જૂનાગઢ જિલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગથી જળબંબાકારની સ્થિતિ
જિલ્લાના તમામ તાલુકામાં 5થી 15 ઇંચ વરસાદ ખાબક્યો
- Advertisement -
ડેમોમાં નવા નીર આવક થતા અનેક ડેમો ઓવરફલો સાથે સો ટકા ભરાયા
જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા સાથે સ્ટેટ હાઇવેને પણ અસર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
- Advertisement -
જૂનાગઢ જિલ્લા સહીત સોરઠ પંથકમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સાથે ચોતરફ મુશળધાર વરસાદ વરસતા જિલ્લો તરબોળ બન્યો છે જેમાં જિલ્લાના અનેક ડેમો ઓવરફલો થયા છે તેની અનેક ડેમો 100 ટકા ભરાતા પાણી સમસ્યા હલ થતી જોવા મળે છે બીજી તરફ ભારે વરસાદના લીધે તેની અસર ઘેડ પંથક સહીતના અનેક ગામો મુશ્કેલી ઉભી થઇ છે જિલ્લાના ઘેડ વિસ્તારના બમણાસ સહીત માણાવદર તાલુકાના અને કેશોદ તેમજ માંગરોળ તાલુકના ગ્રામ્ય વિસ્તારોમાં ઓઝત અને ઉબેણ નદી સાથે ભાદર નદીના પાણી ઘુસી જતા ઘેડ વિસ્તાર બેટમાં ફેરવાયો છે અને અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.તો અનેક ગ્રામ્ય વિસ્તારના રસ્તા પર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થયા છે તેની સાથે સ્ટેટ હાઇવે પર પણ અસર જોવા મળી છે. જૂનાગઢ શહેરમાં ભારે વરસાદના લીધે શહેરમાં પણ જળ બંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું જેમાં શહેરના જોશીપુરા અને ઝાંઝરડા અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે તેની સાથે તંત્રની એક ગાડી પણ ફસાતા તેને મહા મસીબતે બહાર કાઢી હતી બીજી તરફ અતિ ભારે વરસાદના લીધે વિલિગ્ડન ડેમ ઓવરફલો થતા તેનું સીધું પાણી કાળવા નદીમાં આવતા રાત્રીના સમયે કાળવો બે કાંઠે જોવા મળ્યો હતો અને નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે તેની વ્હારે પોલીસ તંત્ર આવ્યું હતું અને લોકોને સલામત રીતે બહાર કાઢીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.આમ છેલ્લા બે દિવસથી શહેરમાં ધોધમાર વરસાદથી જીવન અસ્ત વ્યસ્ત જોવા મળ્યું હતું જોકે આ લખાઈ છે ત્યારે આજે સવારથી જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે.
માત્ર વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથક રકાબી જેવો જોવા મળે છે.અને ઘેડ વિસ્તાર ત્રણ તાલુકામાં લાગુ પડે છે જેમાં માણાવદર, કેશોદ અને માંગરોળનો સમાવેશ થાય છે.વર્ષોથી ઘેડ વિસ્તાર ચોમાસાની સીઝન ભારે વરસાદના લીધે બેટમાં ફેરવાઈ જાય છે.ત્યારે ઘેડ વિસ્તરામાં ઓઝત નદી સાથે ભાદર નદી અને ઉબેણ નદી બે કાંઠે વહે છે ત્યારે તેનું સીધું પાણી ઘેડ પંથકમાં ઘુસી જાય છે.ગત રાત્રીના પડેલ વરસાદના લીધે બાંટવાનો ખારો ડેમ ઓવરફલો થતા માણાવદર નજીકના ભલગામ, સમેગા, કોડવાવ, કોયલાણા, માટીયાણા, આંબલીયા અને પાદરડી સહીત ગામોમાં પાણી ઘુસી જતા રસ્તાઓ બંધ થયા હતા અને ખેતરોમાં પાણી ભરાતા ખેતી પાકને નુકશાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.જયારે કેશોદનું બામણાસા અને માંગરોળના 18 ગામો સંપર્ક વિહોણા બન્યા છે જેમાં સાંઢા, સમારડા, બગસરા, હંટરપુર, ઘોડાદર, સહીત અનેક ઘેડ પંથકના ગામો પણ બેટમાં ફેરવાયા છે.ઓઝત નદીના પાણી ખેતરો અને ઘરોમાં ઘુસી જતા રસ્તાઓ બંધ થવાની સાથે સંપર્ક વિહોણા જોવા મળ્યા છે જેમ જેમ વરસાદનું જોર ઘટસે તેમ તેમ પાણી ઓસરતાં જોવા મળશે જયારે પાણી ભરવાને લીધે ખેતી પાકને નુકશાન થઇ રહ્યું છે.