દીકરીઓ માટે રજિસ્ટ્રેશન નિ:શૂલ્ક
ખાસ-ખબર સંવાદદાતા
દેશળદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત ખવાસ-રજપૂત સમાજ દ્વારા સૌ પ્રથમવાર સૌરાષ્ટ્ર કચ્છ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં વસતા જ્ઞાતિબંધુઓના લગ્નલાયક દીકરા-દીકરીઓ માટે રાજકોટ ખાતે પ્રથમ પરિચય મેળાનું તા. 28 ને રવિવારે રાજકોટ ખાતે જ્યુબેલી ગાર્ડનમાં આવેલા અરવિંદભાઈ મણિયાર હોલમાં બપોરે 3-00 કલાકે આયોજન કરવામાં આવ્યું છે. દીકરીઓ માટે રજિસ્ટ્રેશન નિ:શૂલ્ક અને દીકરાઓ માટે નોમિનલ ફી રૂા. 100 રાખવામાં આવી છે. રાજકોટ, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, દેવભૂમિ દ્વારકા, મોરબી સહિત આ તમામ જિલ્લાઓમાંથી કુંવારા, શિક્ષિત, અશિક્ષિત, વિધવા-વિધુર, ત્યકતા, છુટાછેડા, ખોડખાંપણવાળા અંદાજિત 250થી વધુ ઉમેદવારો આ પરિચય મેળામાં ભાગ લેશે. આ તકે આગેવાન રમેશભાઈ મેરુભાઈ ચૌહાણ ઉપસ્થિત રહેશે તેમજ કાર્યક્રમમાં વિશેષ દીકરીઓના માતા-પિતાનું મંચ ઉપર સમાજ વતી સન્માન કરવામાં આવશે. આયોજનને સફળ બનાવવા માટે દેશળદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત ખવાસ-રજપૂત સમાજના મેનેજિંગ ડિરેકટર કાનાભાઈ ચૌહાણ, મોનાલીબેન ચૌહાણ, અરવિંદભાઈ વાઘેલા, નરેન્દ્રભાઈ ચૌહાણ (આસ્થા એજ્યુકેશન), અશ્ર્વિનભાઈ ચૌહાણ, શૈલેષભાઈ ચૌહાણ, પ્રિયાંકભાઈ ચૌહાણ, સુનિલભાઈ પરમાર, રતનભાઈ રાઠોડ, દેવાંગભાઈ મકવાણા, કિશનભાઈ તુવેર, ખિલનભાઈ ભટ્ટી, સાવનભાઈ રાઠોડ, રાજભાઈ સોઢા, હરપાલભાઈ રાઠોડ, હર્ષદભાઈ હાડા, મિતેષભાઈ વાઘેલા, કરણભાઈ વાઘેલા, મેહુલભાઈ પરમાર, જયભાઈ હાપા, નિકુંજભાઈ પરમાર, કૃણાલભાઈ વિસા, પ્રણવભાઈ ચૌહાણ, પરાગભાઈ સોલંકી સહિત જહેમત ઉઠાવી
રહ્યા છે.
ખવાસ-રજપૂત સમાજ દ્વારા લગ્નઈચ્છુક દીકરા-દીકરીઓ માટે પરિચય મેળો યોજાશે
