ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે શ્રી બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કરવા અપીલ
રાજકોટમાં 750થી વધુ ભૂલકાઓ થેલેસેમીક છે. તા. 8 મે વિશ્વ થેલેસેમિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. થેલેસેમિયા વિશ્વની સૌથી મોટી ભયંકર બીમારીમાંની એક છે. રાજકોટમાં 750થી પણ વધુ થેલેસેમીક ભૂલકાઓ છે. વિશ્ર્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે શ્રી બડા બજરંગ ફાઉન્ડેશન રક્તદાતા ગ્રુપ (સિવિલ થેલેસેમિયા સોસાયટી) અને થેલેસેમીક ભૂલકાઓએ સાથે મળીને સમાજને અપીલ કરવામાં આવી છે.
- Advertisement -
આપના દીકરા કે દીકરી 18 વર્ષના થઈ જાય ત્યારે તેનો થેલેસેમિયા ટેસ્ટ કરાવે, જે વ્યક્તિ 18થી 60 વર્ષની છે અને વજન 50 કિ.ગ્રા.થી વધુ છે તે વ્યક્તિ પુરુષ દર 90 દિવસે અને બહેનો 120 દિવસે રક્તદાન જરૂર કરે. શાળા કોલેજો, સોસાયટી ઈન્ડસ્ટ્રીઝમાં થેલેસેમિયા રોકવા માટે અવેરનેસ કાર્યક્રમો કરવામાં આવે અને સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે. આપના શાળા-કોલેજ સોસાયટી, ઈન્ડસ્ટ્રીઝમાં અવેરનેસ કેમ્પ અને રક્તદાનનું આયોજન કરવા માટે શ્રી બડા બજરંગ રક્તદાતા ગ્રુપ મો. 9426509996 પર સંપર્ક કરી શકાશે.