની વિશાળકાય પ્રતિમાઓની પૂજા અર્ચના કરવામાં આવે છે. પ્રથમ પૂજનીય દેવ ગણેશજીની ભક્તિભાવથી આરાધના કરવામાં આવે છે અને ગણપતિ મંદિરોમાં ભાવિક ભક્તોની ભીડ જામે છે. પરંતુ શું તમે ભારતના તમામ પ્રખ્યાત ગણેશ મંદિરો વિશે જાણો છો…કે પછી આ વિનાયક મંદિરોની વિશેષતાઓ વિશે તમે જાણો છો. તો ચાલો આજે તમને જણાવીએ ભારતના અલગ અલગ રાજ્યોમાં આવેલા ગણેશ મંદિરો વિશે જેનો અનોખો મહિમા છે.

શ્રી સિદ્ધિવિનાયક મંદિર – મુંબઈ,મહારાષ્ટ્ર

- Advertisement -


મહારાષ્ટ્રના મુંબઈનું નામ પડે અને સૌ કોઈને યાદ આવે મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર. મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં આવેલું આ ગણપતિ મંદિર ભારતભરમાં ગણેશ મંદિરોમાં પ્રથમ હરોળનું સ્થાન ધરાવે છે. ઈ. સ. 1801માં નિર્માણ પામેલા આ મંદિરની અંદર માથું નમાવવા માટે ભક્તોની ભીડ રહેતી હોય છે. મુંબઈની માયાનગરીના સેલિબ્રિટીઝ અને જાણીતા લોકો સિદ્ધિવિનાયક મંદિરે દર્શન અને પૂજા અર્ચના કરવા આવતા હોય છે. અહીંના ગણેશજીને નવસાચા ગણપતિતરીકે ઓળખવામાં આવે છે,જેમના નામનો અર્થ થાય છે જે તમે અહીં સાચા મનથી ઈચ્છા કરશો તે ફળીભૂત થશે. મંદિરમાં પ્રવેશવા માટે બે દ્વાર છે. સિદ્ધિ ગેટથી વિનામૂલ્યે ભગવાનના દર્શન કરવા જઈ શકાય છે જ્યારે રીદ્ધિ ગેટથી સામાન્ય દર્શન થાય છે. જ્યાં સિનિયર સિટીઝન, બાળકો, દિવ્યાંગો, નાના બાળકો સાથેની મહિલાઓ, એનઆરઆઈ માટે દર્શનની ખાસ સુવિધા છે જ્યાં 50 રુપિયા ચડાવી પેઈડ દર્શન કરી શકાય છે. સિદ્ધિવિનાયક મંદિર જવા માટે તમારે મુંબઈ પહોંચવાનું રહે છે. દેશના તમામ શહેરોમાંથી બસ, ટ્રેન, પ્લેનની સુવિધા મળી રહે છે. મુંબઈના પ્રભાદેવી વિસ્તાર જવા માટે તમે બસ કે ટેક્સી દ્વારા જઈ શકો. અને ટ્રેનથી જવું હોય તો દાદરની લોકલ ટ્રેન દ્વારા જઈ શકો.

શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણેશમંદિર – પૂણે,મહારાષ્ટ્ર


સિદ્ધિવિનાયક મંદિર બાદ મહારાષ્ટ્રનું બીજું પ્રખ્યાત ગણેશમંદિર છે દગડુશેઠ હલવાઈ ગણેશમંદિર જે પૂણે ખાતે આવેલું છે. જ્યાં ગણપતિની સોનાજડિત મૂર્તિ 7.5 ફીટ ઊંચિ અને 4 ફીટ પહોળી છે.પ્રતિમાનો મુગટ 9 કિલોથી પણ વધુ વજન ધરાવે છે. એવું માનવામાં આવે છે કે મહારાષ્ટ્રના જાણીતા મીઠાઈ વિક્રેતા દગડુશેઠ હલવાઈ દ્વારા પોતાના મૃત પુત્રની યાદમાં 1893માં આ ભવ્ય ગણેશ મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું છે. કહેવાય છે કે લોકમાન્ય ટિળક દ્વારા મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની શરૂઆત અહીંથી જ કરવામાં આવી હતી ત્યારથી અહીં દર વર્ષે ગણેશોત્સવની ધૂમ રહે છે. દગડુશેઠ મંદિરમાં સવારથી જ ભક્તોની ભીડ જામે છે. દગડુશેઠ મંદિરમાં દર્શન કરીને ભક્તોની મનોકામના પુર્ણ થતી હોવાનું અને વિઘ્નહર્તા સૌ વિઘ્ન દૂર કરતા હોવાની માન્યતા છે. શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિર પહોંચવા માટે તમે સડક માર્ગ, રેલવે કે હવાઈ માર્ગથી પૂણે પહોંચી શકો છો. રેલવે સ્ટેશનથી આ મંદિર માત્ર 5 કિમી દૂર છે તો એરપોર્ટથી 12 કિમીના અંતરે આવેલું છે.

