સુરતમાં
આપિયા
પાસિયા
- Advertisement -
સુરતનાં કાઠિયાવાડીઓમાં અલ્પેશની લોકચાહના શું ગોપાલ ઇટાલિયા કંપનીને ખૂંચી રહી છે?
અલ્પેશને આવકારતી પોસ્ટ કરનારને આપનાં કાર્યકરોએ વ્હોટ્સએપ્પનાં ગ્રુપમાંથી કાઢ્યો
ગઈકાલે પાટીદાર આંદોલનનાં મહત્વપૂર્ણ ચહેરા એવા અલ્પેશ કથીરિયાને જામીન મળ્યા હતા. 31 માર્ચ 2021ના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે ઇઝઙના કાર્યકર્તાઓ સાથે મારામારીનાં કેસમાં એટ્રોસિટી એક્ટ હેઠળ તેની ધરપકડ કરાઈ હતી. જો કે સમાધાનની કૌશિષ કરાઈ હતી, જે નિષ્ફળ નીવડતા તેની ધરપકડ થઈ હતી. અને ગઈકાલે તેણે જમાનત મેળવી હતી. તેમનાં જામીન થતા જ અઅઙમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે. અલ્પેશની જમાનતને અઅઙ નેતાઓ બરોબર વધાવી શક્યા નથી. અલ્પેશને જામીન મળવાથી આમ આદમી પાર્ટીનાં અનેક કાર્યકરો જાણે નારાજ હોય તેવો ઘટનાક્રમ બન્યો હતો. આખો દિવસ સોશિયલ મિડીયા પર ઙઅઅજના આંદોલનકારીઓએ અઅઙ પર અને તેનાં અધ્યક્ષ પર બળાપો કાઢ્યો હતો. એક કિસ્સાએ તો બળતામાં ઘી ઠાલવ્યું: ‘વરાછા જાગૃતિ’ નામના વ્હોટ્સએપ્પ ગ્રુપમાં અલ્પેશ કથીરીયાનાં જામીનનાં સમાચાર પોસ્ટ કરતા તે સભ્યોને ગ્રુપમાંથી રિમુવ કરવામાં આવ્યા હતા. રિમુવ કરનાર અઅઙનો કાર્યકર્તા છે અને ગોપાલ ઈટાલિયાની નજીક છે. આ ઘટના બાદ ઙઅઅજ સમર્થકો કાળઝાળ થયા હતા. જેમા એક ઙઅઅજ સમર્થકે પોસ્ટ કરી હતી કે અમુક આપીયા તો એના ગ્રુપમાં અલ્પેશભાઈના ન્યુઝ મુકે એનેય રિમુવ કરે છે….એલા હાક થું…તમારા ગ્રુપને…અને તમને… આ સિવાય પણ ઘણી તીખી પ્રતિક્રિયા જોવા મળી હતી.
પાર્ટી પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પણ મોડી મોડી રાત્રે 08:00 વાગે પોસ્ટ કરી શુભકામના પાઠવી હતી જ્યારે અલ્પેશને જમાનત સવારે 11:00 વાગે મળી હતી. તે પણ પોસ્ટ ત્યારે થઈ જ્યારે આખો દિવસ ઙઅઅજ ના કાર્યકરોએ અઅઙનો વિરોધ કર્યો એવું પણ કહેવાય છે કે ગોપાલે ડેમેજ કંટ્રોલ કરવા માટે આ પોસ્ટ કરી છે. બાકી 10 કલાક બાદ આટલી મોડી પોસ્ટ કેમ કરી?
ચર્ચા એ પણ છે કે અલ્પેશ કથીરીયાની પાટીદાર યુવાનોમાં ઘણો પ્રિય છે, જે ગોપાલ ઈટાલિયાને કદાચ ખટકે છે. માટે જ આ જમાનત બાદ અઅઙનું વલણ ઙઅઅજને ગમ્યું નથી.
- Advertisement -
અલ્પેશને જામીન મળ્યાનાં દસ કલાક પછી, ડેમેજ ક્ધટ્રોલનાં ભાગરૂપે ઇટાલિયાએ ટ્વિટ કરી હરખ વ્યક્ત કર્યો!
સુરતમાં શરૂ થયેલી ‘આપ’ અને ‘પાસ’ વચ્ચેની લડાઈની ગવાહી આપતાં ‘સ્ક્રીનશૉટ’