કોન્ટ્રાક્ટરને સમયસર કામ ચાલુ કરવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
- Advertisement -
ગોંડલમાં ભગવતપરા વિસ્તારમાં ગોંડલી નદી પર આવેલી પૂર સંરક્ષણ દિવાલનો કેટલોક ભાગ ઘસી પડી હતી. ભારે વરસાદની કારણે પાણીના પ્રવાહમાં દીવાલનો કેટલો ભાગ તૂટી પડ્યો હતો. બે ટુકડામાં 110 મીટરની પારાપેટ વોલ તૂટી જવા પામી છે.
ફૂટપાથ બેસી જતા વીજ પોલ પર અસર થઈ હતી. હાલ મોવિયા ચોકડી થી સિવિલ હોસ્પિટલ માંધાતા સર્કલ સુધીનો રોડ ભારે વાહન અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે. શિવરાજગઢ ના શ્રી ક્ધસ્ટ્રકશનને સમયસર કામ ચાલુ કરવા માટે નગરપાલિકાએ નોટિસ પણ આપવામાં આવી હતી.
વીજ પ્રવાહથી ચાલુ વીજ પોલ ઝૂકી ગયા હતા. વીજ પોલ ઝૂકી જતા લોકોનો જીવ તાળવે ચોંટ્યો હતો. ચાલુ વીજ પોલ પડી જતા મોટી દુર્ઘટના સર્જાવાની સંભાવના હતી. જોકે સદનસીબે વીજ પોલ ન પડતા મોટી જાનહાનિ થતા અટકી હતી. ઘટનાની જાણ થતા નગરપાલિકા અને ઙૠટઈક તંત્ર ઘટના સ્થળે પોહચ્યું હતું. મોટી જાન હાનિ થવા પામી ન હતી. ગોંડલ ભગવતપરા નદી કાંઠાની દીવાલ જુદી જુદી 2 જગ્યાએ અંદાજીત 110 મીટર ની ધસી પડેલ છે. આ દીવાલ રાજાશાહી વખતની આશરે 100 વર્ષ જૂની હતી. આ દિવાલોમાં સમયાંતરે મરામત અને નિભાવણી કરવાની થતી હોય છે. આ દીવાલમાંથી નદી સાઈડમાં ઊગી નીકળેલ વેજીટેશનને દૂર કરી પ્લાસ્ટર કરવાની કામગીરી તથા ગ્રાઉન્ડ લેવલ ઉપર નદી સાઈડમાં રેલિંગ – પારાપેટ જૂની જર્જરિત તૂટી ગયું હતું. આ સમગ્ર કામ માટે 15 માં નાણાંપંચમાંથી કામ કરવા અંદાજે 650 મી.લંબાઈ માટે રૂ.85.94 લાખના ખર્ચે શ્રી ક્ધસ્ટ્રકશન, શિવરાજગઢને તા.13/03/2024 થી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. શ્રી ક્ધસ્ટ્રકશન એજન્સીએ કામ શરૂ ન કરતા ગોં.મ્યુ.જા.આ.નં.68 તા. 19 /04/2024 થી નોટિસ આપવામાં આવેલ છે. આ કામગીરી પ્રગતિમાં હોય તે દરમ્યાન ભારે વરસાદ આવતા દીવાલ ધસી પડેલ છે.
નગરપાલિકા દ્વારા બન્ને સાઈડના રસ્તા બંધ કરાવી કોઈ જાનહાનિ ન થાય તે માટે પગલાં લેવામાં આવેલ છે. અને મૂળભૂત દીવાલને કોઈ પણ જાતના ફેરફાર કર્યા વગર વેજીટેશન દૂર કરી ફક્ત પ્લાસ્ટરની કામગીરી ચાલુ હતી. જમીન ઉપરની પારાપેટ, રેલિંગ નવી બનાવવાની કામગીરી પ્રગતિમાં હતી. જેને અમારા માનવા મુજબ દીવાલના મજબૂતીકરણ સાથે કોઈ સંબંધ ન હોય ફક્ત અકસ્માતે નદી સાઈડમાં કોઈ પડી ન જાય તે માટે રેલિંગ, પારાપેટ હોય છે.