- Advertisement -

ગણપતિ પૂળે મંદિર-રત્નાગિરિ, મહારાષ્ટ્ર


ગણપતિ બાપ્પાની બોલબાલા મહારાષ્ટ્રમાં સૌથી વધારે જોવા મળે છે. અને મહારાષ્ટ્રમાં ગણપતિ મંદિરો પણ વધુ જોવા મળે છે ત્યારે મહારાષ્ટ્રના રત્નાગિરિમાં આવેલું ગણપતિ પૂલે મંદિર પણ પ્રસિદ્ધ છે. ગણપતિ પૂલે મંદિરમાં ગણેશજીની મૂર્તિ પશ્ર્ચિમ દિશા તરફની રહે તે રીતે સ્થાપિત કરવામાં આવી છે. આશરે 400 વર્ષ જૂની આ મૂર્તિ માટે એમ કહેવાય છે કે તે સ્વયંભૂ પ્રગટ થયેલી છે.મંદિરની રચના એવી રીતે થયેલી છે કે ફેબ્રુઆરીથી નવેમ્બર મહિના સુધી મંદિરમાં સૂર્યના પ્રથમ કિરણો મળતા રહે છે. ગણપતિપૂલે કોંકણમાં સૌથી વધુ પૂજા કરાનાર મંદિરોમાંથી એક છે. મંદિર પાછળ એક નાનકડી પહાડી છે જે ગણેશજી સાથે જોડાયેલી છે અને શ્રદ્ધાળુઓ તેની પરિક્રમા કરતા હોય છે. ગણપતિ પૂલે જવા માટે સૌથી નજીકનું એરપોર્ટ કોલ્હાપુર છે, રેલવે માર્ગ પસંદ કરો છો તો કોંકણ માર્ગ પર ભોકે સૌથી નજીકનું રેલવેસ્ટેશન છે, જો કે રત્નાગિરી પણ નજીક પડે. સડક માર્ગે ગણપતિપૂલે મુંબઈ, પુણે અને કોલ્હાપુર થઈને જઈ શકાય.

ઉચ્છી પિલ્લયર મંદિર તિરુચિરાપલ્લી, તમિલનાડુ


મહારાષ્ટ્ર બાદ કોઈ ગણેશ મંદિર પ્રખ્યાત છે તો તે છે ભારતના દક્ષિણ ભાગમાં તિરુચિરાપલ્લી એટલે કે ત્રિચી , તામિલનાડુમાં આવેલું ઉચ્છી પિલ્લયર મંદિર. 7મી શતાબ્દિમાં નિર્માણ પામેલું આ ગણેશ મંદિર ત્રિચીના રોક ફોર્ટ પર આવેલું છે. આ સુંદર મંદિર 273 ફુટની ઊંચાઈએ આવેલું છે જ્યાં પહોંચવા માટે લગભગ 400 પગથિયા ચડવા પડે છે. આ મંદિરમાં ગણેશજીની પૂજા બાદ 6 વખત આરતી થાય છે. દક્ષિણ ભારતના પલ્લવ રાજવંશના સમયમાં પર્વત પર નિર્માણ પામેલું આ મંદિર બેનમૂન પર્વતીય સ્થાપત્યનું ઉદાહરણ છે. મંદિરને લઈને માન્યતા છે કે ગણેશજી વિભીષણથી છુપાઈને અહીં આવ્યા હતા. કહેવાય છે કે ક્રોધિત વિભીષણે ગણેશજી પર પ્રહાર કર્યો જેના નિશાન અહીંના મૂર્તિના મસ્તક પર જોવા મળે છે.

