દસેક શસ્ત્રો લઈ જઈ શકતું હોવાથી એક સાથે અનેક ટાર્ગેટને વીંધવા માટે સક્ષમ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.12
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિશન દિવ્યાસ્ત્ર માટે અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ કરનારા ડીઆરડીઓના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા હતા. . વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે મિશન દિવ્યાસ્ત્ર માટે આપણને ડીઆરડીઓના વૈજ્ઞાનિકો પર ગર્વ છે. 2022માં પણ ભારતની આ સૌથી શક્તિશાળી મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભારતનું આ સૌથી શક્તિશાળી મિસાઇલ 5,500 કિ.મી. સુધીની મારક ક્ષમતા ધરાવે છે. તે પરમાણુ શસ્ત્રો લઈ જવા સક્ષમ છે.
અગ્નિ-5 મિસાઇલનું વજન લગભગ 50 હજાર કિલો છે. તે 17.5 મીટર લાંબી છે. તેનો વ્યાસ બે મીટર એટલે કે 6.7 ફૂટ છે. તેના ઉપર 1,500 કિલોગ્રામ વજનના પરમાણુ શસ્ત્રો લાગી શકે છે. આ મિસાઇલમાં ત્રણ સ્ટેજમાં રોકેટ બૂસ્ટર છે, જે સોલિડ ફ્યુઅલથી ઉડે છે. તેની ઝડપ અવાજની ઝડપ કરતાં 24 ગણી વધારે છે. એટલે કે આ મિસાઇલ એક સેક્ધડમાં 8.16 કિ.મી.નું અંતર ખેડી નાખે છે. અગ્નિ-5 મિસાઇલ પ્રતિ કલાક 29,401 કિ.મી.ની ઝડપે દુશ્ર્મન પર હુમલો કરે છે. તેમા રિંગ લેઝર ગાઇરોસ્કોપ ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમ, જીપીએસ, નેવઆઇસી સેટેલાઇટ ગાઇડન્સ સિસ્ટમ લાગેલી છે. અગ્નિ-5 મિસાઇલ ટાર્ગેટ પર પૂરેપૂરી ચોકસાઈથી હુમલો કરે છે. જો ટાર્ગેટ તેના સ્થાનેથી 10થી 80 મીટર હટી જાય તો પણ અગ્નિના પ્રહારથી બચી શકતું નથી.
આ મિસાઇલની યોજના વૈજ્ઞાનિક એમ નટરાજને 2007માં પહેલી વખત બનાવી હતી. તેને લોન્ચ કરવા માટે મોબાઇલ લોન્ચરનો ઉપયોગ કરી શકાય છે. તેને ટ્રક પર લોડ કરીને કોઈપણ સ્થાન પર પહોંચાડી શકાય છે. આ મિસાઇલને 200 ગ્રામની કંટ્રોલ એન્ડ ગાઇડેડ સિસ્ટમ નિયંત્રિત કરે છે. તે એક રીતે મિસાઇલ પર લાગેલી હોય છે. આ સિસ્ટમને ઓન ચિપ આધારિત ઓન-બોર્ડ કમ્પ્યુટર પણ કહેવાય છે. એમઆઇઆરવી ટેકનિકથી મિસાઇલની ટોચે બેથી દસ પરમાણુ શસ્ત્ર લગાવી શકાય છે. આનો અર્થ એ થાય કે એક મિસાઇલ એક સાથે અનેક કિ.મી.માં ફેલાયેલા આઠથી દસ લક્ષ્યાંકોને એકસાથે વીંધી શકે છે.
વડાપ્રધાન મોદીએ DRDOના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા
- Advertisement -
Proud of our DRDO scientists for Mission Divyastra, the first flight test of indigenously developed Agni-5 missile with Multiple Independently Targetable Re-entry Vehicle (MIRV) technology.
— Narendra Modi (@narendramodi) March 11, 2024