હિમાચલમાં વરસાદને કારણે 1004 કરોડનું નુકસાન
કાનપુરમાં ગંગા ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.14
બિહારમાં ભારે વરસાદને કારણે ગંગા, ગંડક અને કોસી નદીઓમાં પૂર આવ્યું છે. નદી કિનારે આવેલા અનેક વિસ્તારોમાં પૂરથી ભય છે. બાંકામાં મંગળવારે રાત્રે વીજળી પડવાથી ત્રણ લોકોના મોત થયા હતા. ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે 15 જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે. વારાણસીના 50 ઘાટ ગંગામાં ગરકાવ થઈ ગયા છે. અહીં NDRF તહેનાત છે. કાનપુરમાં ગંગા ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે. હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે 213 રસ્તાઓ બંધ છે. હવામાન વિભાગે બુધવારે દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. ઘણા રાજ્યોમાં વીજળી પડવાનું પણ એલર્ટ છે.
- Advertisement -
રાજસ્થાનના કરૌલીમાં પૂર જેવી સ્થિતિ છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે 3 દિવસમાં 28 લોકોના મોત થયા છે. દૌસા જિલ્લાની સરકારી અને ખાનગી શાળાઓમાં 14 ઓગસ્ટ (બુધવાર)ના રોજ રજા જાહેર કરવામાં આવી છે. હિમાચલમાં આ ચોમાસામાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘણી ઘટનાઓ બની છે. રાજ્યમાં વરસાદને કારણે 27 જુલાઈથી 12 ઓગસ્ટ સુધીમાં 1004 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. રાજ્યના ઈમરજન્સી વિભાગે જણાવ્યું કે વરસાદ સંબંધિત ઘટનાઓમાં 110 લોકોએ જીવ ગુમાવ્યા છે.