ગણેશટોક મંદિર – ગંગટોક,સિક્કિમ


દક્ષિણ ભારત પછી એક નજર કરીએ ભારતની પૂર્વ છેડા પર. ભારતના પૂર્વોત્તર રાજ્ય એવા સિક્કિમની રાજધાની ગંગટોકમાં આવેલું,કાંચનજંઘાની ઊંચી અને નયનરમ્ય ગિરિમાળામાં આવેલું ગણેશટોક મંદિર અદ્ભુત છે. ગંગટોકમાં ટેકરીની ટોચ પર આવેલું આ મંદિર યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે ખૂબ પવિત્ર અને મુલાકાત લેવા યોગ્ય સ્થાનક છે.અહીંનું સુંદર હરિયાળું વાતાવરણ અને પર્વતીય પ્રદેશ પણ પર્વતારોહકો તથા પ્રવાસીઓ માટે આકર્ષણનું કારણ બને છે. દર વર્ષે હજારો શ્રદ્ધાળુ અને પ્રવાસીઓ આ મંદિરની મુલાકાત લેતા હોયછે.

ત્રિનેત્ર ગણેશ મંદિર- રણથંભોર, રાજસ્થાન


પૂર્વ ભારતના ગણેશ મંદિરના દર્શન બાદ મુલાકાત લઈએ રાજા-રજવાડાંઓના પ્રદેશ એવા રાજસ્થાનના ગણપતિ મંદિરોની.રાજસ્થાનમાં મુખ્ય અને લગભગ 6500 વર્ષ પ્રાચીન ગણેશ મંદિર છે રણથંભોર નેશનલ પાર્કમાં આવેલું ત્રિનેત્ર ગણેશ મંદિર.એક કથા પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુક્મિણી પોતાના લગ્ન માટે આશીર્વાદ મેળવવા આ મંદિરે ગણેશજીના દર્શન કરવા ગયા હતા.રણથંભોરના કિલ્લાની અંદર આવેલા ત્રિનેત્ર ગણેશ મંદિરે દર વર્ષે લગ્ન પૂર્વે ભગવાન ગણેશજીના આશીર્વાદ મેળવવા લગ્નની કંકોત્રીઓ તથા ભેટસોગાદો મૂકવા શ્રદ્ધાળુઓ આવતા હોય છે.ત્રિનેત્ર પ્રકારની મૂર્તિ સ્વરૂપનું આ ભારતનું પ્રથમ ગણેશમંદિર છે. દર વર્ષે ગણેશચતુર્થી દરમિયાન યોજાતા મેળામાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આ સ્થાનની મુલાકાતલેતા હોય છે.

કનીપકમ વિનાયક મંદિર- ચિત્તુર, આંધ્રપ્રદેશ


ગણપતિ બપ્પા દક્ષિણ ભારતમાં પણ પુરી આસ્થા સાથે પૂજાય છે. આંધ્રપ્રદેશના ચિત્તુરમાં આવેલું લગભગ 700 વર્ષ પૌરાણિક કનિપક્કમ ગણેશ મંદિર ખુબ જ પ્રાચીન અને સ્થાપત્યની દ્રષ્ટિએ અલૌકિક છે. આ મંદિરને પાણીના દેવતાનું મંદિર પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે અહીં ભગવાન ગણેશની મૂર્તિનો આકાર વધી રહ્યો છે. વિનાયકચતુર્થીથી 20 દિવસ સુધી અહીં બ્રહ્મોત્સવ ઉજવવામાં આવે છે. નદીકિનારે આવેલું હોવાથી આ તીર્થને કનિપક્કમ કહેવામાં આવે છે. આ વિનાયક મંદિર આંધ્રપ્રદેશના તિરૂપતિથી માત્ર 72 કિમીના અંતરે આવેલું હોવાથી અહીંનું પણ ધાર્મિક મહત્વ વધી જાય છે. અહીં પહોંચવા માટે સડક માર્ગ દ્વારા તિરુપતિ બસસ્ટેશનથી બસ અને કેબ મળી શકે છે. તો ટ્રેન દ્વારા જવા ઈચ્છતા હો તો તિરુપતિ રેલવે સ્ટેશન 70 કિમી અને હવાઈ માર્ગે તિરુપતિ એરપોર્ટ 86 કિમી દૂર છે.

કલામાસ્સેરી મહાગણપથી મંદિર – કોચ્ચિ, કેરળ


કેરળ રાજ્યમાં આવેલા આ મંદિરમાં ભગવાન ગણેશની સાથે સુબ્રમણ્યમ સ્વામી અને નવગ્રહોનો પણ સમાવેશ થાય છે.આ મંદિરમાં ભગવાન શંકર,દેવી પાર્વતી અને ભગવાન રામની મૂર્તિઓ પણ જોવા મળે છે. ઈ.સ.1 980માં બનેલું આ મંદિર સામાન્ય માણસના ધાર્મિક શ્રદ્ધા અને પ્રેમનું ઉદાહરણ પૂરૂ પાડે છે. મંદિર બહુ ભપકાદાર શૈલીમાં બનાવવામાં આવ્યું નથી,પણ તેનું સાદું સ્થાપત્ય પણ મનને ગમી જાય તેવું છે.શ્રદ્ધાળુઓ અહીં ચાલતા અષ્ટદ્રવ્ય મહાગણપતિ યજ્ઞમાં ભાગ લેતા હોય છે.દર ચાર વર્ષે અહીં ગજપૂજાનું આયોજન થાય છે.મલયાલમ કેલેન્ડરના કર્કડ્ડોકમ મહિનાના પ્રથમ દિવસે મંદિરમાં આનાયૂટ્ટુનું આયોજન કરવામાં આવે છે.કોંક્રિટનું માળખું ધરાવતા આ સાદા ગણેશ મંદિરને શ્રદ્ધાળુઓ પ્રેમથી Roadside Ganapathy તરીકે ઓળખે છે.

વરસિદ્ધિ ગણેશ મંદિર-ચેન્નાઈ


ચેન્નાઈના વસંતનગર વિસ્તારમાં આવેલું ચેન્નાઈનું આ પ્રખ્યાત ગણેશ મંદિર છે.અહીં ભગવાન ગણેશની મૂર્તિ કે જે વાલમપુરી વરસિદ્ધિ વિનાયકાર તરીકે ઓળખાય છે,તેને જમણી તરફ તેમની પત્ની સિદ્ધિ સાથે સ્થાપિત થયેલી છે.મંદિરમાં દર વર્ષે ગણેશચતુર્થી નિમિત્તે ધાર્મિક સંગીતના કાર્યક્રમો થાય છે,જે શ્રદ્ધાળુઓ અને સંગીતપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.ઉપરાંત,મંદિરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો માટે એક વિશેષ ઓડિટોરિયમ પણ છે.

You Might Also Like

આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું

હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે

TAGGED: Worshipful Lord Ganesha
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 43 ગ્રામીણ બેંકોની સંખ્યા ઘટાડીને 30 કરાશે: નાણાં મંત્રાલય દ્વારા કવાયત શરૂ
Next Article દુરાચારી, ખરાબ નજરવાળા દુષ્ટ, કોઈ પણ પ્રકારના કારણ વિના બીજાને હાનિ પહોંચાડતા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
મેસન ક્લબના ડિરેક્ટર સહિતનાઓ સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ
વડાપ્રધાનના ‘૧૨ વર્ષ વિશ્વાસ અને વિકાસના’: ભાવનગર જિલ્લામાં જનકલ્યાણ શિબિરો અને પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ
નથી જીવવા દેતી, નથી મરવા દેતી” વીડિયો બનાવી યુવકે ગટગટાવી ઝેરી દવા
સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ધર્મ

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

khaskhabarrajkot khaskhabarrajkot 9 hours ago
Bhavy Ravalધર્મ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

khaskhabarrajkot khaskhabarrajkot 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?